AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બેંગલુરુમાં RCBની વિક્ટ્રી પરેડમાં ભાગદોડમાં 10 લોકોના મોત, 20 ઘાયલ

RCBની વિક્ટ્રી પરેડમાં બેંગલુરુમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ નજીક ભાગદોડ મચી, જેમાં ચાર લોકોના મોત થયા, 20 થી વધુ લોકો ઘાયલ થયા, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે.

Breaking News : બેંગલુરુમાં RCBની વિક્ટ્રી પરેડમાં ભાગદોડમાં 10 લોકોના મોત, 20 ઘાયલ
Follow Us:
| Updated on: Jun 04, 2025 | 7:08 PM

RCB ટીમે IPL 2025 જીતી લીધી છે અને આ પછી બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આખી ટીમનું સન્માન કરવામાં આવી રહ્યું છે. જોકે, આ સન્માન દરમિયાન કંઈક એવું બન્યું જેની કોઈએ અપેક્ષા રાખી ન હતી.

સ્ટેડિયમ પાસે ભાગદોડ, 7 લોકોના મોત

વાસ્તવમાં, ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસે ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં 10 લોકોના મોત થયા હતા. આ ભાગદોડમાં 20 લોકો ઘાયલ પણ થયા છે. અહેવાલો અનુસાર, 10 લોકોની હાલત ગંભીર છે. ભાગદોડમાં માર્યા ગયેલા લોકોમાં મહિલાઓ પણ શામેલ છે.

100 GB ડેટા અનલિમિટેડ કોલિંગ અને ફ્રી SMS, 749 મળી રહ્યા ઘણા લાભ
વર્લ્ડ ચેસ ચેમ્પિયન ડી ગુકેશનો આવો છે પરિવાર
ચાંદીના ગ્લાસમાં પાણી પીવાના ફાયદા જાણો, જ્યોતિષ શાસ્ત્ર શું કહે છે
વિવાહ ફિલ્મની પૂનમનો આવો છે પરિવાર, જુઓ ફોટો
દાદા,કાકા,ભાઈ આખો પરિવાર સંગીતમાં સક્રિય, જુઓ પરિવાર
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કેવી રીતે ભાગદોડ મચી?

અહેવાલો અનુસાર, ચિન્નાસ્વામી સ્ટેડિયમની બહાર RCB ની વિજય પરેડમાં મોટી સંખ્યામાં લોકો હાજર હતા. પોલીસે તેમને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો અને ત્યારબાદ નાસભાગ મચી ગઈ. વિજય પરેડ સાંજે 5 વાગ્યે શરૂ થવાની હતી પરંતુ તે થઈ શક્યું નહીં.

હજારો લોકોને સંભાળવું મુશ્કેલ બની ગયું

ખેલાડીઓ કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને મળવા માટે વિધાનસભા પહોંચ્યા છે અને આ પછી ખેલાડીઓની ટીમ બસ ચિન્નાસ્વામી સ્ટેડિયમ જશે. અહીં મોટી વાત એ છે કે સમગ્ર રૂટ પર હજારો લોકો છે, જેના કારણે તેમને સંભાળવું મુશ્કેલ બની ગયું છે.

RCBનો વિજય ઉત્સવ શોકમાં ફેરવાયો

RCBનો વિજય ઉત્સવ શોકમાં ફેરવાઈ રહ્યો હોય તેવું લાગે છે. પ્રશ્ન એ છે કે આ નાસભાગ પાછળનું કારણ શું છે? ભીડ પર લાઠીચાર્જ કરવાનો આદેશ કોણે આપ્યો? આ મોટા અકસ્માત માટે કોણ જવાબદાર છે? આ ચાહકો તેમની ટીમની જીતથી ખૂબ ખુશ હતા.

RCBએ પહેલીવાર IPL ટાઈટલ જીત્યું

તમને જણાવી દઈએ કે IPL 2025ની ફાઈનલમાં RCBએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. RCBએ પહેલીવાર IPL ટાઈટલ જીત્યું. આ વિજય પછી કર્ણાટક સહિત ઘણા શહેરોમાં વિજયની ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ હવે આ ટીમની વિજય પરેડ દરમિયાન થયેલી દુર્ઘટનાએ આ વિજયને ઝાંખો પાડી દીધો છે.

આ પણ વાંચો: 273 મિલિયન… RCBની જીત બાદ વિરાટ કોહલીને બમ્પર ફાયદો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">