AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ કર્યા

DRHP વિશે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કંપની આ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. આ ઉપરાંત ખાદ્ય ઉત્પાદન ક્ષમતા વિસ્તૃત કરવામાં આવશે અને દેવું ચૂકવવામાં આવશે. આ સાથે કંપની તેની યોજના અનુસાર વ્યૂહાત્મક રીતે સંપાદનની પ્રક્રિયા સાથે પણ આગળ વધશે.

Adani Wilmar IPO : ગૌતમ અદાણી લાવી રહ્યા છે 4500 કરોડનો IPO , સેબીમાં દસ્તાવેજ સબમિટ  કર્યા
Gautam Adani (chairman and founder of the Adani Group)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 8:57 AM
Share

Adani Wilmar 4500 crore IPO: થોડા સમયથી સતત સમાચાર આવી રહ્યા તા કે ગૌતમ અદાણીની વધુ એક કંપની શેરબજારમાં લિસ્ટ થવા જઈ રહી છે.એક મીડિયા રિપોર્ટ અનુસાર અદાણી વિલમારે 4500 કરોડના આઈપીઓ માટે સેબીમાં પોતાનો ડીઆરએચપી જમા કરાવ્યો છે. આ એક સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યુ હશે. DRHP એ એક દસ્તાવેજ છે જેમાં કંપની વર્ણવે છે કે તે IPO દ્વારા મેળવેલા ભંડોળનો ઉપયોગ કેવી રીતે કરશે અને આ કંપનીનું ભવિષ્ય દર્શાવે છે.

DRHP વિશે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કંપની આ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચ માટે કરશે. આ ઉપરાંત ખાદ્ય ઉત્પાદન ક્ષમતા વિસ્તૃત કરવામાં આવશે અને દેવું ચૂકવવામાં આવશે. આ સાથે કંપની તેની યોજના અનુસાર વ્યૂહાત્મક રીતે સંપાદનની પ્રક્રિયા સાથે પણ આગળ વધશે. અદાણી વિલ્મર પાસે ફંડ કંપની અંગે મોટી યોજના છે. કંપનીની યોજના અનુસાર અદાણી વિલ્મર 2027 સુધીમાં ભારતની સૌથી મોટી ફૂડ કંપની બનશે.

કંપનીની વેલ્યુએશ 45 હજાર કરોડ સુધી થઇ શકે છે આ IPO માટે કંપની તેનું મૂલ્ય 37,500-45,000 કરોડ રૂપિયા ઈચ્છે છે. અદાણી એન્ટરપ્રાઇઝ અદાણી વિલમારમાં 50 ટકા હિસ્સો ધરાવે છે. તદનુસાર ગૌતમ અદાણીના હિસ્સાની વેલ્યુ 18,750-22,500 કરોડની વચ્ચે થઇ શકે છે. નાણાંકીય વર્ષ 2020-21માં અદાણી વિલમારની નેટવર્થ 3298 કરોડ હતી. તેણે વાર્ષિક ધોરણે 28 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. તે નાણાકીય વર્ષમાં કંપનીનો નફો 727 કરોડ હતો. વાર્ષિક ધોરણે નફામાં 58 ટકાનો ઉછાળો હતો.

કંપનીના મુખ્ય ઉત્પાદનો અદાણી વિલ્મરની ખાદ્યતેલમાં ઘણી પ્રોડક્ટ્સ છે. ફોર્ચ્યુન ઓઈલ ઘણું પ્રિય છે. આ સિવાય, કંપની ચોખા, સોયાબીન, ચણાનો લોટ, કઠોળ, શાકભાજી, ખીચડી, સાબુ, લોટ, ખાંડ સહિતનું ઉત્પાદન કરે છે. મોટાભાગના ઉત્પાદનો ફોર્ચ્યુન બ્રાન્ડ નામ હેઠળ આવે છે.

કંપનીની સ્થાપના 1999 માં થઈ હતી અદાણી વિલ્મારનું સૌથી લોકપ્રિય ઉત્પાદન ‘ફોર્ચ્યુન’ છે. આ કંપનીની સ્થાપના 1999 માં અદાણી ગ્રુપ અને સિંગાપોર સ્થિત વિલ્માર કંપની સાથે સંયુક્ત સાહસમાં કરવામાં આવી હતી. વિલ્માર ગ્રુપનો વ્યવસાય મુખ્યત્વે કૃષિ છે.

ભારતમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક અદાણી વિલમારની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ખાદ્યતેલ બજારમાં તે દેશમાં સૌથી મોટું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. દેશભરમાં તેના 85 સ્ટોક પોઈન્ટ અને 5000 ડિસ્ટ્રીબ્યુટર છે. છૂટક બજારમાં તેનો હિસ્સો લગભગ 10 ટકા છે. તેનું ઉત્પાદન દેશભરમાં લગભગ 15 લાખ રિટેલ આઉટલેટ્સ પર ઉપલબ્ધ છે. સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને કંપનીએ ખાસ ઓઇલ રાઇસ બ્રાન અને વિવો લોન્ચ કર્યા છે. કંપનીની અન્ય ખાદ્યતેલ બ્રાન્ડ રૂપચંદા બાંગ્લાદેશમાં માર્કેટ લીડર છે. કંપની પાસે ત્યાં બે મોટી રિફાઇનરીઓ પણ છે.

આ પણ વાંચો : IPO : આજે 4 કંપનીઓ લાવી રહી છે રોકાણ માટેની તક, IPO માં Invest કરતા પહેલા જાણો યોજનાઓ વિશે વિગતવાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">