લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હારને પણ સ્વીકારી લીધી છે. પરંતુ જે વાતની ચર્ચાએ સમગ્ર ચૂંટણીમાં પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું તે નામ છે પ્રિયંકા ગાંધી. પ્રિયંકા ગાંધીને રાતોરાત કોંગ્રેસના મહસચિવ પદે બેસાડી દેવામાં આવ્યા હતા. અને પૂર્વાચલના પ્રભારી પણ બનાવી દીધા હતા. સાથે એવી પણ ચર્ચા ચાલી રહી […]
લોકસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની હારને પણ સ્વીકારી લીધી છે. પરંતુ જે વાતની ચર્ચાએ સમગ્ર ચૂંટણીમાં પોતાની તરફ ધ્યાન ખેંચ્યું હતું તે નામ છે પ્રિયંકા ગાંધી. પ્રિયંકા ગાંધીને રાતોરાત કોંગ્રેસના મહસચિવ પદે બેસાડી દેવામાં આવ્યા હતા. અને પૂર્વાચલના પ્રભારી પણ બનાવી દીધા હતા. સાથે એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે તેમનો જાદૂ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ચાલવાનો છે. તો ક્યાંક આ જ કારણથી કોંગ્રેસે સમાજવાદી અને બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યું નહોતું. તો પરિણામ બાદ એ જાણવું જરૂરી છે કે પ્રિયંકા ગાંધીનો જાદુ કેટલો ચાલ્યો છે.
પૂર્વાંચલમાં ભાજપ, અપના દલ, SP અને BSP પાર્ટીઓએ જ જીત હાંસલ કરી છે અને તેમા કોંગ્રેસનું નામો નિશાન નથી જોવા મળી રહ્યું. આ પરથી કહી શકાય કે જેટલી ઝડપ પ્રિયંકાએ કોંગ્રેસમાં એક સદસ્ય તરીકે એન્ટ્રી કરી તેટલી જ નિષ્ફળતા તેમના ખાતામાં આવી છે.