Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : World Cup 2023 : ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી, આ ખેલાડીની જગ્યાએ રમશે વર્લ્ડ કપ

BCCIએ વર્લ્ડ કપ માટે ફાઈનલ ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. પહેલા જાહેર કરેલ ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઈજાગ્રસ્ત અક્ષર પટેલના સ્થાને અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અશ્વિનની વર્લ્ડ કપમાં એન્ટ્રી થઈ ગઈ છે. 28 સપ્ટેમ્બર વિશ્વ કપ ટીમમાં ફેરફારની છેલ્લી તારીખ હતી અને BCCIએ ગુરુવારે ટીમમાં એક ફેરફાર સાથે ટીમની જાહેરાત કરી હતી, જે અંગે ICCએ ટ્વિટ કરી જાણકારી આપી હતી.

Breaking News : World Cup 2023 : ટીમ ઈન્ડિયામાં રવિચંદ્રન અશ્વિનની એન્ટ્રી, આ ખેલાડીની જગ્યાએ રમશે વર્લ્ડ કપ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 8:34 PM

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) માટે ભારતીય ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઈજાગ્રસ્ત ઓલરાઉન્ડર અક્ષર પટેલની જગ્યાએ અનુભવી ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin) ને ટીમમાં સામેલ કર્યો છે. અક્ષર પટેલ એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, જે બાદ એવી આશંકા હતી કે તે વર્લ્ડ કપની ટીમમાંથી તે બહાર થઈ જશે. છેવટે, અક્ષર સંપૂર્ણ રીતે સાજો થઈ શક્યો ન હતો અને ટીમમાં ફેરફારની છેલ્લી તારીખે પસંદગી સમિતિએ અશ્વિનને ટીમ ઈન્ડિયા (Team India) માં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. અશ્વિન 2015 બાદ ફરી ODI વર્લ્ડ કપનો ભાગ બનશે.

ઓસ્ટ્રેલિયા સામે અશ્વિનનું જોરદાર પ્રદર્શન

વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે ત્રણ મેચની વનડે સીરિઝ રમી હતી. અશ્વિનને આ શ્રેણીમાં સ્થાન મળ્યું છે. અશ્વિને આ સિરીઝમાં જોરદાર પ્રદર્શન કર્યું અને ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. ખાસ કરીને ઈન્દોરની સપાટ પિચ પર અનુભવી ઓફ સ્પિનરે 3 વિકેટ લઈને ટીમ ઈન્ડિયાને મોટી જીત અપાવી હતી. ત્યારથી અશ્વિન ટીમ સાથે જોડાશે તે નિશ્ચિત માનવામાં આવતું હતું.

દહીંમાં હિંગ ભેળવીને ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે?
શું કાકડીના સલાડમાં મીઠું નાખવું જોઈએ?
આજનું રાશિફળ તારીખ : 10-04-2025
41.7 કરોડ… IPL 2025માં આ મેચને મળી સૌથી વધુ વ્યૂઅરશીપ
RJ મહવશે યુઝવેન્દ્ર ચહલ માટે કહી દીધી મનની વાત ! જુઓ Photos
Ghee For Health : ઉનાળામાં કેટલું દેશી ઘી ખાવું જોઈએ? જાણી લો

રોહિત અશ્વિન સાથે સતત સંપર્કમાં હતો

BCCIએ 5 સપ્ટેમ્બરે વર્લ્ડ કપ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવ સિવાય અક્ષરને આ ટીમમાં ત્રીજા સ્પિનર ​​તરીકે સ્થાન મળ્યું છે. જોકે, એશિયા કપમાં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન અક્ષરને જાંઘમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ફાઈનલમાં રમી શક્યો ન હતો. તેમની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને બોલાવવામાં આવ્યો હતો. જોકે, ફાઈનલ બાદ કેપ્ટન રોહિતે કહ્યું હતું કે સુંદર સિવાય અશ્વિન પણ આ જગ્યાનો દાવેદાર છે અને તે ટૂર્નામેન્ટ દરમિયાન અશ્વિન સાથે સતત ફોન પર વાત કરતો હતો.

આ પણ વાંચો : Ahmedabad: વર્લ્ડ કપ માટે નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર, પહેલી મેચ 5 ઓક્ટોબરે રમાશે, જુઓ Video

ગુવાહાટીમાં અશ્વિન ટીમ સાથે જોવા મળ્યો

ઓસ્ટ્રેલિયા સામેની વનડે શ્રેણીની પ્રથમ અને બીજી મેચમાં સુંદરને બદલે માત્ર અશ્વિનને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી હતી. બંને મેચમાં અશ્વિને ખૂબ જ સારી બોલિંગ કરી હતી અને 4 વિકેટ લીધી હતી. આ પછી નક્કી કરવામાં આવ્યું હતું કે જો અક્ષર સંપૂર્ણપણે ફિટ નહીં થાય તો માત્ર અશ્વિનને જ સામેલ કરવામાં આવશે. ગુરુવારે સાંજે જ્યારે ટીમ ઈન્ડિયા તેની પ્રેક્ટિસ મેચ માટે ગુવાહાટી પહોંચી ત્યારે અક્ષરને બદલે અશ્વિન ટીમ સાથે જોવા મળ્યો અને આનાથી તમામ અટકળોનો અંત આવ્યો હતો.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાય તેવી આગાહી
"CM દાદા" ચીપ્યો બદલીનો ગંજીફો, કિ પોસ્ટ પરથી આ અધિકારીઓ બદલાયા
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
લાતી પ્લોટ વિસ્તારમાંથી ઝડપાઈ 110 કિલો અખાદ્ય હિંગ કરાયો નાશ
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
ગોત્રી રોડ પર નશાની હાલતમાં સર્જ્યો અકસ્માત, CCTV આવ્યા સામે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી - ખડગે
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાના સંકેત
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
ગુજરાતમાં ગરમીનો કહેર, આ જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને બનાવી શકે છે ઈલેક્શન કમિટીની ચેરપર્સન- સૂત્ર
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
હવે જમીનના હેતુફેરની પ્રક્રિયા થશે સરળ, સરકારે કર્યા આ ચાર મોટા નિર્ણય
g clip-path="url(#clip0_868_265)">