AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : IND vs ENG T20 મેચના સમયમાં થયો ફેરફાર, ઇંગ્લેન્ડે અચાનક આવો નિર્ણય કેમ લીધો?

ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ગયા વર્ષે T20 સીરિઝના સમયની જાહેરાત કરી હતી. જોકે, હવે, સીરિઝ શરૂ થાય તેના ત્રણ અઠવાડિયા પહેલા, બોર્ડે અચાનક ત્રણ મેચના સમયમાં ફેરફાર કર્યો છે.

Breaking News : IND vs ENG T20 મેચના સમયમાં થયો ફેરફાર, ઇંગ્લેન્ડે અચાનક આવો નિર્ણય કેમ લીધો?
| Updated on: Jun 09, 2026 | 7:39 AM
Share

ભારતીય ટીમ આગામી કેટલાક દિવસમાં આયરલેન્ડ અને ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થશે. આ પ્રવાસ દરમિયાન ટી20 ટીમની જાહેરાત થઈ ચૂકી છે. ઈંગ્લેન્ડ વિરુદ્ધ સીરિઝમાં હજુ અંદાજે 3 અઠવાડિયાનો સમય બાકી છે પરંતુ તે પહેલા ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે એક મોટો નિર્ણય લીધો છે. ઈસીબીએ 5 ટી20 મેચની સીરિઝના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ સીરિઝના 3 ડે-નાઈટ મેચ હવે નક્કી કરેલા સમયથી એક કલાક પહેલા શરુ થશે. આ નિર્ણયનું કારણ ટીવી પર વધારે વ્યુઅરશિપ મેળવવાનું છે.

હવે કેટલાક કલાકે મેચ શરુ થશે?

ઈએસપીએન-ક્રિકઈન્ફ્રોના રિપોર્ટ મુજબ 5માંથી 3 ટી20 મેચ ડે-નાઈટ હશે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે ગત્ત વર્ષે આ ટી20 સીરિઝનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. ત્યારે આ ડે નાઈટ મેચના ટાઈમિંગ ભારતીય સમયઅનુસાર 11 વાગ્યનો નક્કી કરવામાં આવ્યો હતો. પરંતુ હવે સીરિઝ શરુ થયાના થોડા દિવસ પહેલા ઈગ્લિશ બોર્ડે આમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો. હવે, ત્રણેય મેચ રાત્રે 10 વાગ્યે શરૂ થશે.

ઈંગ્લેન્ડે કેમ અચાનક આવો નિર્ણય લીધો?

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઈસીબીએ આ નિર્ણય સીરિઝના બ્રોડકાસ્ટર સાથે ચર્ચા બાદ લીધો છે. કારણ સ્પષ્ટ છે. ટીમ ઈન્ડિયાની મેચ જોનારની સંખ્યા કોઈ પણ અન્ય દેશથી વધારે થાય છે. પછી તે સ્ટેડિયમ હોય કે,ટીવી ઓટીટી પર. જેને લઈ બ્રોડકાસ્ટર પણ એ પ્રયત્ન કરે છે કે, મેચ એવા સમયે જોવામાં આવે. જ્યારે ભારતીય ચાહકો મેચ જોઈ શકે, આનો ફાયદો બ્રોડકાસ્ટરથી વધારે કમાણીના રુપમાં થાય છે. જેનો ફાયદો ક્રિકેટ બોર્ડ સુધી પહોંચે છે.

તમને જણાવી દઈએ કે, કોઈ પણ દેશના ક્રિકેટ બોર્ડથી વધારે ફાયદો ભારતીય ટીમના પ્રવાસથી થાય છે. ગત્ત વર્ષે ઈંગ્લેન્ડમાં ભારતની સાથે ટેસ્ટ સીરિઝથી ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને મોટો ફાયદો થયો હતો. જે આ વર્ષે પણ આશા રાખવામાં આવી રહી છે. પરંતુ ટેસ્ટ સીરિઝની તુલનામાં વનડે અને ટી20 સીરિઝથી થનારી કમાણી થોડી ઓછી રહેવાની આશા છે પરંતુ આ સીરિઝ અન્ય સીરિઝ કરતા ફાયદાકારક સાબિત થશે.

આ સીરિઝની શરુઆત 1 જુલાઈથી થશે. જ્યારે ટીમ ઈન્ડિયા આયરલેન્ડમાં 2 ટી20 મેચ રમી ઈંગ્લેન્ડ પહોંચી છે. આ પ્રવાસ પહેલા 5 ટી20 મેચ રમાશે. શ્રેયસ અય્યર કેપ્ટનશીપ કરશે. આ સીરિઝ પછી 3 વનડે મેચ પણ બંન્ને ટીમ વચ્ચે રમાશે. વનડે સીરિઝ માટે હાલ ટીમની જાહેરાત થઈ નથી.

ઈંગ્લેન્ડને ક્રિકેટનું જન્મસ્થળ માનવામાં આવે છે. પ્રથમ સત્તાવાર ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. અહી ક્લિક કરો

 

Follow Us
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
રશિયામાં ભારતીયો બંધક: આરોપી રિમ્પલ પટેલ કેસમાં ચોંકાવનારો ખુલાસો
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
વડોદરાના અડધોઅડધ વિસ્તારોમાં 30 દિવસ સુધી રહેશે પાણીકાપ
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
દાંતીવાડામાં બેફામ ખનીજ ચોરી, યુવકના મોત બાદ કલેક્ટર કચેરીએ મોરચો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
ભાજપના સાંસદે કહ્યું મંદિરમાં વિદેશી નહીં દેશી દારૂ ચઢાવો
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
પાણીને લઈને તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની રમત?
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
ગોતામાં પ્રદૂષિત પાણી મામલો, હવે પીવાલાયક જાહેર
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, મુસ્લિમ ભક્તે પણ લીધા આશીર્વાદ
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
સ્કૂલ પરિવહન મોંઘું બનશે? આજે સાંજે બેઠકમાં થશે અંતિમ નિર્ણય
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
રાશિફળ: કલાત્મક ક્ષમતાથી થશે અચાનક લાભ, પ્રવાસ સુખદ અને શૈક્ષણિક રહેશે
g clip-path="url(#clip0_868_265)">