AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Contracts: બોર્ડે સિરાજનુ પ્રમોશન કર્યુ, તો આ સ્ફોટક બેટ્સમેનને ‘લોટરી’ લાગી ગઇ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા કરાર (BCCI Contracts) માં ખેલાડીઓની સંખ્યા 28થી ઘટાડીને 27 કરવામાં આવી છે. ઘણા ખેલાડીઓના ગ્રેડ બદલ્યા છે, તો કેટલાકના ખિસ્સા પર કાતર મારી દીધી છે.

BCCI Contracts: બોર્ડે સિરાજનુ પ્રમોશન કર્યુ, તો આ સ્ફોટક બેટ્સમેનને 'લોટરી' લાગી ગઇ
Mohammed Siraj પહેલા ગ્રેડ સીમાં હતો હવે બીમાં સ્થાન અપાયુ છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2022 | 9:43 AM
Share

બીસીસીઆઈ ના નવા કરાર (BCCI Contracts) માં ખેલાડીઓની સંખ્યા 28થી ઘટાડીને 27 કરવામાં આવી છે. ઘણા ખેલાડીઓના ગ્રેડ બદલ્યા. તેના ખિસ્સા પર કાતર મારી. મોટાભાગના ખેલાડીઓ નિરાશ થયા હતા. પરંતુ, ભારતીય ખેલાડીઓના તે નિરાશ ચહેરાઓ વચ્ચે બે ખુશ ચહેરા પણ જોવા મળ્યા. અને, તેઓએ જ લોટરી જીતી હતી. મેદાન પર તેના સતત પ્રદર્શન માટે તેને પુરસ્કાર આપવામાં આવ્યો હતો. નવા કરારમાં, જ્યાં મોટાભાગના ખેલાડીઓના ગ્રેડમાં ડિમોશન જોવા મળ્યું હતું, મોહમ્મદ સિરાજ (Mohammed Siraj) એવો ખેલાડ છે જેને પ્રમોશન મળ્યું. આ જ દરમિયાન, એક ખેલાડીએ પ્રથમ વખત બીસીસીઆઈના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પ્રવેશ કર્યો અને તે નામ સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) નુ છે.

બીસીસીઆઈએ નવા કરારમાં 27 ખેલાડીઓને 4 અલગ-અલગ ગ્રેડમાં વહેંચ્યા છે. આ ખેલાડીઓને દર વર્ષે તેમના ગ્રેડ પ્રમાણે અલગ-અલગ વાર્ષિક રકમ આપવામાં આવે છે. ગ્રેડ A-પ્લસ ધરાવતા ખેલાડીઓને 7 કરોડ રૂપિયા, A ગ્રેડના ખેલાડીઓને 5 કરોડ રૂપિયા, B ગ્રેડના ખેલાડીઓને 3 કરોડ રૂપિયા જ્યારે C ગ્રેડનો ભાગ ધરાવતા ખેલાડીઓને વાર્ષિક 1 કરોડ રૂપિયા આપવામાં આવે છે.

સિરાજનું પ્રમોશન, 2 કરોડ રૂપિયા વધુ સેલરી મળશે

ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીસીસીઆઈના અગાઉના કરાર હેઠળ ગ્રેડ સી કેટેગરીમાં સામેલ હતો. પરંતુ, નવા કરારમાં બોર્ડે તેમને પ્રમોશન આપીને ગ્રેડ C થી ઉપર B ગ્રેડમાં સ્થાન આપ્યું છે. આ સાથે બોર્ડ તરફથી સિરાજને મળતી વાર્ષિક રકમમાં પણ વધારો થયો છે. હવે તેને 1 કરોડને બદલે 3 કરોડ રૂપિયા મળશે.

સૂર્યકુમારને પ્રથમ વખત કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું

ભારતના મિડલ ઓર્ડર સ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવે પહેલીવાર BCCI ના કોન્ટ્રાક્ટ લિસ્ટમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. બોર્ડે તેને નવા કોન્ટ્રાક્ટમાં સી ગ્રેડમાં સ્થાન આપ્યું છે, એટલે કે હવે તેને બોર્ડ તરફથી વાર્ષિક એક કરોડ રૂપિયા મળશે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે નવા કરાર હેઠળ ગ્રેડ A પ્લસમાં 3 ખેલાડીઓ, A ગ્રેડમાં 5, B ગ્રેડમાં 7 અને C ગ્રેડમાં 12 ખેલાડીઓને સ્થાન આપ્યું છે.

BCCI ના નવા કરારની યાદી

A+: રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ.

A: રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કેએલ રાહુલ, મોહમ્મદ શામી, ઋષભ પંત.

B: ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, શ્રેયસ અય્યર, મોહમ્મદ સિરાજ, ઇશાંત શર્મા.

C: શિખર ધવન, હાર્દિક પંડ્યા, ઉમેશ યાદવ, ભુવનેશ્વર કુમાર, વોશિંગ્ટન સુંદર, શુભમન ગિલ, હનુમા વિહારી, યુઝવેન્દ્ર ચહલ, સૂર્ય કુમાર યાદવ, મયંક અગ્રવાલ, રિદ્ધિમાન સાહા, દીપક ચહર.

આ પણ વાંચોઃ Ukrain: દેશ પર આફત સામે લડવા યુક્રેનના ખેલાડીઓ યુદ્ધના મેદાને ઉતરશે, વિશ્વ ચેમ્પિયન થી લઇ ઓલિમ્પિક મેડાલીસ્ટ સેના સાથે જોડાયા

આ પણ વાંચોઃ Vladimir Putin ને જ્યારે એક મહિલા ખેલાડીએ ભોંય પર પછાડી દીધા, કંઇક આમ જોવા મળ્યા હતા રશિયન પ્રમુખ Video

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">