AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: પાકિસ્તાન સામે મેચ રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયા માટે સુપર-4માં પહોંચવાનો રસ્તો બન્યો મુશ્કેલ, જાણો સંપૂર્ણ ગણિત

ભારતે હવે એશિયા કપ-2023માં તેની આગામી મેચ નેપાળ સામે રમવાની છે. આ મેચ સોમવારે રમાશે. સુપર-4માં પ્રવેશવાની ભારતની આશા આ મેચ પર ટકેલી છે. રોહિત શર્માની કપ્તાનીમાં રમી રહેલી ટીમ ઈન્ડિયા આ મેચ કોઈપણ કિંમતે જીતવા ઈચ્છે છે, નહીં તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે અને ટીમ એશિયા કપમાંથી બહાર થઈ શકે છે.

Asia Cup 2023: પાકિસ્તાન સામે મેચ રદ્દ થયા બાદ ટીમ ઈન્ડિયા માટે સુપર-4માં પહોંચવાનો રસ્તો બન્યો મુશ્કેલ, જાણો સંપૂર્ણ ગણિત
Asia Cup 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2023 | 12:10 PM
Share

એશિયા કપ 2023 (Asia Cup 2023)માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા હતા. બધાની નજર આ મેચ પર હતી. પરંતુ વરસાદે (Rain) આ મેચની મજા બગાડી નાખી. આ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી હતી અને બંને ટીમોએ એક-એક પોઈન્ટ વહેંચવો પડ્યો હતો. આ મેચમાં માત્ર ભારતીય ટીમ (Team India) જ બેટિંગ કરી શકી અને ત્યારબાદ બીજી ઈનિંગમાં વરસાદ આવ્યો જેના કારણે મેચ રમાઈ શકી નહીં.

પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય

આ મેચમાં ભારતીય ટીમની બેટિંગ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શકી ન હતી. ટીમ ઈન્ડિયા 48.5 ઓવરમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ બાદ પાકિસ્તાન સુપર-4 માટે ક્વોલિફાય થઈ ગયું છે, પરંતુ ભારત માટે રસ્તો થોડો મુશ્કેલ બની ગયો છે.

ભારત-પાકિસ્તાન મેચ રદ્દ થતાં બદલાયા સમીકરણ

ભારતે હવે તેની આગામી મેચ નેપાળ સાથે રમવાની છે. આ મેચ સોમવારે રમાશે. સુપર-4માં જવાની ભારતની આશા આ મેચ પર ટકેલી છે. રોહિત શર્માની કપ્તાનીમાં રહેલી ટીમ ઈન્ડિયા આ મેચ કોઈપણ ભોગે તે જીતવા ઈચ્છે છે, નહીં તો તેને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

નેપાળ સામે મેચ ડ્રો-રદ્દ થશે તો શું?

આ એશિયા કપમાં બે ગ્રુપ છે. બંને ગ્રુપમાંથી ટોપ-2 ટીમ સુપર-4માં જશે. ભારતની પ્રથમ મેચ રદ્દ થયા બાદ નેપાળની મેચ તેમના માટે ઘણી મહત્વની બની ગઈ છે. પરંતુ મુશ્કેલી એ છે કે આ મેચમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. ભારતની આ મેચ પણ પલ્લેકેલેમાં જ રમાવાની છે. અહીં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જો નેપાળની મેચ વરસાદને કારણે રદ્દ થશે તો એક-એક પોઈન્ટ વહેંચવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ સુપર-4 માટે ક્વોલિફાય થશે.

આ પણ વાંચો : Asia Cup 2023: રોહિત શર્માની પાછળ પડ્યો કેમેરામેન, ટીમ ઈન્ડિયાનો કેપ્ટન થયો ગુસ્સે, જુઓ Video

નેપાળ સામે હાર્યું તો ભારત થશે બહાર

પરંતુ જો નેપાળ ભારતને મોટા અપસેટમાં હરાવશે તો નેપાળની ટીમ સુપર-4માં જશે અને ભારત બહાર થઈ જશે. ગ્રુપ-Aમાં પાકિસ્તાનની ટીમ બે મેચમાં એક જીત અને એક ડ્રો સાથે ત્રણ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. જ્યારે ભારત એક પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. નેપાળની ટીમનું ખાતું પણ ખૂલ્યું નથી. જો ભારત અને નેપાળ વચ્ચેની મેચ પણ ડ્રોમાં સમાપ્ત થાય છે તો નેપાળને માત્ર એક પોઈન્ટ અને ભારતના બે પોઈન્ટ હશે.આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા સુપર-4માં પહોંચી જશે.

સુપર-4માં પાકિસ્તાન સામે ફરી થઈ શકે છે ટક્કર

જો ભારતીય ટીમ સુપર-4માં સ્થાન મેળવે છે તો ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી મુકાબલો જોવા મળી શકે છે. સુપર-4માં તમામ ટીમો એકબીજા સામે મેચ રમશે. એટલે કે દરેક ટીમ સુપર-4માં ત્રણ મેચ રમશે. આ પછી ટોપ-2 ટીમ ફાઈનલમાં પ્રવેશ કરશે.જ્યાં પર બંને ટીમોની ટક્કર થઈ શકે છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
g clip-path="url(#clip0_868_265)">