AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Legislative Assembly : વિધાનસભા સત્રમાં સામેલ થવા કરવી પડશે કોરોનાની તપાસ, CMએ વ્યવસ્થા કરવા કર્યા નિર્દશ

રાજ્ય વિધાનસભાના સ્પીકર હૃદય નારાયણ દીક્ષિતે (Narayan Dixit)જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલને (Covid Guideline)અનુસરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવશે.

UP Legislative Assembly : વિધાનસભા સત્રમાં સામેલ થવા કરવી પડશે કોરોનાની તપાસ, CMએ વ્યવસ્થા કરવા કર્યા નિર્દશ
Yogi Adityanath (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 04, 2021 | 9:54 AM
Share

UP Legislative Assembly : ઉત્તર પ્રદેશ વિધાનસભાનું ચોમાસુ સત્ર 17 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે(Yogi Adityanath) નિર્દેશ આપ્યો છે કે તમામ ધારાસભ્યો અને કર્મચારીઓની કોરોના તપાસ માટે યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મંગળવારે જણાવ્યું હતું કે, 17 ઓગસ્ટથી રાજ્ય વિધાનસભાના આગામી ચોમાસુ સત્ર (Monsoon Session) માટે સભ્યો અને કર્મચારીઓનું કોવિડ -19 પરીક્ષણ કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા ગોઠવવાની તૈયારી દર્શાવી હતી.ઉપરાંત આપને જણાવવું રહ્યું કે, યોગીએ લખનૌમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં કોવિડ -19 ની પરિસ્થિતિની સમીક્ષા પણ કરી હતી.

રાજ્ય વિધાનસભાના સ્પીકર હૃદય નારાયણ દીક્ષિતે (Narayan Dixit)જણાવ્યું હતું કે, ચોમાસુ સત્ર દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલને (Covid Guideline)અનુસરવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવશે. ઉપરાંત સભ્યો રસીકરણ અભિયાનથી સારી રીતે વાકેફ છે.જેથી COVID-19 પ્રોટોકોલને (Protocol) અનુસરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે.

રાજ્ય વિધાનસભા ટૂંક સમયમાં કોરોના નિયમોનું પાલન કરાવવા અંગે યોગ્ય પગલાં લેશે.ઉલ્લેખનીય છે કે, રાજ્ય વિધાનસભાના મુખ્ય સચિવ પ્રદીપ દુબેએ 17 ઓગસ્ટથી ચોમાસુ સત્ર (Monsoon Session) શરૂ કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.

યુપીમાં પાંચ કરોડ વેક્સિન લગાવવામાં આવી

છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 રસીના 23 લાખથી વધુ ડોઝ સાથે પાંચ કરોડથી વધુ ડોઝ આપવાનો આંકડો પાર કરનાર ઉત્તર પ્રદેશ દેશનું પ્રથમ રાજ્ય (State) બન્યું છે. ઉત્તર પ્રદેશ સતત દેશમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખવામાં સક્ષમ સાબિત થયું છે. રાજ્ય સરકારના પ્રવક્તાએ મંગળવારે દાવો કર્યો હતો કે, કુલ 5.09 કરોડથી વધુ વેક્સિન ડોઝ (Vaccine Dose) આપીને તે કોવિડ -19 રસીકરણ અભિયાનમાં અગ્રેસર છે.

રાજ્ય સરકારના પ્રવક્તા જણાવ્યા મુજબ, ઉત્તર પ્રદેશમાં (UttarPradesh) 5.09 કરોડથી વધુ કોવિડ રસી ડોઝ આપવામાં આવી છે. જ્યારે મહારાષ્ટ્ર અત્યાર સુધીમાં લગભગ 4.51 કરોડ ડોઝ વેક્સિન લગાવવામાં આવી છે.જ્યારે ઉત્તરપ્રદેશમાં 4,28,73,584 થી વધુ લોકોને પ્રથમ ડોઝ અને 80,35,023 લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: વિપક્ષી દળોની બેઠક એ 2024ની લોકસભા ચૂંટણીનું ટ્રેલર : કોંગ્રેસ

આ પણ વાંચો: શરદ પવારે ટ્વીટ કરીને જણાવ્યું અમિત શાહ સાથેની બેઠકનું કારણ, દિલ્હીમાં મુલાકાત, મહારાષ્ટ્રમાં ખળભળાટ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">