જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ, ખેડૂત આંદોલન ચલાવે છેઃ સી આર પાટીલ
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે, ખેડૂત આંદોલન જેમનું રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યુ. કેન્દ્રના કૃષિ બીલ સામે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને સાચી વિગતોથી વાકેફ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બારડોલીમાં ખેડૂતોને સંબોધીને કૃષિ […]
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલે, ખેડૂત આંદોલન જેમનું રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ ચલાવી રહ્યાં હોવાનું જણાવ્યુ. કેન્દ્રના કૃષિ બીલ સામે ખેડૂતોના આંદોલનને લઈને ભાજપે ગુજરાતમાં કિસાન સંમેલન યોજીને સાચી વિગતોથી વાકેફ કરવાનો કાર્યક્રમ શરૂ કર્યો છે. જેના ભાગરૂપે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે બારડોલીમાં ખેડૂતોને સંબોધીને કૃષિ બીલની જોગવાઈઓ સમજાવી હતી. પાટીલે એપો આક્ષેપ કર્યો હતો કે, જેમનુ રાજકીય અસ્તિત્વ નથી તેવા ડાબેરીઓ આ આંદોલન ચલાવી રહ્યાં છે.