Breaking News: વૈભવ સૂર્યવંશી જલ્દી કરશે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ? BCCI એ ચીફ સિલેક્ટર અગરકરને આપ્યો નિર્દેશ
BCCIએ વૈભવ સૂર્યવંશી અંગે ભારતીય પસંદગીકારોને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. BCCIએ પસંદગીકારોને કહ્યું છે કે વૈભવ એક અનોખી પ્રતિભા છે અને તેમણે તેના માટે જે જરૂરી લાગે તે કરવું જોઈએ. જે બાદ ચર્ચા શરુ થઈ છે કે વૈભવ જલ્દી ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી શકે છે.

IPL 2026 માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી વૈભવ સૂર્યવંશીએ જે રીતે ટોપના બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું છે તે પ્રશંસનીય છે. પરિણામે, ભારતીય ટીમ પસંદગીકારોને હવે BCCI તરફથી ચોક્કસ સૂચનાઓ મળી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ અજિત અગરકર અને તેમની ટીમ, જે ભારતીય ટીમ પસંદ કરે છે, તેમને વૈભવ સૂર્યવંશી માટે જે કંઈ જરૂરી છે તે કરવા સૂચના આપી છે.
વૈભવ આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસમાં કરશે ડેબ્યૂ?
દેવજીત સૈકિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતનો આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થવાનો છે. જૂન-જુલાઈમાં યોજાનાર આ પ્રવાસો માટેની ટીમની જાહેરાત થવાની ધારણા છે. વૈભવ સૂર્યવંશીના સમાવેશ અંગે પહેલાથી જ અટકળો ચાલી રહી હતી, પરંતુ સૈકિયાના નિવેદનથી તેની પસંદગીના ચાન્સ વધી ગયા છે.
વૈભવ વિશે BCCI સચિવે શું કહ્યું?
દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે આપણે બધા વૈભવના પ્રદર્શનથી ખુશ છીએ. તે ભારતીય ક્રિકેટનો વન્ડર બોય છે. મને વિશ્વાસ છે કે તે ભવિષ્યમાં દુનિયામાં ધમાલ મચાવશે. સૈકિયાએ ઉમેર્યું હતું કે આઈપીએલ 2026 દરમિયાન ટીમ ઈન્ડિયાના બધા પસંદગીકારો હાજર હતા. તેમણે મેચો નજીકથી જોઈ. વૈભવ જે રીતે પ્રદર્શન કરશે તે જોતાં, મને આશા છે કે જ્યારે તેઓ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ માટે ટીમો પસંદ કરવા બેસશે, ત્યારે તેઓ વૈભવ માટે જે શ્રેષ્ઠ હશે તે કરશે.
“Vaibhav Sooryavanshi is a wonderful player coming up, and he has a bright future. BCCI will do everything to get him to the highest level of cricket..”
~ BCCI Secretary Devajit Saikia pic.twitter.com/XvZmwXt6Aj
— Cricketopia (@CricketopiaCom) June 1, 2026
પસંદગીકારોને સ્પષ્ટ નિર્દેશ
કેપ્ટન અને ભારતીય પસંદગીકારો ઉપરાંત, BCCI સચિવ દેવજીત સૈકિયા પણ ટીમ ઈન્ડિયાની પસંદગી બેઠકોમાં હાજર રહે છે. તેથી, તેમના નિવેદનને ભારતીય પસંદગીકારોને નિર્દેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. BCCI પ્રમુખ મિથુન મિન્હાસ અને ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પણ વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી છે.
વૈભવ ટીમ ઈન્ડિયામાં રમવા માટે તૈયાર
ક્રિકેટ જગતના દિગ્ગજો પણ વૈભવ સૂર્યવંશીની રમતના વખાણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે વૈભવ પાસે સાબિત કરવા માટે કંઈ બાકી નથી અને તે ટીમ ઈન્ડિયા માટે રમવા માટે તૈયાર છે. આ ક્રિકેટરોમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, અજય જાડેજા, વીરેન્દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
સચિન તેંડુલકરે વૈભવના વખાણ કર્યા
સચિન તેંડુલકરે વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી ત્યારે અજિત અગરકર પણ હાજર હતો, સચિને વૈભવની હિટિંગ એબિલીટી, કાંડાની સ્પીડ અને બોલ સમજવાની કુશળતાની પ્રશંસા કરી હતી. એવી આશા છે કે, વૈભવ સૂર્યવંશી વિશેની સચિનની તાજેતરની ટિપ્પણીઓ ભારતીય પસંદગીકારોને તેને તક આપવાનું વિચારવા માટે મજબૂર કરશે.
