Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Padmanabha Balakrishna Acharya Profile: ઉત્તર પૂર્વના આદિવાસી બાળકો માટે સક્રિય કામ કરનારા રાજયપાલ

Padmanabha Balakrishna Acharya Gujarat Governor Full Profile in Gujarati:પદ્મનાભ બાલક્રીષ્ન આચાર્યએ ઘણા રાજ્યોમાં રાજયપાલ તરીકે જવાબદારી સંભાળી હતી. ઉત્તર પૂર્વ ભારતમાં દિલ્હી યુનિવર્સિટીની જ્ઞાનોદય એક્સપ્રેસ કોલેજ ઓન વ્હીલ્સની શરૂઆત કરવાનો શ્રેય તેમને આપવામાં છે.

Padmanabha Balakrishna Acharya Profile: ઉત્તર પૂર્વના આદિવાસી બાળકો માટે સક્રિય કામ કરનારા રાજયપાલ
Padmanabha Balakrishna Acharya Gujarat Governor Full Profile in Gujarati
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2022 | 9:05 AM

પદ્મનાભ બાલક્રીષ્ન આચાર્ય (Padmanabha Balakrishna Acharya) ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો જેવા કે: અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડના પ્રભારી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1995-2002 સુધી ભાજપના અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ અને પૂર્વોત્તર રાજ્યોના પ્રભારી પણ હતા. આચાર્ય બાલક્રીષ્ન ઉત્તર પૂર્વના આદિવાસી બાળકો માટે (ABVP )ના પ્રોજેક્ટ માય હોમ ઈઝ ઈન્ડિયામાં સક્રિય રીતે કામ કરતા હતા. અને તેમનું ઘર વિદ્યાર્થીઓને પોતાના ઘર સમાન જ લાગતું  હતું. તેમણે આદિજાતિ રાષ્ટ્રવાદી નેતાઓ ઉપર 10 પુસ્તિકાઓ પણ પ્રકાશિત કરી હતી. તેમણે ત્રિપુરા, નાગાલેન્ડ અને ગુજરાત(Gujarat Governor) સહિત ણઘા રાજ્યોમાં  રાજ્યપાલ પદની જવાબદારી સંભાળી હતી.

અંગત જીવન (Personal Life)

પદ્મનાભ બાલકૃષ્ણ આચાર્ય નો જન્મ 8 ઑક્ટોબર 1931માં કર્ણાટકના ઉડુપી જિલ્લામાં થયો હતો. થયો હતો. તેમના પિતાનું નામ બાલકૃષ્ણ અને માતાનું નામ રાધા આચાર્ય હતું.

શિક્ષણ (Education)

તેમણે ક્રિશ્ચિયન હાઈસ્કૂલ, ઉડુપીમાંથી મેટ્રિક પૂર્ણ કર્યું હતું. તેમણે 1949માં મહાત્મા ગાંધી મેમોરિયલ કૉલેજ (MGM કૉલેજ), ઉડુપીમાં અભ્યાસ કર્યો હતો. સ્નાતક થયા પછી, તેમણે મુંબઈમાં કામ કર્યું અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે પણ તેઓ સંકળાયેલા હતા અને મુંબઈ યુનિવર્સિટીના સેનેટના સભ્ય હતા. તેણે મુંબઈ યુનિવર્સિટીમાંથી LLBની ડિગ્રી લીધી હતી. ઉત્તર પૂર્વ ભારતમાં દિલ્હી યુનિવર્સિટીની જ્ઞાનોદય એક્સપ્રેસ કોલેજ ઓન વ્હીલ્સની શરૂઆત કરવાનો શ્રેય તેમને આપવામાં છે.

લગ્નના 4 મહિનાના સિક્રેટ લગ્ન પછી છૂટાછેડા લઈ રહી છે અભિનેત્રી
Tulsi: રામ કે શ્યામ તુલસી, ઘરમાં કઈ તુલસી રાખવાથી થાય છે આર્થિક લાભ?
હોલિકા દહનની રાતે કરો આ ઉપાય, કિસ્મત ચમકી ઉઠશે, ધનની થશે પ્રાપ્તિ
આજનું રાશિફળ તારીખ : 11-03-2025
ચહલ-મહવિશ સાથે જોવા મળ્યા બાદ ધનશ્રીએ બધાને ચોંકાવી દીધા, ભર્યું આ પગલું
કયા કયા મુસ્લિમ દેશોમાં પણ ઉજવાય છે હોળીનો તહેવાર ? જાણો નામ

રાજકીય કારર્કિર્દી(Political Career )

રાજ્યપાલ બનતા પહેલા તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં વિવિધ હોદ્દા પર હતા. 1980માં શ્રી પી.બી. આચાર્ય ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને તેઓ 1987માં ઉત્તર પશ્ચિમ બોમ્બેમાં  બીજેપી અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને બાદમાં 1989માં મુંબઈ બીજેપીના કમિટી મેમ્બર બન્યા હતા. 1991માં, તેઓ ભારતના ઉત્તર પૂર્વીય રાજ્યો -અરુણાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને નાગાલેન્ડના પ્રભારી ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 1995-2002 સુધી ભાજપના અખિલ ભારતીય રાષ્ટ્રીય સચિવ અને પૂર્વોત્તર રાજ્યોના પ્રભારી પણ હતા. 2002માં તેઓ કેરળ અને લક્ષદ્વીપ અને 2005માં તમિલનાડુના ચાર્જ સાથે રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય હતા. આચાર્ય એસસી/એસટી મોરચાના રાષ્ટ્રીય પ્રભારી અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી અને નોર્થ ઈસ્ટ ઈન્ડિયા સંપર્ક સેલના રાષ્ટ્રીય પ્રભારીના સહ-સંયોજક હતા.

રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ ત્રિપુરાના ગવર્નર વક્કોમ પુરૂષોતમનનું રાજીનામું સ્વીકાર્યા પછી બાલક્રીષ્ન આચાર્યને 14 જુલાઈ 2014 ના રોજ નાગાલેન્ડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.ત્યાં રાજ્યપાલ તરીકેનો તેમનો કાર્યકાળ જુલાઈ 2019 માં સમાપ્ત થયો. તેઓ 21 જુલાઈ 2014 થી 19 મે 2015 સુધી ભારતના ત્રિપુરા રાજ્યના રાજ્યપાલ પણ હતા. તેમને 26 જાન્યુઆરી 2017ના રોજ ભારતના અરુણાચલ પ્રદેશ રાજ્યના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. જુલાઈ 2019 માં થોડા અઠવાડિયા માટે નજમા હેપતુલ્લાની ગેરહાજરીમાં તેમને મણિપુરના રાજ્યપાલ તરીકે વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો હતો. તો ગુજરાતના કાર્યકારી રાજયપાલ તરીકે 16/01/1999 થી 17/03/1999 ગુજરાતનો હવાલો સંભાળ્યો હતો.

આ રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજે કેવો રહેશે દિવસ
આ રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો આજે કેવો રહેશે દિવસ
ગરમીથી શેકાવા રહેજો તૈયાર ! ગુજરાતના 9 જિલ્લામાં હીટવેવની આગાહી
ગરમીથી શેકાવા રહેજો તૈયાર ! ગુજરાતના 9 જિલ્લામાં હીટવેવની આગાહી
ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો
ગુજરાતમાં 43 ડિગ્રીને પાર થયો ગરમીનો પારો
મહીસાગર: કડાણા ડેમનું નવીનીકરણ અને બેફામ ST બસ ચાલકનો વીડિયો વાયરલ
મહીસાગર: કડાણા ડેમનું નવીનીકરણ અને બેફામ ST બસ ચાલકનો વીડિયો વાયરલ
ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના તાર પૂર્વ MLA સુધી પહોંચ્યા- વાંચો
ગોંડલના યુવકના શંકાસ્પદ મોતના તાર પૂર્વ MLA સુધી પહોંચ્યા- વાંચો
ગુજ. યુનિ. એ ગરીબ વિદ્યાર્થીઓ પર ફી વધારો ઝીંકતા NSUI એ કર્યા દેખાવો
ગુજ. યુનિ. એ ગરીબ વિદ્યાર્થીઓ પર ફી વધારો ઝીંકતા NSUI એ કર્યા દેખાવો
પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ
પૂર્વ ધારાસભ્યના બંગલે ગયા બાદ ગુમ થયેલા યુવકનો મળ્યો મૃતદેહ
ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ
ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ચોરીનો વીડિયો વાયરલ
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પછી દહેગામમાં તંગદિલી
ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીત પછી દહેગામમાં તંગદિલી
પોલીસ ઘર્ષણ બાદ વીંછીયામાં કોળી-ઠાકોર સમાજનું વિરોધ પ્રદર્શન
પોલીસ ઘર્ષણ બાદ વીંછીયામાં કોળી-ઠાકોર સમાજનું વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">