AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SAD BSP Alliance : પંજાબમાં અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે થયું ગઠબંધન, બેઠકોની વહેંચણી પણ કરી લીધી

SAD BSP Alliance : પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકોમાંથી SAD 97 બેઠકો પર અને અને BSP 20 બેઠકો પણ ચૂંટણી લડશે.

SAD BSP Alliance : પંજાબમાં અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટી વચ્ચે થયું ગઠબંધન, બેઠકોની વહેંચણી પણ કરી લીધી
શિરોમણી અકાલીદળના નેતા સુખબીર બાદલે SAD અને BSP વચ્ચે ગઠબંધનની જાહેરાત કરી
| Updated on: Jun 12, 2021 | 7:02 PM
Share

SAD BSP Alliance : પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022 )ને ધ્યાનમાં રાખીને એક નવું રાજકીય સમીકરણ ઉભરી આવ્યું છે. સુખબીર સિંહ બાદલની પાર્ટી શિરોમણી અકાલીદળ (Shiromani Akali Dal) અને માયાવતીની પાર્ટી બહુજન સમાજવાદી પાર્ટી (Bahujan Samajwadi Party) એ 2022 માં યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણી માટે ગઠબંધન કર્યું છે. ગત વિધાનસભા ચૂંટણીમાં અકાલી દળ અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે ગઠબંધન થયું હતું.

સુખબીર બાદલે કરી જાહેરાત શિરોમણી અકાલીદળના નેતા સુખબીર સિંહ બાદલ (Sukhbir Singh Badal) એ શિરોમણી અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન (SAD BSP Alliance) ની જાહેરાત કરી પત્રકાર પરિષદ દરમિયાન આ ગઠબંધનની જાહેરાત કરતા સુખબીરસિંહ બાદલે તેને પંજાબ (Punjab) ના રાજકારણમાં એક નવો દિવસ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આજનો દિવસ ઐતિહાસિક દિવસ છે. પંજાબના રાજકારણમાં આ મોટો વળાંક છે. આ દરમિયાન બસપાના જનરલ સેક્રેટરી સતિષચંદ્ર મિશ્રા પણ હાજર રહ્યા હતા.

પંજાબમાં નવા યુગની શરૂઆત : માયાવતી શિરોમણી અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન (SAD BSP Alliance) ને BSP સુપ્રીમો માયાવતી (Mayawati) એ પંજાબમાં નવા યુગની શરૂઆત ગણાવી છે. એક ટ્વીટમાં માયાવતીએ લખ્યું છે –

“પંજાબમાં શિરોમણિ અકાલી દળ અને બહુજન સમાજ પાર્ટી દ્વારા આજે જાહેર કરાયેલ ગઠબંધન એક નવી રાજકીય અને સામાજિક પહેલ છે, જે નિશ્ચિતપણેપંજાબના લોકોના વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા યુગની શરૂઆત કરશે.”

માતાવતીએ એક બાદ એક ત્રણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી. માયાવતીએ કહ્યું કે પંજાબમાં કોંગ્રેસના શાસનમાં તમામ જાતિના લોકો ગરીબી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી વગેરે સામે લડી રહ્યા છે. દલિતો, ખેડૂતો, યુવાનો અને મહિલાઓ પર તેનો સૌથી વધુ ફટકો પડી રહ્યો છે, જેનાથી છૂટકારો મેળવવા માટે આ ગઠબંધનને સફળ બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

SAD અને BSP વચ્ચે બેઠકોની વહેંચણી શિરોમણી અકાલીદળ અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન (SAD BSP Alliance) ની જાહેરાત થતાની સાથે જ બંને પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીની પણ જાહેરાત કરવામાં આવી. પંજાબમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Punjab Assembly Election 2022) માં 117 બેઠકોમાંથી SAD 97 બેઠકો પર અને અને BSP 20 બેઠકો પણ ચૂંટણી લડશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">