AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal : અભિષેક બેનર્જીના કાફલા પર થયેલા હુમલા બાદ TMC ધારાસભ્યએ ભાજપને આપી ધમકી

તુણમૂલ કોંગ્રેસના (TMC) મહાસચિવ અભિષેક બેનર્જીના કાફલા પર સોમવારે ત્રિપુરામાં હુમલો થયો હતો. ત્યારે, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ઉદયન ગુહાએ ભાજપના કાર્યકરો અને નેતાઓને સોશિયલ મિડીયાના માધ્યમથી ધમકી આપી હતી.

West Bengal : અભિષેક બેનર્જીના કાફલા પર થયેલા હુમલા બાદ TMC ધારાસભ્યએ ભાજપને આપી ધમકી
Udhyan-guha (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 12:36 PM
Share

તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ અભિષેક બેનર્જીના (Abhishek Banerjee) કાફલા પર હુમલો થયા બાદ TMC ધારાસભ્યએ બંગાળમાં ભાજપના કાર્યકરો અને નેતાઓને (Leader) ધમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, ત્રિપુરાની ઘટના બાદ ભાજપના કાર્યકરો અને નેતાઓનું યોગ્ય રીતે મોનિટરિંગ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તૃણમૂલ કોંગ્રેસના (TMC) મહાસચિવ અભિષેક બેનર્જીના કાફલા પર સોમવારે ત્રિપુરામાં (Tripura) હુમલો થયો હતો. તેના એક દિવસ બાદ, તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય ઉદયન ગુહાએ ભાજપના કાર્યકરો અને નેતાઓને ધમકી આપી છે. જો કે ભાજપે આ માટે નારાજગી વ્યક્ત કરી છે. ભાજપે દિનહાટાના ધારાસભ્ય ઉદયન ગુહા (Udayan Guha) સામે કાર્યકરો અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓને ધમકી આપવા બદલ કાર્યવાહી કરવાની માગ કરી છે.

ધારાસભ્ય ઉદયન ગુહાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, ત્રિપુરાની (Tripura) ઘટના બાદ દિનહાટામાં ભાજપના કાર્યકરો અને નેતાઓનું યોગ્ય રીતે ધ્યાન રાખવામાં આવશે. જો કે આ પોસ્ટ કર્યા બાદ સોશિયલ મીડિયા (Social Media) પર હંગામો થયો હતો. ઘણા લોકોએ ધારાસભ્યની ટીકા કરી અને ઘણાએ TMC ને ટેકો આપ્યો. પોસ્ટ પર હંગામો થયા બાદ ધારાસભ્યએ સ્પષ્ટતા કરી હતી કે, મારી પોસ્ટમાં કોઈ પર હુમલો કરવા વિશે કંઈ લખ્યું નથી.

ભાજપના ધારાસભ્યએ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી

માહિતી અનુસાર, મે મહિનામાં મતદાન બાદ થયેલી હિંસા (Violence) દરમિયાન ગુહાને હાથમાં ઈજા થઈ હતી. આપને જણાવવું રહ્યું કે, ઉદયન ગુહા ડાબેરી નેતા કમલ ગુહાના પુત્ર છે. TMC ની પોસ્ટ બાદ નટબારીના ભાજપના ધારાસભ્ય મિહિર ગોસ્વામીએ જણાવ્યું હતુ કે, અમે ઉદયન ગુહા સામે કેસ નોંધવાની અને કાર્યવાહી કરવાની માગ કરી છે.

કૃષિમંત્રીએ આપ્યું સમર્થન

ગોસ્વામી સાથે તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના કૃષિ મંત્રી (Agriculture Minister) શોભનદેવ ચટ્ટોપાધ્યાય પણ સમર્થનમાં આવ્યા હતા. ચટ્ટોપાધ્યાયે કહ્યું કે ગુહા ભાજપના કાર્યકરોની સંભાળ લેવાની અને તેમની સાથે શાંતિપૂર્ણ રહેવાની વાત કરી રહ્યા હતા. તે જ સમયે, તેઓ એ સુનિશ્ચિત કરવા માંગતા હતા કે દિનહાટામાં કોઈ પણ કાર્યવાહીમાં ભાજપના એક પણ સભ્યને નુકસાન પહોંચાડવામાં આવશે નહિ.

આ પણ વાંચો: UP Legislative Assembly : વિધાનસભા સત્રમાં સામેલ થવા કરવી પડશે કોરોનાની તપાસ, CMએ વ્યવસ્થા કરવા કર્યા નિર્દશ

આ પણ વાંચો:Bihar Political News: મુલાયમસિંહ અને શરદ યાદવ સાથેની મુલાકાત બાદ,લાલુ યાદવે કર્યું ચિરાગ પાસવાનનું સમર્થન

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">