AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : RRની હાર પર અભિનેત્રીના પતિએ કહ્યું, કર્મનું પોતાનું પ્લેઓફ હોય છે, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાત ટાઈટન્સ સામે રાજસ્થાન રોયલ્સની ટીમની હાર થઈ હતી. તેમજ આઈપીએલ 2026માંથી પણ બહાર થઈ હતી. જેના પર શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર કર્મનું પ્લઓફ લખ્યું હતુ

Breaking News :  RRની હાર પર અભિનેત્રીના પતિએ કહ્યું, કર્મનું પોતાનું પ્લેઓફ હોય છે, જાણો શું છે સમગ્ર મામલો
| Updated on: May 31, 2026 | 1:34 PM
Share

આઈપીએલ 2026ની બીજી ક્વોલિફાયર મેચ શુક્રવારના રોજ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સની હાર બાદ મેદાન બહાર એક નવી ધમાલ મચી છે. આ મેચમાં 15 વર્ષના યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ 96 રનની ઈનિગ્સ રમી હતી. રાજસ્થાન રોયલ્સને 214ના સ્કોર સુધી પહોંચાડી હતી. પરંતુ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલની શાનદાર બેટિંગ આગળ આ સ્કોર નાનો પડ્યો હતો. ગુજરાત ટાઈટન્સે 7 વિકેટથી જીત મેળવી રાજસ્થાન રોયલ્સને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી હતી. આ કારમી હાર બાદ રાજસ્થાન રોયલ્સના પૂર્વ સહ માલિક રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમણે ક્રિકેટ ચાહકો અને સમગ્ર રમત જગતને ચોંકાવી દીધું હતુ.

રાજ કુંદ્રાની પોસ્ટ વાયરલ

રાજસ્થાન રોયલ્સ મેચ હારતા રાજ કુંદ્રાએ સોશિયલ મીડિયા પર લખ્યું કેટલીક હાર પોઈન્ટ ટેબલથી પણ મોટી હોય છે અને કર્મનું પોતાનું એક પ્લેઓફ હોય છે. રાજ કુંદ્રાના આ નિવેદનને સીધી રીતે રાજસ્થાન રોયલ્સના માલિક અને હાલમાં ટીમની ખરીદી વેચાણની ડીલ પર તીખો પ્રહારના રુપમાં જોવા મળી રહ્યો છે. આ પોસ્ટ સામે આવતા જ ક્રિકેટ ચાહકો અને જુની સ્પોર્ટ ફિક્સિંગ વિવાદ અને ટીમના માલિકના હકને લઈ ચાલી રહેલા કાનુની જંગ ફરીથી ચર્ચામાં આવી છે.

સ્પોર્ટ ફિક્સિંગ કાંડથી શરુ થયો હતો રાજ કુંદ્રા અને રાજસ્થાનની ટીમનો ઝગડો

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા વર્ષ 2009માં રાજસ્થાન રોયલ્સની ટીમનો પાર્ટનર હતો પરંતુ વર્ષ 2013માં જ્યારે આઈપીએલને બદનામ સ્પોર્ટ ફિક્સિંગ અને સટ્ટાબાજીનો કેસ સામે આવ્યો હતો.રાજ કુંદ્રાનું નામ ચર્ચામાં આવ્યુ અને ટીમની કિસ્મત બદલી હતી. ત્યારબાદ 2015માં સુપ્રીમ કોર્ટે દ્વારા બનાવેલી નવી કમેટીએ રાજ કુંદ્રા પર ક્રિકેટ સાથે જોડાયેલી દરેક ગતિવિધિ સામેલ થવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ મોટા વિવાદના કારણ રાજ કુંદ્રા અને શિલ્પા શેટ્ટીને ટીમના તમામ પદ પરથી દુર થવું પડ્યું હતુ. ખુદ રાજસ્થાન રોય્લસની ટીમ પર પણ 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો.

રાજ કુંદ્રાની આ નારજગીનું સાચું કારણ રાજસ્થાન રોયલ્સ ની ટીમ નવા હાથમાં જવું એ હતુ. રાજસ્થાન રોયલ્સને લક્ષ્મી મિત્તલ ગ્રુપે અંદાજે 13,700 કરોડ રુપિયામાં ખરીદી હતી.

 રાજસ્થાન રોયલ્સ ટીમનો કેપ્ટન સંજુ સેમસન છે, રાજસ્થાન રોયલ્સ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમે છે. રાજસ્થાન રોયલ્સની ટીમે 2008માં ટાઈટલ જીત્યું હતુ. અહી ક્લિક કરો

Follow Us
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
આગામી 8થી 10 દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત
g clip-path="url(#clip0_868_265)">