AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: પંતની ફિટનેસથી ધવનની જગ્યા સુધી, ટીમ સિલેક્શન પર રોહિત-અગરકરે આપ્યા 8 મોટા નિવેદન

Asia cup 2023 : ઓગ્સ્ટ મહિનાના અંતથી ભારતીય ક્રિકેટ ટીમની સાચી પરીક્ષાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. એશિયા કપ અને વનડે વર્લ્ડ કપને લઈને ભારતીય ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. જોવાનું રહેશે કે ભારતીય ક્રિકેટરો, ફેન્સની આશા પર ખરા ઉતરશે કે નહીં.

Asia Cup 2023: પંતની ફિટનેસથી ધવનની જગ્યા સુધી, ટીમ સિલેક્શન પર રોહિત-અગરકરે આપ્યા 8 મોટા નિવેદન
Asia cup 2023 Image Credit source: BCCI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 7:11 PM

New Delhi : એશિયા કપના આરંભ પહેલા BCCIએ ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરી હતી. આજે 21 ઓગસ્ટના રોજ સીનિયર સિલેક્શન કમિટીની મિટિંગ નવી દિલ્હીમાં યોજાઈ હતી. જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ પર હાજર રહ્યા હતા. આ મિટિંગ બાદ કેપ્ટન શર્મા અને ચીફ સિલેક્ટર અજીત અગરકરે (Ajit Agarkar) પ્રેસ કોન્ફેરેન્સ કરીને ટીમની જાહેરાત કરવાની સાથે મહત્વના નિવેદનો પણ આપ્યા હતા.

એશિયા કપની તમામ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3 વાગ્યે શરુ થશે. દરેક મેચ માટેનો ટોસ ભારતીય સમય અનુસાર બપોરે 2.30 કલાકે થશે.  ટૂર્નામેન્ટ 30 ઓગસ્ટે યજમાન પાકિસ્તાનના મુલતાનથી શરૂ થશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે

આંખોનુ ફરકવું શુભ છે કે અશુભ? જાણો કઈ વાતનો મળે છે સંકેત
ફ્રિજમાં ગેસ ખતમ થઈ ગયો છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
આજનું રાશિફળ તારીખ : 20-06-2025
હાથ અને પગમાં ઝણઝણાટી એ કયા રોગનું લક્ષણ છે? જાણો
HDFC ગ્રુપની કંપનીનો આ IPO 25 જૂનથી ખુલશે, જાણો તમામ વિગત
BSNLના 80 દિવસના પ્લાનનો જલવો, માત્ર રુ 485માં મળશે આ લાભ

આ પણ વાંચો :FIFA મહિલા વર્લ્ડ કપ 2023: અધ્યક્ષે ઉત્સાહમાં હોશ ગુમાવ્યો, જીત પછી સ્ટેજ પર મહિલા ખેલાડીને કરી દીધી KISS

રોહિત-અગરકરના મોટા નિવેદન

  • IPL દરમિયાન ઈજાગ્રસ્ત કેએલ રાહુલ તેની હેમસ્ટ્રિંગની ઈજામાંથી સ્વસ્થ થઈને ટીમમાં પાછો ફર્યો છે, પરંતુ અજિત અગરકરે એ પણ જણાવ્યું કે તેને એક અલગ ઈજા થઈ છે, જે બહુ ગંભીર નથી અને તે પ્રથમ મેચ સુધીમાં તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે. સંજુ સેમસનને આ કારણોસર બેકઅપ તરીકે રાખવામાં આવ્યો છે.
  • અજીત અગરકરે સ્પષ્ટ કર્યું કે હાલમાં આ માત્ર એશિયા કપની ટીમ છે. વર્લ્ડ કપની ટીમ પસંદ કરવા માટે 5 સપ્ટેમ્બર સુધીનો સમય છે.  તેમણે એમ પણ કહ્યું કે વિશ્વ કપની ટીમ પણ લગભગ આ ટીમમાંથી પસંદ કરવામાં આવશે.
  • કેપ્ટન રોહિત શર્માએ સ્પષ્ટ કર્યું કે ટીમના તમામ ખેલાડીઓને કોઈપણ સ્થિતિમાં રમવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. મિડલ ઓર્ડરના બેટ્સમેનોને ખાસ કરીને બેટિંગ માટે એક કે બે પોઝિશન ઉપર કે નીચે જવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
  • રોહિતે કહ્યું કે  ટીમને આઠમા નંબર સુધી બેટિંગ કરી શકે તેવા ખેલાડીઓની જરુર છે અને આવા કિસ્સામાં અક્ષર પટેલ જેવા ઓલરાઉન્ડરનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે જરૂર પડ્યે ટોપ ઓર્ડરમાં પણ બેટિંગ કરી શકે છે. જોકે રોહિતે સ્પષ્ટ કર્યું હતું કે વર્લ્ડ કપને લઈને હજુ પણ કોઈ માટે દરવાજા બંધ નથી.
  • યુઝવેન્દ્ર ચહલને પસંદ ન કરવાના પ્રશ્ન પર મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે કહ્યું કે એક જ સમયે બે રિસ્ટ સ્પિનરોને સામેલ કરવા મુશ્કેલ હતું અને તેના કારણે તેને અત્યારે જગ્યા મળી નથી.
  • રિષભ પંત વિશે પણ એક ખાસ સવાલ પૂછવામાં આવ્યો હતો, પરંતુ કેપ્ટન રોહિત શર્માએ તેનો ખુલીને જવાબ આપ્યો ન હતો. ભારતીય કેપ્ટને ફક્ત એટલું જ કહ્યું કે ઋષભ પંત એશિયા કપ રમવા માટે હજુ પૂરતો ફિટ નથી.
  • ઘણા પૂર્વ દિગ્ગજોએ ટીમ ઈન્ડિયાને આ વર્ષના વર્લ્ડ કપની ફેવરિટ ટીમ ગણાવી હતી, પરંતુ રોહિતે તેનો ઈન્કાર કર્યો હતો. રોહિતે કહ્યું કે કોઈ પણ ટીમ ફેવરિટ નથી અને જે તે દિવસે સારું રમે છે તે જ જીતે છે. તેણે નિશ્ચિતપણે કહ્યું કે ટીમ ઈન્ડિયાને તેની ઘરની પરિસ્થિતિઓનો થોડો ફાયદો થશે પરંતુ સાથે જ કહ્યું કે મોટાભાગના વિદેશી ખેલાડીઓને પણ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય પરિસ્થિતિઓમાં રમવાનો અનુભવ મળ્યો છે.
  • શિખર ધવનને લઈને પણ એક સવાલ ઉઠાવવામાં આવ્યો હતો, જેના પર અજિત અગરકરે અનુભવી ભારતીય ઓપનરની પ્રશંસા કરી હતી પરંતુ કહ્યું હતું કે આ સ્થાન અત્યારે મુશ્કેલ છે. અગરકરે કહ્યું કે ટીમના ત્રણ ઓપનર રોહિત, ઈશાન કિશન અને શુભમન ગિલ સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની જગ્યાએ કોઈને સામેલ કરવું મુશ્કેલ હતુ.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ. સંજુ સેમસન (બેકઅપ)

આ પણ વાંચો : Asia Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન

એશિયા કપનું શેડયૂલ

(Credit- Jay Shah Tweet)

તમને જણાવી દઈએ કે ગયા વર્ષથી એશિયા કપના આયોજનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. લાંબી ચર્ચાઓ અને સમજૂતીઓ બાદ આખરે શ્રીલંકામાં તેનું આયોજન કરવા પાકિસ્તાન સાથે સહમતિ બની હતી. આ ‘હાઈબ્રિડ મોડલ’ હેઠળ, 13 મેચની ટૂર્નામેન્ટની 4 મેચો મૂળ યજમાન પાકિસ્તાનને આપવામાં આવી હતી અને ફાઈનલ સહિત 9 મેચ શ્રીલંકાને આપવામાં આવી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">