AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Neeraj chopra ને વિશેષ સન્માન મળશે, સેના આ સ્પોર્ટસ સંસ્થાનું નામ ખેલાડીના નામ પરથી રાખશે

નીરજ ચોપરાએ ટોક્યો ઓલિમ્પિક -2020માં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને તે એથ્લેટિક્સમાં ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડી છે.

Neeraj chopra ને વિશેષ સન્માન મળશે, સેના આ સ્પોર્ટસ સંસ્થાનું નામ ખેલાડીના નામ પરથી રાખશે
Neeraj chopra ને વિશેષ સન્માન મળશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 3:35 PM
Share

Neeraj chopra : પુણેમાં આર્મી સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ (Army Sports Institute)નું નામ હવે બદલાશે. ટોક્યો ઓલિમ્પિક -2020 માં ગોલ્ડ મેડલ જીતનાર બરછી ફેંકનાર નીરજ ચોપરા (Neeraj Chopra)ના નામ પર રાખવામાં આવશે. નીરજ સેનામાં સુબેદાર છે. ઈન્ડિયન એક અહેવાલ મુજબ, આ સંદર્ભે એક સમારોહ 23 ઓગસ્ટના રોજ યોજાશે જેમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ભાગ લેશે.

આ પ્રસંગે રાજનાથ સિંહ (Rajnath Singh) સેનાના 16 ઓલિમ્પિયનોનું પણ સન્માન કરશે. નીરજને 2016 માં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ નાયબ સુબેદાર તરીકે ભારતીય સેનામાં સ્થાન મળ્યું હતું. તેમણે લાંબા સમયથી અહીં કોચિંગ કર્યું છે. આ સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટ (Sports Institute)ની સ્થાપના 2002 માં મિશન ઓલિમ્પિક કાર્યક્રમ હેઠળ કરવામાં આવી હતી. તે એક મલ્ટી સ્પોર્ટસ સ્ટેડિયમ છે જેમાં તીરંદાજી, એથ્લેટિક્સ, બોક્સિંગ, ડાઇવિંગ, કુસ્તી, ફેન્સીંગ અને વેઇટલિફ્ટિંગ (Weightlifting)નો સમાવેશ થાય છે.

“રાજનાથ સિંહ સેનાના 16 ખેલાડીઓનું સન્માન કરશે જેમણે ટોક્યો ઓલિમ્પિક -2020 (Tokyo Olympics)માં ભાગ લીધો હતો. તેમની હાજરીમાં જ આ સ્પોર્ટસ ઇન્સ્ટિટ્યૂટનું નામ નીરજ ચોપરા સ્પોર્ટ્સ સ્ટેડિયમ તરીકે રાખવામાં આવશે. આ સમારંભમાં સેના પ્રમુખ જનરલ એમ.એમ. નરવણે અને દક્ષિણ આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ જેએસ નૈન પણ હાજર રહેશે. રાજનાથ સિંહ સંસ્થામાં સામાન્ય સભામાં હાજરી આપશે.

નીરજ પર પુરસ્કારોનો વરસાદ

જ્યારથી નીરજ ટોક્યોથી ગોલ્ડ મેડલ લઈને પાછો ફર્યો. તેમના પર ઇનામો વરસાવવામાં આવ્યા હતા. તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ સરકારે તેમને 2 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી. પંજાબ સરકારે પણ તેમને 2 કરોડ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

હરિયાણા સરકારે તેમને 6 કરોડના ઈનામની જાહેરાત પણ કરી હતી. તેમજ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે તેમને પંચકુલામાં સેન્ટર ઓફ એક્સેલન્સના વડા બનાવવાની જાહેરાત કરી હતી.બીસીસીઆઈએ નીરજ માટે ઈનામની જાહેરાત પણ કરી હતી. જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે (Indian Cricket Board) નીરજને 2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી, આઈપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સે પણ ચોપરાને 1 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું.

ચેન્નાઇ સુપર કિંગ્સે આ અંગેની જાણકારી ટ્વીટર દ્વારા આપી હતી. તેઓએ લખ્યુ હતુ કે, તેમની શાનદાર ઉપલબ્ધી પર પ્રશંસા અને સન્માનના પ્રતિક રુપે સીએસકે નિરજ (Neeraj Chopra)ને 1 કરોડ રુપિયા પુરસ્કાર આપી રહ્યુ છે. ફ્રેન્ચાઇઝી નીરજના સન્માનમાં 8758 નંબર ધરાવતી એક વિશેષ જર્સી પણ બનાવશે.

પુરુષોના જૈવલિન થ્રોના ઓલિમ્પિક (Olympic) ચેમ્પિયનનું આ નવું લક્ષ્ય છે. ટોક્યોથી પાછા ફરતા જ તેણે પોતાનું આગામી લક્ષ્ય નક્કી કર્યું છે. હવે તેની નજર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ (World Athletics Championships) માં પોતાના નામનો ડંકો વગાડવાનો છે.

આ પણ વાંચો : PM modi એ “ઓણમ” તહેવાર નિમિતે દેશવાસીઓને શુભકામના પાઠવી, કહ્યું સકારાત્મકતા અને ભાઈચારાનું પ્રતિક છે આ તહેવાર

આ પણ વાંચો : OMG : આ ગામમાં ભાઈઓએ 300 વર્ષથી બહેનો પાસે રાખડી બંધાવી નથી, જાણો શું છે કારણ

g clip-path="url(#clip0_868_265)">