પશ્ચિમ બંગાળમાં મમતાએ BJP ઓફિસ પર કર્યો કબ્જો, હવે શું કરશે ભાજપ?
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેનો વિવાદ લોકસભા ચૂંટણી પછી પણ સતત જોવા મળી રહ્યો છે. બંગાળમાં સત્તાધારી તૃણુમૂલ અને ભાજપ એક બીજા પર પોતાની ઓફિસ પર કબજો, તોડફોડ અને હિંસા કરાવવાના આરોપો લગાવી રહ્યાં છે. આવો જ એક મામલો ઉત્તર 24 પરગનાના નૈહાટીમાં પણ સામે આવ્યો છે. અહીં મમતા દીદીએ 30 મેનાં […]
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને ભાજપ વચ્ચેનો વિવાદ લોકસભા ચૂંટણી પછી પણ સતત જોવા મળી રહ્યો છે. બંગાળમાં સત્તાધારી તૃણુમૂલ અને ભાજપ એક બીજા પર પોતાની ઓફિસ પર કબજો, તોડફોડ અને હિંસા કરાવવાના આરોપો લગાવી રહ્યાં છે. આવો જ એક મામલો ઉત્તર 24 પરગનાના નૈહાટીમાં પણ સામે આવ્યો છે. અહીં મમતા દીદીએ 30 મેનાં રોજ પોતાના પાર્ટી કાર્યાલય પર કબજાનો આરોપ લગાવતાં BJPના કમળના નિશાનને દૂર કરીને પોતાની તૃણુમૂલ પાર્ટીનું ચિન્હ બનાવ્યું હતુ.
તો કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ કહ્યું કે દીદીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલશે. બાબુલે કહ્યું કે, “મમતા દિદિ એક અનુભવી નેતા છે, પરંતુ કેટલાંક સમયથી તેમના વર્તનમાં અસામાન્ય અને અલગ જ બદલાવ આવ્યો છે. તેમને પદની ગરિમા મુજબ મગજને સ્થિર રાખવું જોઈએ. તેઓએ થોડાં દિવસ માટે આરામ કરવો જોઈએ. તેઓ બંગાળમાં ભાજપની હાજરીથી તેઓ પરેશાન થઈ ગઈ છે. અમે આસનસોલ લોકસભા ક્ષેત્ર તરફથી દીદીને ગેટ વેલ સૂનનું કાર્ડ મોકલીશું.”
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]