AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્યપ્રદેશમાં આજે ખેડુતોને સંબોધન કરશે મોદી, 35.50 લાખ અન્નદાતાઓને મળશે 1600 કરોડની રાહત રાશિ

મધ્યપ્રદેશમાં આજે એટલે કે શુક્રવારે આયોજીત થનારા કિસાન સંમેલનોમાં ખરીફ 2020માં થયેલા પાકના નુકશાનની 1600 કરોડ રૂપિયાની રાહત સહાય રાજ્યના લગભગ 35.50 લાખ ખેડુતોના ખાતાઓમાં નાંખવામાં આવશે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યના ખેડુતોને સંબોધન કરશે. મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગના એક અધિકારીએ ગૂરૂવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી ચૌહાણે 18 ડિસેમ્બરે […]

મધ્યપ્રદેશમાં આજે ખેડુતોને સંબોધન કરશે મોદી, 35.50 લાખ અન્નદાતાઓને મળશે 1600 કરોડની રાહત રાશિ
pm narendra modi
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 18, 2020 | 11:26 AM
Share

મધ્યપ્રદેશમાં આજે એટલે કે શુક્રવારે આયોજીત થનારા કિસાન સંમેલનોમાં ખરીફ 2020માં થયેલા પાકના નુકશાનની 1600 કરોડ રૂપિયાની રાહત સહાય રાજ્યના લગભગ 35.50 લાખ ખેડુતોના ખાતાઓમાં નાંખવામાં આવશે. આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રાજ્યના ખેડુતોને સંબોધન કરશે. મધ્યપ્રદેશના જનસંપર્ક વિભાગના એક અધિકારીએ ગૂરૂવારે કહ્યું હતું કે મુખ્યમંત્રી ચૌહાણે 18 ડિસેમ્બરે રાજ્યમાં થઈ રહેલા 4 સ્તરીય કિસાન કલ્યાણ કાર્યક્રમો અને સંમેલનોના સંબંધમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિસ્તૃત નિર્દેશ આપ્યા હતાં.

તેમણે કહ્યું હતું કે રાજ્ય સ્તરીય મહાસંમેલન રાયસેનમાં થશે, જેમાં મુખ્યમંત્રી ચૌહાણ સામેલ હશે. અન્ય સંમેલન જિલ્લા, વિકાસખંડ અને ગ્રામ પંચાયત સ્તર પર થશે. અધિકારીઓએ કહ્યું કે “આ કિસાન સંમેલનોમાં ખરીફ 2020માં થયેલા પાકના નુકશાનની 1600 કરોડ રૂપિયાની રાહત સહાય ખેડુતોના ખાતાઓમાં જમા કરવામાં આવશે. આનાથી આશરે 35.50 લાખ ખેડુતોને લાભ મળશે”

તેમણે કહ્યું કે મુખ્યમંત્રી રાયસેનમાં રાજ્ય સ્તરીય મુખ્ય કાર્યક્રમમાં સામેલ થશે. જેમાં લગભગ 20 હજાર ખેડુતો હાજર હશે. અન્ય જિલ્લાઓમાં મંત્રી આ કાર્યક્રમોમાં ખેડુતોને રાહત સહાય આપશે. આ રીતના કાર્યક્રમો બ્લોક અને ગ્રામીણ સ્તર પર પણ થશે. અધિકારીએ કહ્યું હતું કે કોવીડ 19 મહામારીને લઈને મુખ્યમંત્રીએ એ પણ નિર્દેશ આપ્યાં છે કે આ કિસાન કલ્યાણ કાર્યક્રમો અને સંમેલનોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તેવા નિયમોનું ખાસ પાલન થાય. દરેક ખેડુતો માસ્ક ફરજીયાતપણે પહેરે.

તેમણે કહ્યું હતું કે “મુખ્યમંત્રી ચૌહાણના સંબોધન દરમ્યાન પ્રધાનમંત્રી મોદી વિડિયો કોન્ફરન્સ દ્વારા ખેડુતોને લગભગ બપોરે 2 વાગે સંબોધીત કરશે. જેમાં નવા કૃષી કાયદાઓના લાભની જોગવાઈઓના સંબંધમાં પણ ખેડુતોને આ સંમેલનોમાં વિસ્તૃત જાણકારી અપાશે.”

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">