AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળી, હવે આ ટીમે બનાવ્યો કેપ્ટન

ઋતુરાજ ગાયકવાડે ઝિમ્બાબ્વે પ્રવાસમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં શ્રીલંકા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. આનાથી તેના ચાહકો ખૂબ ગુસ્સે થયા હતા અને સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચાવ્યો હતો. CSK બાદ હવે તેને બીજી ટીમની કેપ્ટનશિપ કરવાની તક મળી છે.

ઋતુરાજ ગાયકવાડને ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મળી, હવે આ ટીમે બનાવ્યો કેપ્ટન
Ruturaj Gaikwad
| Updated on: Jul 29, 2024 | 4:46 PM
Share

ઋતુરાજ ગાયકવાડે IPL 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સનો હવાલો સંભાળ્યો હતો. આ પછી તેણે ફ્રેન્ચાઈઝી અને ટીમ ઈન્ડિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું. ગાયકવાડે ઝિમ્બાબ્વે પ્રવાસમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેમ છતાં શ્રીલંકા પ્રવાસ માટે તેની પસંદગી કરવામાં આવી ન હતી. મુખ્ય કોચ ગૌતમ ગંભીરે તેને T20 અને ODI શ્રેણીમાં તક આપી ન હતી. આનાથી તેના ચાહકો ખૂબ નિરાશ થયા હતા, પરંતુ હવે તેમના માટે સારા સમાચાર છે, કારણ કે મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને હવે તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. તે આગામી સ્થાનિક સિઝન દરમિયાન રણજી ટ્રોફીમાં મહારાષ્ટ્રની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. આ પહેલા આ જવાબદારી કેદાર જાધવના ખભા પર હતી.

મહારાષ્ટ્રે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો

IPLની છેલ્લી સિઝનમાં, ઋતુરાજ ગાયકવાડને ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીના અનુગામી તરીકે પસંદ કર્યો હતો. આ સિઝનમાં તેણે શાનદાર કપ્તાની કરી હતી, પરંતુ CSK પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શક્યું નથી. ઋતુરાજ ગાયકવાડે 14 મેચમાં 53ની એવરેજ અને 141ના સ્ટ્રાઈક રેટથી 583 રન બનાવ્યા. આ સિવાય તે ટીમ ઈન્ડિયા માટે સતત સારું પ્રદર્શન કરી રહ્યો છે. તેમની કેપ્ટનશિપમાં ભારતે એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પ્રદર્શન જોઈને મહારાષ્ટ્રે તેને પોતાનો કેપ્ટન બનાવ્યો છે.

શું ગાયકવાડ મહારાષ્ટ્રને મુશ્કેલીમાંથી બહાર કાઢશે?

છેલ્લી રણજી સિઝન મહારાષ્ટ્ર માટે સારી રહી ન હતી, હવે આ ટીમ ગાયકવાડની કપ્તાનીમાં સફળતા હાંસલ કરવા માંગે છે. મહારાષ્ટ્રની ટીમ 2023-24 સિઝન દરમિયાન 7 મેચમાંથી માત્ર 1 મેચ જીતવામાં સફળ રહી હતી. 3માં હાર અને 3 મેચ ડ્રો રહી હતી અને ગ્રુપમાં સાતમા સ્થાને રહી હતી. 11 ઓક્ટોબરથી શરૂ થનારી 2024-25 સિઝનમાં મહારાષ્ટ્રની પ્રથમ મેચ જમ્મુ-કાશ્મીર સામે થશે. આ માટે તેમણે 28 સભ્યોની ટીમની જાહેરાત કરી છે.

ગાયકવાડને તક કેમ ન મળી?

ભારતીય ટીમ T20 અને વનડે શ્રેણી માટે શ્રીલંકા પહોંચી ગઈ છે. આ પ્રવાસ પર જતા પહેલા મુખ્ય પસંદગીકાર અજીત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ગાયકવાડને પસંદ ન કરવા પાછળનું કારણ સમજાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતા અગરકરે કહ્યું કે ઝિમ્બાબ્વે પ્રવાસ પર કેટલાક ખેલાડીઓને તક આપવામાં આવી હતી, તેમાંથી કેટલાકે સારું પ્રદર્શન કર્યું છે. જો ટીમને તેની જરૂર હોય તો તેને રમવા માટે બોલાવી શકાય છે.

આ પણ વાંચો: પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે સ્વીકારી લીધી હાર, આખરે લીધો આટલો મોટો નિર્ણય

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">