AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈશાન કિશન IPL 2024થી ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી, જાણો કોણે આમ કહ્યું?

ઈશાન કિશન દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ અધવચ્ચે જ છોડીને ભારત પાછો ફર્યો હતો. ત્યારથી ઈશાન સમાચારોમાં છે. તેના વિશે ઘણા મીડિયા રિપોર્ટ્સ આવ્યા હતા જેમાં ઈશાનના વર્તન વિશે ઘણી વાતો કહેવામાં આવી હતી. ઈશાન હવે ભૂતકાળને છોડીને આઈપીએલ 2024માં દમદાર પ્રદર્શન કરી ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા પ્રયાસ કરશે.

ઈશાન કિશન IPL 2024થી ટીમ ઈન્ડિયામાં કરશે વાપસી, જાણો કોણે આમ કહ્યું?
Ishan Kishan
| Updated on: Mar 05, 2024 | 5:52 PM
Share

ઈશાન કિશન છેલ્લા કેટલાક મહિનાઓમાં ખૂબ જ ચર્ચામાં છે. બીસીસીઆઈએ તાજેતરમાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી હતી પરંતુ તેમાં ઈશાનનું નામ નહોતું. ઈશાન રણજી ટ્રોફીમાં ઝારખંડ તરફથી રમ્યો ન હતો અને તેથી જ તે BCCI અને ટીમ ઈન્ડિયા મેનેજમેન્ટના નિશાના પર રહ્યો હતો. આ સિવાય સમાચાર એ પણ આવ્યા કે જ્યારે ટીમ મેનેજમેન્ટે તેને ઈંગ્લેન્ડ શ્રેણી દરમિયાન રમવા વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે તે પસંદગી માટે ઉપલબ્ધ નથી.

ઈશાન કિશન આઈપીએલમાં રમતો જોવા મળશે

અનેક અફવાઓ અને વિવાદો વચ્ચે ઈશાન કિશને ડીવાય પાટીલ ટૂર્નામેન્ટમાં વાપસી કરી અને હવે બધા તેના આઈપીએલમાં રમવાની રાહ જોઈ રહ્યા છે. ભૂતપૂર્વ ભારતીય ઓપનર આકાશ ચોપરાનું માનવું છે કે ઈશાન આઈપીએલ દ્વારા નેશનલ ટીમમાં વાપસી કરી શકે છે.

IPL ઈશાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ

ઈશાનને દેશનું ભવિષ્ય માનવામાં આવે છે. તેને સતત ટીમમાં જગ્યા મળી રહી હતી. જોકે, તે પ્લેઈંગ-11માં નિયમિત જગ્યા બનાવી શક્યો ન હતો. આ કારણોસર, તે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન ગુસ્સે થયો હતો અને માનસિક વિરામનું કારણ આપીને પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. હવે તે BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર છે અને આવી સ્થિતિમાં 22 માર્ચથી શરૂ થનારી IPL ઈશાન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ આઈપીએલમાં તે રનનો પહાડ બનાવીને ટીમ ઈન્ડિયામાં વાપસીનો દાવો મજબૂત કરી શકે છે.

આકાશ ચોપરાએ શું કહ્યું?

આકાશ ચોપરાના મતે, જો ઈશાન આઈપીએલ 2024માં જોરદાર પ્રદર્શન કરશે અને ઘણા રન બનાવશે તો તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે. આ વાત આકાશે પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતા કહી હતી. આકાશે કહ્યું કે, ઈશાન ભૂખ્યો હોવો જોઈએ કારણ કે તેની પાસે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ નથી. તેણે કહ્યું કે ઈશાન હવે માત્ર આઈપીએલ રમી રહ્યો છે અને આ સારી તક છે. જો તે આઈપીએલમાં રન બનાવશે તો તેને આગળ વધવાની તક મળશે.

IPLમાં ઈશાન-રોહિતની ઓપનિંગ જોડી?

ઈશાન આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. મુંબઈની અડધી મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આકાશે કહ્યું કે આ ઈશાન માટે સારી વાત છે કારણ કે વાનખેડેની પિચ તેને મદદ કરશે. બોલ બેટ પર સરળતાથી આવશે. તેણે કહ્યું કે IPL-2024માં ઈશાન કિશન અને રોહિત શર્મા ત્રીજી ઓપનિંગ જોડી બની શકે છે જે ઘણા રન બનાવી શકે છે.

આ પણ વાંચો : તામિલનાડુને હરાવી મુંબઈ 48મી વખત રણજી ટ્રોફીની ફાઈનલમાં પ્રવેશ્યું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
શ્રમિક સુવિધા કેન્દ્રોના નામે માત્ર 'શેડ અને ઓટલા'!
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
Iran War Impact: વડોદરામાં હોટેલ રેસ્ટોરન્ટ સંચાલકોની મુશ્કેલી વધી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અનેક શહેરોની પાસપોર્ટ ઓફીસ અને યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
સાણંદ GIDCના ગેસ આધારિત ઉદ્યોગોને અપાતા ગેસમાં 50 % કાપ
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખાડી દેશોમાં બટાટાની નિકાસ અટકી જતા ભાવમાં કડાકો, ખેડૂતોને નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ખેડાના પીઠાઈ ગામની પ્લાયવુડ કંપનીમાં ભીષણ આગ, લાખો રુપિયાનું નુકસાન
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
ગેસ સંકટને લીધે લાખો લોકોની રોજગારી પર સંકટ!
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય: ઋષિકેશ પટેલ
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
g clip-path="url(#clip0_868_265)">