AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asia Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન

એશિયા કપ 2023 માટે ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)ની જાહેરાત કરવામાં આવી હતી. એશિયા કપની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થવાની છે. એશિયા કપમાં ભારત સાથે ગ્રુપમાં પાકિસ્તાન અને નેપાળ છે.

Asia Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમની થઇ જાહેરાત, 4 ગુજરાતી ખેલાડીઓને મળ્યું સ્થાન
Team India for Asia Cup 2023
Ishan Paliwal
| Edited By: | Updated on: Aug 21, 2023 | 7:11 PM
Share

Asia Cup 2023: એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા કેવી રહેશે, આ મોટા સવાલનો જવાબ હવે બધાની સામે છે. ભારતે તેની એશિયા કપ ટીમ પસંદ કરી છે. અજીત અગરકરના નેતૃત્વમાં ભારતીય પસંદગીકારો દિલ્હીમાં મળ્યા અને આ મોટું કામ પાર પાડ્યું. આ દરમિયાન ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્મા પણ હાજર હતા. 30 ઓગસ્ટથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એશિયા કપ 2023 માટે પોતાની ટીમની જાહેરાત કરી છે.ભારતીય પસંદગીકારોએ એશિયા કપ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. આ ટુર્નામેન્ટ 30 ઓગસ્ટથી 17 સપ્ટેમ્બર સુધી રમાશે.

30 ઓગસ્ટથી એશિયા કપની શરૂઆત

એશિયા કપ ટુર્નામેન્ટની શરૂઆત 30 ઓગસ્ટના રોજ થશે. પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે રમાશે. ટીમ ઇન્ડિયા 2 સપ્ટેમ્બરના રોજ પોતાની પ્રથમ મેચ રમશે. ભારતની પ્રથમ મેચ કટ્ટર હરીફ પાકિસ્તાન સામે રમાશે. બંનેની ટક્કર શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં થશે. ટુર્નામેન્ટમાં 6 ટીમો ટ્રોફી માટે સંઘર્ષ કરશે, જેમને એ અને બી એમ બે ગ્રુપમાં રાખવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન બંનેનો ગ્રુપ એ માં સમાવેશ કરવામાં આવ્યો છે. એશિયા કપના કાર્યક્રમની વાત કરીએ તો પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરના પાકિસ્તાન સામે અને 4 સપ્ટેમ્બરના રોજ નેપાળ સામે રમાશે.

સુપર 4 માં પણ થઇ શકે છે ભારત વિ પાકિસ્તાન

સુપર 4 માં 10 સપ્ટેમ્બરના રોજ પણ થઇ શકે છે ભારત અને પાકિસ્તાનની ટક્કર. ગ્રુપ એ ની ટોપ 2 ટીમ કોલંબોમાં ટકરાશે. એટલે કે ભારત અને પાકિસ્તાનની ફરીથી મેચ થવાની સંપૂર્ણ સંભાવના છે. જ્યારે 12 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ એ માં બીજા સ્થાન પરની ટીમ બી ગ્રુપની ટોપ ટીમ સામે રમશે જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ બી ગ્રુપની બીજા નંબરની ટીમ સામે રમશે.

એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ. સંજુ સેમસન (બેકઅપ)

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">