AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 મેગા ઓક્શન પહેલા મોટી જાહેરાત, મુંબઈ છોડી લખનૌમાં જોડાયો ઝહીર ખાન

ઝહીર ખાન છેલ્લા ઘણા વર્ષોથી 5 વખતના IPL ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો, જ્યાં તે ડિરેક્ટર ઓફ ક્રિકેટ હતો અને બાદમાં ગ્લોબલ ક્રિકેટ ડેવલપમેન્ટનો હેડ બન્યો હતો. ઝહીર ખાને તેની IPL કરિયરમાં 100 મેચ રમી હતી અને તેમાં 102 વિકેટ લીધી હતી. હવે ભારતનો આ સૌથી સફળ ફાસ્ટ બોલર IPLમાં નવી ફ્રેન્ચાઈઝી સાથે જોડાયો છે અને નવી ભૂમિકામાં જોવા મળશે.

IPL 2025 મેગા ઓક્શન પહેલા મોટી જાહેરાત, મુંબઈ છોડી લખનૌમાં જોડાયો ઝહીર ખાન
Zaheer Khan
| Updated on: Aug 28, 2024 | 4:30 PM
Share

IPL 2025 સિઝનની મેગા હરાજી પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે તેના તરંગમાં વધુ એક તીર ઉમેર્યું છે. લખનૌ સુપર જાયન્ટ્સે ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને સાઈન કર્યો છે. લખનૌએ ડાબા હાથના સ્ટાર ફાસ્ટ બોલર ઝહીરને નવી સિઝન માટે ટીમ મેન્ટર તરીકે નિયુક્ત કર્યો છે.

ઝહીર ખાન લખનૌ સુપર જાયન્ટ્સનો મેન્ટર

ઝહીર ખાને લખનૌ સુપર જાયન્ટ્સમાં ગૌતમ ગંભીરની જગ્યા લીધી છે. ટીમ ઈન્ડિયાનો ગૌતમ ગંભીરે વર્તમાન કોચ ગૌતમ ગંભીર લખનૌની પહેલી બે સિઝનમાં ફ્રેન્ચાઈઝીનો મેન્ટર હતો. બુધવાર 28 ઓગસ્ટના રોજ કોલકાતામાં એક પ્રેસ કોન્ફરન્સમાં ઝહીરને નવા મેન્ટર તરીકે રજૂ કર્યો હતો.

ઝહીર ગૌતમ ગંભીરનું સ્થાન લેશે

લખનૌની પહેલી સિઝનથી જ ગંભીર આ ફ્રેન્ચાઈઝીનો મેન્ટર હતો અને સતત બે સિઝન સુધી ટીમનો ભાગ રહ્યો. આ સમયગાળા દરમિયાન, લખનૌએ બંને સિઝનમાં પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું હતું. જો કે, ગંભીરે ગયા વર્ષે ટીમ છોડી દીધી હતી અને ત્યારબાદ તે કોલકાતા નાઈટ રાઈડર્સનો મેન્ટર બન્યો હતો, જ્યાં તેણે KKRને IPL 2024માં ચેમ્પિયન બનાવ્યું હતું. જ્યારે લખનૌ આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાનું ચૂકી ગયું હતું. આવી સ્થિતિમાં, ફ્રેન્ચાઈઝીએ ફરીથી માર્ગદર્શકની નિમણૂક કરવાનો નિર્ણય કર્યો છે.

ઝહીર મુંબઈ છોડી લખનૌમાં જોડાયો

લગભગ 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ટીમ ઈન્ડિયા માટે 600થી વધુ વિકેટ ઝડપનાર ઝહીર ખાન છેલ્લા ઘણા વર્ષોથી IPL ટીમના સપોર્ટ સ્ટાફ તરીકે જોડાયેલા છે. ઝહીરે પોતે 100 IPL મેચ રમી હતી, તેણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે લાંબો સમય વિતાવ્યો હતો, જ્યાં તે થોડા વર્ષો માટે ફ્રેન્ચાઈઝીનો ક્રિકેટ ડિરેક્ટર હતો. આ પછી 2022માં, તેને બઢતી આપવામાં આવી અને તેને ફ્રેન્ચાઈઝીનો વૈશ્વિક ડેવલપમેન્ટ હેડ બનાવવામાં આવ્યો. લગભગ 2 વર્ષ સુધી આ પોસ્ટ પર રહ્યા પછી, ઝહીર લખનૌમાં જોડાવા માટે સંમત થયો છે.

ઝહીરની કારકિર્દી

45 વર્ષીય ઝહીરે ટીમ ઈન્ડિયા માટે 92 ટેસ્ટમાં 311 વિકેટ લીધી છે. ODIમાં તેણે 200 મેચમાં 282 વિકેટ લીધી છે. ઝહીર ખાને 100 IPL મેચ રમી અને તેમાં 102 વિકેટ લીધી. 2011માં રમાયેલા વર્લ્ડ કપમાં પણ ઝહીર ખાને સૌથી વધુ વિકેટ લઈને ટીમ ઈન્ડિયાની જીત સુનિશ્ચિત કરી હતી. IPLમાં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, દિલ્હી ડેરડેવિલ્સ (કેપિટલ) અને મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો.

આ પણ વાંચો: વિરાટ કોહલી જેના રેકોર્ડને તોડી ન શક્યો એ T20 વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીએ અચાનક લીધી નિવૃત્તિ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ એક્શનમાં, વાઘાણીનો કટાક્ષ
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
થાઈલેન્ડ-મલેશિયા મોકલાતું નશીલી દવાઓનું ષડયંત્ર ખુલ્લું પડ્યું
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચ પહેલા ટિકિટોની કાળાબજારી, પોલીસે ઝડ્યો
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
કચ્છના ભુજના આકાશમાં દેખાઈ રહસ્યમય રોશની
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
સુરતમાં પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
g clip-path="url(#clip0_868_265)">