Tata AIG Car Insuranceની ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ શા માટે આટલી ખાસ છે?

કાર ઈન્સ્યોરન્સમાં (Car Insurance) ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમને યોગ્ય રીતે અને અસરકારક રીતે વિકલ્પોનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. આ મહત્વને સમજીને, ટાટા એઆઈજી કાર વીમો તમને સમયસર રિસપોન્સ મળે તેની ખાતરી કરે છે. આ સાથે જ તમને ક્લેમની રકમ ઝડપથી મોકલવાથી તમને પણ રાહતનો શ્વાસ મળશે.

Tata AIG Car Insuranceની ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ શા માટે આટલી ખાસ છે?
Tata AIG Car Insurance
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 29, 2023 | 2:16 PM

કાર વીમો ખરીદવાનો મૂળ હેતુ શું છે? તેનો સીધો સંબંધ ક્લેમ સેટલમેન્ટનો લાભ આપીને તમારી કારના રિપેરિંગ અને મેઈનટેનેન્સ ખર્ચમાં નાણાકીય મદદ પૂરી પાડવા સાથે છે. કાર ઈન્સ્યોરન્સમાં ક્લેમ સેટલમેન્ટની પ્રોસેસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે તમને યોગ્ય રીતે અને અસરકારક રીતે વિકલ્પોનો ઉપયોગ કરવામાં મદદ કરે છે. આ મહત્વને સમજીને, ટાટા એઆઈજી કાર વીમો તમને સમયસર રિસ્પોન્સ મળે તેની ખાતરી કરે છે. આ સાથે જ તમને ક્લેમની રકમ ઝડપથી મોકલવાથી તમને પણ રાહતનો શ્વાસ મળશે.

અહીં કેટલીક ટીપ્સ છે જે તમને ટાટા એઆઈજી કાર ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસને સમજવામાં મદદ કરશે. Tata AIG Car Insurance એ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટર વાહન વીમા કંપનીઓમાંની એક છે.

અમે તમને જણાવવાનું શરૂ કરીએ તે પહેલાં, ચાલો જાણીએ કે ઈન્સ્યોરન્સમાં ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસનો અર્થ શું છે?

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

કાર ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ શું છે?

કાર ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસનો અર્થ એ છે કે તમે વીમા કંપનીની સામે ક્લેમની રિક્વેસ્ટ મોકલો છો અને કાર ઈન્સ્યોરન્સ કંપની તમારા દાવાની આકારણી કરે છે અને તમને વીમાની રકમ આપે છે. હવે વીમા કંપની કાર અકસ્માત, ચોરી અથવા અન્ય કોઈપણ નુકસાન અને વીમામાં તેના કવરના આધારે તમારા દાવાની આકારણી કરે છે, તે પછી જ તમને દાવાની રકમ આપવામાં આવે છે.

ક્લેમ ડિટેલ્સની સત્યતા તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસીના નિયમો અને શરતોના આધારે ચકાસવામાં આવે છે. તેના આધારે નક્કી કરવામાં આવે છે કે તમને કેટલું વીમા કવર અથવા વળતર મળશે.

ટાટા એઆઈજી ખાતે અમે આ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસને સરળ બનાવી છે. તેનો લાભ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મેળવી શકાય છે. અમારી પાસે સમગ્ર ભારતમાં 650+ ક્લેમ એક્સપર્ટ અને 6900+ ગેરેજ છે જે તમને ગમે ત્યારે, ગમે ત્યાં બેસ્ટ અને સરળ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસને લાભ આપે છે.

ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસમાં શું કરવાની જરૂર છે?

ઓનલાઈન ક્લેમ સેટલમેન્ટ પ્રક્રિયા ખૂબ જ સરળ છે. તે તમારો સમય બચાવે છે અને સૌથી અગત્યનું તે ખૂબ ખર્ચ-અસરકારક છે. અહીં તેની સ્ટેપ બાય સ્ટેપ વિગત આપવામાં આવી છે.

કાર ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ માટે રજિસ્ટર કરો

જો તમારી કાર અકસ્માતનો શિકાર બને છે અથવા આવી કોઈ ઘટના બને છે, જે તમારા ઈન્સ્યોરન્સ હેઠળ આવરી લેવામાં આવે છે. પછી તમારે તમારી અને તમારા સહ-યાત્રીઓની સલામતીની ખાતરી કર્યા પછી કાર ઈન્સ્યોરન્સનો દાવો શરૂ કરવો પડશે અને તમારે રજિસ્ટર કરાવવી પડશે. આ માટે

  • 1. સૌથી પહેલા Tata AIG Car Insuranceના પેજ પર જાઓ અને Claims પર ક્લિક કરો.
  • 2. હવે Initiate Claim પર ક્લિક કરો.
  • 3. કાર ઈન્સ્યોરન્સ પોલિસી નંબર આપવાની સાથે, તમારી અન્ય વ્યક્તિગત વિગતો જેમ કે નામ, મોબાઇલ નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર અને અન્ય વિગતો ભરો.
  • 4. ઘટનાની વિગતો આપો.
  • 5. જો તે અકસ્માત છે, તો એફઆઈઆરની કોપી અપલોડ કરો.
  • 6. જો કોઈ થર્ડ-પાર્ટી અથવા થર્ડ-પાર્ટીની પ્રોપર્ટી અથવા વાહનને નુકસાન થયું હોય, તો તેના વિશે જાણકારી આપો.
  • 7. આ પછી Submit પર ક્લિક કરો.

તમે ક્લેમ ટોલ-ફ્રી નંબર 1800-266-7780 પર કોલ કરીને પણ રજિસ્ટર કરાવી શકો છો.

કાર ઈન્સ્યોરન્સ ક્લેમ માટે જરૂરી દસ્તાવેજો

  • 1. ક્લેમ ફોર્મ
  • 2. અકસ્માતના કિસ્સામાં એફઆઈઆરની કોપી
  • 3. થર્ડ-પાર્ટીના નુકસાનના કિસ્સામાં વિરોધી પક્ષ દ્વારા મોકલવામાં આવેલી Legal Notice
  • 4. ચોરીના કિસ્સામાં પોલીસ દ્વારા જાહેર કરાયેલ ‘No Trace Report’
  • 5. નુકસાનના વળતરના કિસ્સામાં રિપેર બિલ
  • 6. વ્યક્તિગત અકસ્માતના દાવાના કિસ્સામાં હોસ્પિટલનું બિલ
  • 7. ગેરેજ દ્વારા કરવામાં આવેલ સમારકામ માટેનું ઓરિજિનલ ઈનવોઈસ.

ક્લેમ સેટલમેન્ટ નંબર રિસીવ કરો

ઉપર દર્શાવેલ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસને યોગ્ય રીતે પૂર્ણ કર્યા પછી, તમને ‘ક્લેમ સેટલમેન્ટ નંબર’ મળશે. તેને ભવિષ્ય માટે સુરક્ષિત રાખો કારણ કે તે પછીથી ક્લેમ સ્ટેટસ અને સેટલમેન્ટ સંબંધિત વાતચીતમાં ઉપયોગી થશે.

સ્વ-નિરીક્ષણ કરો

ક્લેમ રિક્વેસ્ટ સફળતાપૂર્વક સબમિટ કર્યા પછી, તમને ‘સેલ્ફ ઈન્સ્પેક્શન’ લિંક મળશે. તેને યોગ્ય રીતે ભરો, કારણ કે જ્યારે કંપની વતી સર્વે અધિકારી અથવા એક્સપર્ટને નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે મોકલવામાં આવશે ત્યારે તે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ તરીકે કામ કરશે.

નુકસાનનું મૂલ્યાંકન

તમે કાર ઈન્સ્યોરન્સનો દાવો જનરેટ કરો અને અન્ય તમામ ફરજિયાત દસ્તાવેજો પ્રદાન કરો તે પછી સર્વેક્ષણ અધિકારી તમારી કારને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરશે. આ પછી તે જોવામાં આવશે કે તમારી ઈન્સ્યોરન્સ પોલિસીમાં કયા નુકસાનને કવર કરવામાં આવે છે. એક્સપર્ટ તમારા ક્લેમ સેટલમેન્ટ ફોર્મને ખૂબ જ કાળજીપૂર્વક તપાસ કરે છે. તે પછી તમારા નુકસાનની સમીક્ષા કરવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે તમારું નુકસાન કેટલું મોટું છે. તેના આધારે, તમારા ક્લેમની રકમ નક્કી કરવામાં આવે છે.

રિપેરિંગ માટે લઈ જાવો તમારી કાર

સર્વેક્ષણ અધિકારીના રિપોર્ટ મુજબ Tata AIG ના એક્સપર્ટ તેમના 6900 થી વધુ ગેરેજના નેટવર્કમાંના એક ગેરેજમાં તમારી કાર માટે મુલાકાત શેડ્યૂલ કરશે. તમે તમારી કારને તમારી પસંદગીના આઉટ-ઓફ-નેટવર્ક ગેરેજમાં પણ લઈ જઈ શકો છો અને તેનું રિપેરિંગ કરાવી શકો છો.

જો તમે નેટવર્કવાળા ગેરેજમાં તમારી કારનું સમારકામ કરાવો છો, તો તમને કેશલેસ ક્લેમનો લાભ મળશે. આનો અર્થ એ છે કે ફક્ત Tata AIG Car Insurance જ તમારું બિલ સીધું ચૂકવે છે.

જો તમે નેટવર્કની બહારના ગેરેજમાં સમારકામ કરાવવાનું પસંદ કરો છો, તો તમારે તમારા પોતાના ખિસ્સામાંથી ખર્ચ ઉઠાવવો પડશે અને તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસી કવર મુજબ પછીથી વળતર મેળવવું પડશે.

કાર ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ

તમારી કારનું સમારકામ કર્યા પછી, Tata AIG Car Insurance તમારા ઈન્સ્યોરન્સ બોન્ડના આધારે તમારા ક્લેમની સેટલમેન્ટ કરે છે. આમાં, તમારી કાર પર ઉપલબ્ધ ઈન્સ્યોરન્સ કવર, તમારી ક્લેમ હિસ્ટ્રી, એડ-ઓન કવર, ઉપલબ્ધ દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે. આ પછી, કંપની દ્વારા સમારકામના ખર્ચ માટે સમાધાનની ઓફર કરવામાં આવે છે.

ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસને ટ્રેક કરો

Tata AIG Car Insuranceમાં અમે વીમા દાવાઓને ઝડપથી પતાવટ કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ હોવા છતાં, તમે કોઈપણ સમયે તમારી કાર ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસને ટ્રેક કરી શકો છો. તેની ઓનલાઈન પ્રક્રિયા ખૂબ જ સરળ છે.

  • 1. સૌથી પહેલા Tata AIG Car Insuranceના પેજ પર જાઓ અને Claims પર ક્લિક કરો
  • 2. હવે અહીં Track Claim પર ક્લિક કરો
  • 3. તમારી કાર ઈન્સ્યોરન્સ પોલિસી નંબર, ક્લેમ સેટલમેન્ટ નંબર જેવી વિગતો આપો. અહીં તમને ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસનું સ્ટેટસ મળશે.

કોઈપણ વધુ ક્વેરી માટે, તમે કંપનીના 24×7 કસ્ટમર કેયપ સાથે વાત કરી શકો છો.

કાર ઈન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેસ કરવામાં કેટલો સમય લાગે છે?

કાર ઈન્સ્યોરન્સ ક્લેમની પ્રોસેસ પૂર્ણ થવામાં અને તમને દાવાની રકમ જાહેર કરવામાં 7 થી 10 દિવસનો સમય લાગે છે. જો કે તેનો સમય પણ વધી શકે છે, તે દરેક વ્યક્તિના કેસ, વાહનનો વીમો અને નુકસાનની આકારણી પર આધાર રાખે છે.

Tata AIG Car Insuranceનો ક્લેમ સેટલમેન્ટ રેશિયો

Tata AIG Car Insurance હંમેશા તેની વિશ્વસનીય ગ્રાહક સપોર્ટ સિસ્ટમ માટે જાણીતો છે. Tata AIG એ નાણાકીય વર્ષ 2022-23માં 99% ક્લેમ સેટલમેન્ટ રેશિયોનો રેકોર્ડ બનાવ્યો છે. તેથી તમે ગેરેન્ટેડ અને ખાતરીપૂર્વકની દાવાની પ્રક્રિયા પર વિશ્વાસ કરી શકો છો.

તે આવશ્યક છે કે તમારી કાર માટે બેસ્ટ કાર ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદતા પહેલાં, તમારે અલગ અલગ કાર ઈન્સ્યોરન્સ કંપનીઓની યોજનાઓને કમ્પેયર કરવી જોઈએ અને તેમની સમીક્ષા કર્યા પછી જ યોગ્ય કાર ઈન્સ્યોરન્સ પોલિસી પસંદ કરવી જોઈએ.

સમજવા જેવી વાત

ata AIG Car Insuranceની ક્લેમ સેટલમેન્ટ પ્રોસેસ વિશે સમજવું જોઈએ કે તે એકદમ સરળ છે. તે જ સમયે જ્યારે તમને આર્થિક મદદની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે તે ખૂબ જ અસરકારક રીતે રિસપોન્સ આપે છે.

Tata AIG એ તેના એપ્રોચ, સરળ ઓનલાઈન પ્રક્રિયાઓ, ઓછા સમયનો વપરાશ અને મુશ્કેલી મુક્ત પ્રોસેસ સાથે ગ્રાહકો માટે કાર કાર ઈન્સ્યોરન્સ ક્લેમ સેટલમેન્ટને સરળ બનાવી છે. તેમાં ગેરેજનું વિશાળ નેટવર્ક છે, ક્લેમ સેટલમેન્ટ રેશિયો ઊંચો છે. કસ્ટમર્સના વિશ્વાસને જાળવી રાખવાની તેની પ્રતિબદ્ધતાને કારણે, તેણે ક્લેમની અમાઉન્ટ ઝડપથી પતાવટ કરી છે.

અહીં દર્શાવેલ પ્રોસેસ અને ટ્રેકિંગની સગવડ સાથે, તમે તમારા કાર ઈન્સ્યોરન્સના ક્લેમ સેટલમેન્ટને સરળતાથી પૂર્ણ કરી શકો છો. ધ્યાનમાં રાખો, સારી રીતે વિચારીને લીધેલો નિર્ણય વધુ સારા પરિણામો આપે છે.

Latest News Updates

નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
નવસારી નજીક દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં વરસાદને લઈને અંબાલાલ પટેલની આગાહી
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
પંચમહાલ : NEET પરીક્ષા ચોરી કૌભાંડ કેસમાં વધુ બે આરોપીની અટકાયત
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
હિન્દુવાદી નેતાઓને ધમકી આપવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર, કાછડિયા પર ભરત સૂતરિયાના આકરા પ્રહાર
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
કેરી રસિકો માટે માઠા સમાચાર, 10 કિલો કેરીનીં કિંમત રું.1500 પહોંચી
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
ધોરણ-10ના 117 જેટલા વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયુ
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
NEET પરીક્ષા ચોરીકાંડના મુખ્ય આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
રોજાસર ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 30થી વધુ બાળકોમાં ફૂડ પોઈઝનિંગ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
મોરબી અને માળીયા કાંઠા વિસ્તારના 34 ગામોને અપાયુ એલર્ટ
g clip-path="url(#clip0_868_265)">