World Cup 2023: ભારત-પાકિસ્તાન મહા મહામુકાબલાની ટિકિટોનું આ તારીખથી થશે વેચાણ

ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાનાર હાઈવોલ્ટેજ મેચની ટિકિટનું બુકિંગ 3 સપ્ટેમ્બરથી કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસે, ચાહકોએ એક નાનું કાર્ય કરવું પડશે, પછી તેઓ ભારત-પાકિસ્તાન સહિત વિશ્વ કપની મેચોની ટિકિટ ખરીદી શકશે.

World Cup 2023: ભારત-પાકિસ્તાન મહા મહામુકાબલાની ટિકિટોનું આ તારીખથી થશે વેચાણ
World Cup 2023 Tickets
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2023 | 1:55 PM

વર્લ્ડ કપ 2023નું અપડેટ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ભારત-પાકિસ્તાન સહિત 9 મેચોની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ટક્કર અગાઉ 15મી ઓક્ટોબરે યોજાવાની હતી, પરંતુ હવે આ હાઈવોલ્ટેજ મેચ અમદાવાદમાં 14મી ઓક્ટોબરે જ રમાશે. ICCએ એક દિવસ પહેલા સુધારેલા સમયપત્રકની જાહેરાત કરી હતી. સુધારેલા સમયપત્રકની સાથે, ચાહકો કેવી રીતે વર્લ્ડ કપ મેચોની ટિકિટ (Tickets) ખરીદી શકે તે વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

ICCએ ટ્વિટ કરી આપી જાણકારી

ચાહકો કેવી રીતે વર્લ્ડ કપ મેચ માટે ટિકિટ ખરીદી શકશે તે અંગે ICCએ જાણકારી આપી છે. ICC દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખમાં 15 ઓગસ્ટ દરેક ચાહકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જ્યારે ચાહકો 3 સપ્ટેમ્બરથી ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ ખરીદી શકશે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

25 ઓગસ્ટથી ટિકિટોનું વેચાણ શરૂ

વર્લ્ડ કપની મેચોની ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી શરૂ થશે, પરંતુ તે પહેલા ભારતીય ચાહકોએ સ્વતંત્રતા દિવસ, 15 ઓગસ્ટના રોજ થોડું કામ કરવું પડશે, ત્યારબાદ 10 પછી કાઉન્ટર પરથી ટિકિટ ખરીદવી તેમના માટે સરળ બનશે. ICCએ જાહેરાત કરી છે કે ટિકિટોનું વેચાણ તબક્કાવાર થશે. ભારતની મેચોની ટિકિટ 31મી ઓગસ્ટથી ઉપલબ્ધ થશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે રમાનાર હાઈવોલ્ટેજ મેચની ટિકિટનું બુકિંગ 3 સપ્ટેમ્બરથી કરવામાં આવશે.

15 ઓગસ્ટનો દિવસ ચાહકો માટે મહત્વપૂર્ણ

ICCએ ચાહકોને તેમની વેબસાઈટ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાની પણ સલાહ આપી છે, જેની લિંક 15 ઓગસ્ટથી સક્રિય થઈ જશે. જેના કારણે તેઓ ટિકિટના વેચાણ અંગે નિયમિત અપડેટ મેળવતા રહ્યા. ICCનું કહેવું છે કે ટિકિટ અપડેટથી ચાહકોને વર્લ્ડ કપ મેચોમાં તેમનું સ્થાન બુક કરવામાં મદદ મળશે. 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ચાલનારી આ ટુર્નામેન્ટ માટે ટિકિટનું બુકિંગ ઓનલાઈન કરવામાં આવશે નહીં. ઈ-ટિકિટ માટે કોઈ વિકલ્પ નથી. આવી સ્થિતિમાં ચાહકોએ કાઉન્ટર પરથી જ ટિકિટ લેવી પડશે.

આ પણ વાંચોઃ ODI વર્લ્ડ કપ પહેલા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં લાગી આગ, ડ્રેસિંગ રૂમની વસ્તુઓ બળીને ખાખ

6  તબક્કામાં ટિકિટોનું વેચાણ

25 ઑગસ્ટ – બિન-ભારતીય પ્રેક્ટિસ મેચો અને તમામ બિન-ભારતીય ઇવેન્ટ મેચો

30 ઓગસ્ટ – ભારતની વોર્મ-અપ મેચોની ટિકિટ

31 ઓગસ્ટ – ઓસ્ટ્રેલિયા, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામેની ભારતની મેચોની ટિકિટ

સપ્ટેમ્બર 1 – ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામેની ભારતની મેચોની ટિકિટ

સપ્ટેમ્બર 2 – નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામેની ભારતની મેચોની ટિકિટ

3 સપ્ટેમ્બર- ​​અમદાવાદમાં રમાનારી ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ

5 સપ્ટેમ્બર – સેમિ-ફાઇનલ અને ફાઇનલ માટે ટિકિટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">