અશોક ગેહલોતથી બચતા ભાજપના 6 ધારાસભ્યો ચાર ચાર કલાકે બદલે છે જગ્યા
રાજસ્થાનની કોંગ્રેસ સરકારના આંતરીક કલહનો ભોગ બનવાનો ભય હવે ભાજપને સતાવી રહ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યોને તોડતા કે દબાવતા ભાજપને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતનો ડર સતાવી રહ્યો છે. અશોક ગેહલોતથી બચવા ભાજપના છ ધારાસભ્યો એકાએક સોમનાથદાદાના ચરણે શીશ જુકાવવા આવી પહોચ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આ ધારાસભ્યો દર ચારથી પાંચ કલાકે તેમનુ […]
રાજસ્થાનની કોંગ્રેસ સરકારના આંતરીક કલહનો ભોગ બનવાનો ભય હવે ભાજપને સતાવી રહ્યો છે. અત્યાર સુધી કોંગ્રેસના ધારાસભ્યોને તોડતા કે દબાવતા ભાજપને રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતનો ડર સતાવી રહ્યો છે. અશોક ગેહલોતથી બચવા ભાજપના છ ધારાસભ્યો એકાએક સોમનાથદાદાના ચરણે શીશ જુકાવવા આવી પહોચ્યા છે. સોમનાથ મહાદેવના દર્શન કર્યા બાદ આ ધારાસભ્યો દર ચારથી પાંચ કલાકે તેમનુ સંતાવવાનુ કે આશ્રય લેવાનુ સ્થળ બદલી નાખે છે. હાલ સાસણના એક કાનગી રિસોર્ટમાં આરામ ફરમાવી રહ્યાં છે. સ્વાભાવિક છે કે, 14મી ઓગસ્ટે રાજસ્થાન વિધાનસભામાં બહુમતી પૂરવાર કરવાની હોવાથી આ ઘારાસભ્યો 12 કે 13 ઓગસ્ટે સુધી ગુજરાતમાં સતાતા કે આશ્રય લેતા રહેશે.
સચિન પાયલટે 19 ધારાસભ્યો સાથે અશોક ગેહલોત સરકાર સામે બળવો કર્યા બાદ ગેહલોત સરકાર લઘુમતિમાં આવી હોવાની કાગારોળ વિપક્ષ ભાજપ અને સચિને મચાવી છે. જો કે અશોક ગેહલોતે દાવો કર્યો છે કે તેમની પાસે પુરતી બહુમતી છે. રાજ્યપાલ ફ્લોર ટેસ્ટ (વિધાનસભા ગૃહમાં બહુમતી પૂરવાર) કરવાની તક આપે તો પોતે બહુમતી સાબિત કરી દેશે. જો કે રાજસ્થાન કોંગ્રેસ અને મુખ્યપ્રધાન ઈચ્છે છે કે પાર્ટી મેન્ડેટનો ભંગ કર્યાના બહાને સચિન પાયલટ અને તેના સાથી ટેકેદારોને ધારાસભ્યપદેથી બરતરફ કરી દેવા જેથી કરીને બહુમતી પૂરવાર કરવા માટે જરૂરી એવી 101ની સભ્ય સંખ્યા ઘટી જાય.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો