AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી

IPL 2022 બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ ખેડનારી છે. ભારતીય ટીમ (Team India) નુ શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, અને આ વ્યસ્તતા વચ્ચે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે.

IND vs SA: રાજકોટમાં રમાશે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 મેચ, BCCI એ શ્રેણીની તૈયારી શરુ કરી
India Vs South Africa: 5 સ્થળો પર રમાનારી છે T20 સિરીઝ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 10:58 AM
Share

આવતીકાલે શુક્રવાર થી ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચે ટેસ્ટ મેચની શરુઆત થનારી છે. બે ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મોહાલી (Mohali Test) માં રમાનાર છે. જ્યારે બીજી ટેસ્ટ બેંગ્લુરુમાં રમાનારી છે. ભારતીય ટીમ (Indian Cricket Team) ના ખેલાડીઓ ટેસ્ટ સિરીઝ બાદ આઇપીએલમાં રમવા ઉતરશે. IPL 2022 બાદ દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતનો પ્રવાસ ખેડનારી છે. ભારતીય ટીમનુ શિડ્યૂલ ખૂબ જ વ્યસ્ત છે, અને આ વ્યસ્તતા વચ્ચે દક્ષિણ આફ્રિકાની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે. આ માટેનુ આયોજન પણ BCCI ઘડી રહ્યુ છે. બંને ટીમો વચ્ચે 5 T20 મેચોની સિરીઝ રમાનારી છે. જેમાં એક મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાનાર હોવાના રીપોર્ટ છે.

ટી20 વિશ્વકપ પહેલા ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ ટી20 સિરીઝ ખૂબ મહત્વની છે. આ સિરીઝ માટે બીસીસીઆઇએ મેચો ક્યાં આયોજીત કરવામાં આવનાર છે તે સ્થળના પણ એલાન કરી દેવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે આ સિરીઝ આમ તો ગત જાન્યુઆરી માસમાં દક્ષિણ આફ્રિકામાં જ રમાનારી હતી. પરંતુ ઓમિક્રોન વાયરસના વધેલા ફેલાવાને લઇને ભારતીય ટીમના દક્ષિણ આફ્રિકા પ્રવાસમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં શ્રેણીને બંને બોર્ડે નિર્ણય કરીને મોકૂફ જાહેર કરી હતી. જે હવે આઇપીએલ ટૂર્નામેન્ટ બાદ ભારતમાં જૂનમાં રમાનાર છે.

મીડિયા રિપોર્ટનુસાર ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી 5 મેચોની ટી20 સિરીઝ ભારતમાં પાંચ સ્થળો પર રમાનાર છે. આ માટેના સ્થળ નક્કિ કરી લેવામાં આવ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડ પણ બંને દેશો વચ્ચેની શ્રેણીને લઇ આયોજન હાથ ધરી ચુક્યુ છે. જે આયોજનની શરુઆતના ભાગરુપે જ સ્થળની પસંદગી નક્કી કરી લેવામાં આવી છે. આ સ્થળો પર જૂન માસના બીજા સપ્તાહની શરુઆત થી સિરીઝ રમાઇ શકે છે.

આ પાંચ સ્થળો પર રમાશે શ્રેણી

રિપોર્ટનુસાર આ શ્રેણીના આયોજન માટે નક્કિ કરવામાં આવેલા સ્થળો પૈકી એક સ્થળ ગુજરાતનુ રાજકોટ છે. રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મેચ મળવાને લઇને સ્થાનિક ક્રિકેટ રસિકોને માટે પણ બોર્ડનો નિર્ણય ખુશ કરનારો છે. બોર્ડ દ્વારા પાંચેય મેચને પાંચ અલગ અલગ સ્થળો પર રમાડવામાં આવનાર છે. જે માટે કટક, વિશાખાપટ્ટનમ, દિલ્હી, રાજકોટ અને ચેન્નાઇની પસંદગી કરવામાં આવી છે. આમ લાંબા સમય બાદ હવે ક્રિકેટ મેચનુ આયોજન તેના મૂળ સ્વરુપના આયોજન મુજબ જોવા મળશે. એટલે કે દરેક મેચ નવા સ્થળે રમાતી જોવા મળશે. આમ દેશમાં ચારેકોર ક્રિકેટના રસિયાઓને ઘર આંગણે ક્રિકેટનો આનંદ માણવાનો મોકો મળશે.

આ પણ વાંચોઃ Ukrain: દેશ પર આફત સામે લડવા યુક્રેનના ખેલાડીઓ યુદ્ધના મેદાને ઉતરશે, વિશ્વ ચેમ્પિયન થી લઇ ઓલિમ્પિક મેડાલીસ્ટ સેના સાથે જોડાયા

આ પણ વાંચોઃ Vladimir Putin ને જ્યારે એક મહિલા ખેલાડીએ ભોંય પર પછાડી દીધા, કંઇક આમ જોવા મળ્યા હતા રશિયન પ્રમુખ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">