AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેન્દ્રના બિલ પર કેજરીવાલનો સવાલ, સરકારનો મતબલ LG છે તો ચૂંટણી કેમ યોજી

દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી એ લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધારવાના કેન્દ્ર સરકારના બિલ વિરુદ્ધ બુધવારે જંતર-મંતર પર ધરણા કર્યા હતા અને સરકારને આ બિલ પરત ખેંચવાની માંગ કરી હતી.

કેન્દ્રના બિલ પર કેજરીવાલનો સવાલ, સરકારનો મતબલ LG છે તો ચૂંટણી કેમ યોજી
અરવિંદ કેજરીવાલ. ફાઈલ ફોટો
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Mar 18, 2021 | 4:12 PM
Share

દિલ્હીમાં સત્તાધારી આમ આદમી પાર્ટી એ લેફ્ટનન્ટ ગવર્નરની સત્તા વધારવાના કેન્દ્ર સરકારના બિલ વિરુદ્ધ બુધવારે જંતર-મંતર પર ધરણા કર્યા હતા અને સરકારને આ બિલ પરત ખેંચવાની માંગ કરી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ Kejriwal એ  કહ્યું કે આ એવું જ છે જેમકે કોઈ બાળક ક્રિકેટમાં હાર્યો હોય તો તે બેટ અને બોલ લઇને ભાગી ગયો. તેમણે કહ્યું કે બિલ સામે લોકોમાં ગુસ્સો છે.

Kejriwal એ  કહ્યું કે કેન્દ્ર સરકારે ત્રણ દિવસ પહેલા સંસદમાં કાયદો લાવ્યો છે. જેમાં લખ્યું છે કે હવેથી સરકારનો અર્થ એલ.જી. તો અમારું શું થશે, દિલ્હીની જનતાનું શું થશે, મુખ્યમંત્રીનું શું થશે? તો પછી દિલ્હીમાં કેમ ચૂંટણી યોજાઈ?

કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ સોમવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (સુધારો) બિલ 2021 લોકસભામાં રજૂ કર્યું. બિલ પ્રમાણે, વિધાનસભામાં કોઈ કાયદો બનાવવા માટે દિલ્હી સરકારે લેફ્ટનન્ટ ગવર્નરની સલાહ લેવી પડશે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી.ડી. કિશન રેડ્ડીએ દિલ્હીની રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર સરકાર (સુધારો) ખરડો 2021 સંસદમાં રજૂ કર્યો હતો. જેમાં 1991 કાયદાના અનુચ્છેદ 44 મુજબ લેફ્ટનન્ટ ગવર્નરના તમામ નિર્ણયો જે તેમના મંત્રીઓ અથવા બીજા લોકોની સલાહ પર લેવામાં આવશે તેની નોંધ લેફ્ટનન્ટ ગવર્નરના નામે કરવાની રહેશે. તેના દ્વારા લેફ્ટનન્ટ ગવર્નરનું દિલ્હી સરકાર તરીકે વર્ણન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીની આમ આદમી પાર્ટી સરકારે ભાજપ પર દિલ્હી સરકારની શક્તિઓમાં ઘટાડો કરવાનો આરોપ મૂક્યો છે.

આ ઉપરાંત દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આ પૂર્વે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘દિલ્હીની જનતાએ જાકારો આપ્યા બાદ ભાજપ લોકસભામાં ખરડો લાવીને ચૂંટાયેલી સરકારની સત્તા ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે. આ ખરડો બંધારણીય બેન્ચના નિર્ણયની વિરુદ્ધ છે. અમે ભાજપના ગેરબંધારણીય અને લોકશાહી વિરોધી પગલાની સખત ટીકા કરીએ છીએ.

જ્યારે અરવિંદ કેજરીવાલે બીજી ટ્વિટમાં લખ્યુ હતું કે બિલ કહે છેઃ 1. દિલ્હી માટે એલજીનો અર્થ ‘સરકાર’ હશે. તો પછી ચૂંટાયેલી સરકાર શું કરશે? 2. બધી ફાઇલો એલજી પાસે જશે. આ બંધારણીય બેન્ચના 04.07.2018ના રોજ આપવામાં આવેલ ચુકાદાની વિરુદ્ધ છે જેમાં કહેવામાં આવ્યું છે કે એલજીને ફાઇલો નહીં મોકલવામાં આવે. ચૂંટાયેલી સરકાર તમામ નિર્ણયો લેશે અને બાદમાં નિર્ણયની એક નકલ એલજીને મોકલવામાં આવશે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">