AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttar Pradesh Politics : ઉતર પ્રદેશમાં સંધમ શરણમ ગચ્છામી, એ કે શર્મા, જીતેન પ્રસાદને પ્રધાનપદુ મળશે, મોદી-યોગીની આજે બેઠક

યોગી આદિત્યનાથ (yogi adityanath ) નથી ઈચ્છતા કે તેમના મંત્રીમંડળમાં એ કે શર્મા સામેલ થાય. જીતેન પ્રસાદને પ્રધાનપદુ આપીને આગામી ચૂંટણીમાં રાજકીય લાભ લેવા યોગી તૈયાર હોવાનું કહેવાય છે.

Uttar Pradesh Politics : ઉતર પ્રદેશમાં સંધમ શરણમ ગચ્છામી, એ કે શર્મા, જીતેન પ્રસાદને પ્રધાનપદુ મળશે, મોદી-યોગીની આજે બેઠક
ઉતરપ્રદેશના મંત્રીમંડળમાં થઈ શકે છે વિસ્તરણ
| Updated on: Jun 11, 2021 | 9:47 AM
Share

ઉતરપ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ( yogi adityanath ) આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ( PM Narendra Modi ) સાથે મુલાકાત કરશે. ગઈકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને (amit shah )  મળ્યા બાદ, યોગી આદિત્યનાથની આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતને સુચક માનવામાં આવી રહી છે. ઉતર પ્રદેશના રાજકીય વર્તુળોમાંથી યોગી આદિત્યનાથ મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફારના ( Cabinet reshuffle ) સંકેતો મળી રહ્યાં છે. મંત્રીમંડળમાં ફેર બદલ કરવા માટે સંધે પણ દબાણ કર્યુ હોવાનું સામે આવી રહ્યું છે.

કોંગ્રેસમાંથી જીતેન પ્રસાદ ભાજપમાં આવતા જ ઉતરપ્રદેશમાં રાજકારણ ગરમાયુ છે. રાજકારણ ગરમાવાનું કારણે જીતેન પ્રસાદ નહી પરંતુ ગુજરાત કેડરને પૂર્વ સનદી અધિકારી એ કે શર્મા હોવાનું રાજકીય વિશ્લેષકો જણાવી રહ્યાં છે. આ બન્નેને યોગી આદિત્યનાથના મંત્રીમંડળમાં સમાવવા માટે દબાણ થઈ રહ્યું છે. જો કે યોગી આદિત્યનાથ નથી ઈચ્છતા કે તેમના મંત્રીમંડળમાં એ કે શર્મા સામેલ થાય. જીતેન પ્રસાદને પ્રધાનપદુ આપીને આગામી ચૂંટણીમાં રાજકીય લાભ લેવા યોગી તૈયાર હોવાનું કહેવાય છે.

ભાજપના આંતરીક સૂત્રોના જણાવ્યાનુસાર, ઉતરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી જીતવા માટે સંધે કેચલાક સુચનો કર્યા હતા. આ સુચનનો અમલ કરાવવા માટે યોગી આદિત્યનાથને ભાજપના મોવડીમંડળે તેડુ મોકલ્યુ હતું. જેના પગલે ગઈકાલ 10મી જૂનના રોજ, યોગી આદિત્યનાથ ઉતરપ્રદેશના પ્રભારી રહ ચૂકેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને મળ્યા છે. અમિત શાહે યોગીને સવિસ્તાર વાત કરી હોવાનું જણાવાઈ રહ્યું છે. અમિત શાહે કરેલી વાતને આજે વડાપ્રધાન મોદી આખરી મહોર મારશે તેમ માનવામાં આવી રહ્યું છે.

જો કે સૂત્રો ત્યા સુધી કહી રહ્યાં છે કે, એ કે શર્મા માટેનો અણગમો છોડવા માટે મોદી યોગી આદિત્યનાથને સમજાવશે. યોગી આદિત્યનાથ ભવિષ્યના કોઈ હરીફને ટેકો આપવા ઈચ્છતા નથી. ઉતરપ્રદેશના રાજકીય વિશ્લેષકોનુ માનવુ છે કે, જાતિ આધારીત રાજકારણમાં આવતીકાલે એ કે શર્મા હુકમનો એક્કો સાબિત થાય તો નવાઈ નહી. શર્માને વધુ મજબૂત કરવા માટે જ જીતેનના ખભે ભગવો પહેરાવ્યો હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.

જો કે કેટલાક સૂત્રો ત્યા સુધી કહી રહ્યા છે કે, રાષ્ટ્રીય સ્વંયસેવક સંધ અને ભાજપના મોવડી મંડળે, યોગી આદિત્યનાથને ત્યા સુધી કહી દીધુ છે કે, અમારુ કહ્યુ માનો અથવા મુખ્ય પ્રધાન પદની ગાદી છોડો. જો કે આ વાત કેટલી સાચી છે તે આવનારા સમયમાં જ નક્કી થઈ શકશે.

શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત
g clip-path="url(#clip0_868_265)">