AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પૂર્વ વિદેશ મંત્રી S.M.કૃષ્ણા બોલ્યા, “રાહુલ ગાંધીની વધારે પડતી દખલગીરીના કારણે કોંગ્રેસ છોડ્યું”

યૂપીએ2 દરમિયાન સરકારના નિર્ણયોમાં રાહુલ ગાંધી દખલગીરી કરતા હોવાનો આરોપ પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાએ લગાવ્યો. કોંગ્રેસ છોડી ચૂકેલા કૃષ્ણાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ 10 વર્ષ પહેલા માત્ર સાંસદ હતા, પરંતુ પાર્ટીના દરેક નિર્ણયમાં દખલ કરતા. આ જ કારણે તેમણે પાર્ટી પણ છોડી. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસ એમ […]

પૂર્વ વિદેશ મંત્રી S.M.કૃષ્ણા બોલ્યા, રાહુલ ગાંધીની વધારે પડતી દખલગીરીના કારણે કોંગ્રેસ છોડ્યું
Follow Us:
| Updated on: Feb 10, 2019 | 8:41 AM

યૂપીએ2 દરમિયાન સરકારના નિર્ણયોમાં રાહુલ ગાંધી દખલગીરી કરતા હોવાનો આરોપ પૂર્વ વિદેશ મંત્રી એસ.એમ.કૃષ્ણાએ લગાવ્યો. કોંગ્રેસ છોડી ચૂકેલા કૃષ્ણાએ કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ 10 વર્ષ પહેલા માત્ર સાંસદ હતા, પરંતુ પાર્ટીના દરેક નિર્ણયમાં દખલ કરતા. આ જ કારણે તેમણે પાર્ટી પણ છોડી.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને મનમોહન સિંહ સરકારમાં વિદેશ મંત્રી રહી ચૂકેલા એસ એમ કૃષ્ણાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હુમલો કર્યો છે. કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ ચૂકેલા કૃષ્ણાએ કહ્યું કે રાહુલ ગાંધી સરકારના કામકાજમાં સતત હસ્તક્ષેપ કરતા હતા. રાહુલ ગાંધીની દખલગીરીના કારણે તેમણે પાર્ટી છોડવી પડી.

એટલું જ નહીં, રાહુલ ગાંધીની દખલગીરી કરવાની ટેવના કારણે જ તેમણે વિદેશમંત્રીનું પદ પણ છોડ્યું હોવાની પણ વાત કરી. સાથે જ તેમની પાસે કોઈ રસ્તો ન બચતા તેમણે કોંગ્રેસ છોડવાનો નિર્ણય કર્યો છે.

ફેશનમાં પરફેક્શન લાવવા તમારા ડ્રેસ સાથે ટ્રાય કરો આ નેઈલ આર્ટ- જુઓ લેટેસ્ટ ટ્રેન્ડ્સ
પાઇલટ બનવા માટે કેટલો ખર્ચ થાય છે, કયો કોર્ષ કરવો પડે ? જાણો
જેન્ડર ડિસફોરિયા શું છે ? શું તેની સારવાર શક્ય છે ?
ABCD ની અભિનેત્રીના ઇટલીમાં લગ્ન, સફેદ ગાઉનમાં દેખાઇ ખૂબ જ સુંદર
ચેતવણી! વર્ષ 2025ની આવનારી '23 તારીખો' ભયથી ભરેલી છે
નીમ કરોલીએ કહ્યું, આ સંકેતો મળે તો સમજવું 'ગોલ્ડન પીરિયડ' શરૂ થયો

કૃષ્ણાએ રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે જ્યારે 10 વર્ષ પહેલા તેઓ સાંસદ હતા, ત્યારે મનમોહન સિંહ વડાપ્રધાન હતા. એ સમયે પણ રાહુલ ગાંધી પાસે ઘણાં મહત્ત્વના મુદ્દાઓ ચર્ચા માટે મોકલવામાં આવતા પરંતુ વડાપ્રધાનને જ એ મુદ્દાઓ વિશે ખબર નહોતી રહેતી. કોંગ્રેસ ગઠબંધનનો સહયોગી પાર્ટીઓ પર કોઈ નિયંત્રણ નહોતું રહ્યું અને એટલે જ યૂપીએ2ના શાસનકાળ દરમિયાન એક બાદ એક મોટા ઘોટાળાઓ સામે આવતા રહ્યાં.

તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે વિદેશ મંત્રી તરીકે તેમનો સાડા ત્રણ વર્ષનો કાર્યકાળ બાકી હતો. પરંતુ તેમને હટાવવાનો આદેશ રાહુલ ગાંધીએ આપ્યો કારણ કે તેઓ 80 વર્ષથી વધુ ઉંમરના નેતાઓને કેબિનેટમાં જગ્યા આપવા નહોતા માગતા.

ભાજપમાં સામેલ થયા બાદ પણ કૃષ્ણા સક્રિય રાજનીતિથી લગભગ દૂર જ છે. જોકે, કર્ણાટક ચૂંટણી દરમિયાન તેમણે કોંગ્રેસના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા વિરૂદ્ધની રેલીમાં ભાગ જરૂર લીધો હતો.

[yop_poll id=1272]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">