સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ

વડોદરાના ભાજપ મોર્ચાના પૂર્વ મહામંત્રી જીગર ઇનામદારને લઇને રાજ્યમાં બીજેપી સગંઠન અને સરકાર વચ્ચે ખેચતાણ સર્જાઈ. જેમાં અંતે સરકારે નમતું મૂકવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે રાજ્ય યુવક બોર્ડના સંયોજક તરીકે પડતું મુકાયું છે. સૂત્રોની માનીએતો સીએમ વિજય રુપાણીએ લોકસભા ઈલેક્શન પહેલા જ જીગર ઇનામદારની નિમણૂક કરી હતી. પણ સંગઠનના નેતાઓએ વિરોધ કરતા […]

સરકાર અને ભાજપ સંગઠન વચ્ચે વિવાદમાં જીગર ઈનામદારની નિમણૂક રદ, જાણો શું છે અંદરની ખેંચતાણ
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Sep 03, 2019 | 2:18 PM

વડોદરાના ભાજપ મોર્ચાના પૂર્વ મહામંત્રી જીગર ઇનામદારને લઇને રાજ્યમાં બીજેપી સગંઠન અને સરકાર વચ્ચે ખેચતાણ સર્જાઈ. જેમાં અંતે સરકારે નમતું મૂકવુ પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. પરિણામે રાજ્ય યુવક બોર્ડના સંયોજક તરીકે પડતું મુકાયું છે. સૂત્રોની માનીએતો સીએમ વિજય રુપાણીએ લોકસભા ઈલેક્શન પહેલા જ જીગર ઇનામદારની નિમણૂક કરી હતી. પણ સંગઠનના નેતાઓએ વિરોધ કરતા સીએમ વિજય રુપાણીને પીછેહટ કરવાનો વખત આવ્યો છે. એટલે કે સરકાર અને સંગઠન વચ્ચે તાલમેલ નથી એ વાત આ ઘટનાથી સાબિત થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મૌની રોયે ડીપ નેક મિની ડ્રેસમાં આપ્યા કિલર પોઝ, જુઓ ફોટો
અમદાવાદના રિવરફ્રન્ટ પર જોવા મળ્યા કબડ્ડીના ધુરંધરો, જુઓ વીડિયો
બિગ બોસ 17 ધમાલ મચાવનારી ખાનઝાદી છે કોણ, જુઓ ફોટો
હળદર વાળું દૂધ ફાયદાકારક છે કે હળદર વાળું પાણી? શું છે બેસ્ટ
ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓ T20 વર્લ્ડ કપ નહીં રમે, 7 મહિના પહેલા જ થઈ ગયો નિર્ણય?
આજનું રાશિફળ તારીખ : 01-12-2023

બીજેપીમાં સરકાર અને સગંઠન વચ્ચે ભલે હમ સાથ સાથ હૈ…ની વાતો થતી હોય છે. પણ સમાન્ય નિમણૂકોને લઇને પણ સરકાર અને બીજેપી સંગઠન વચ્ચે વિવાદ થઈ જતો હોય છે. બીજેપી સંગઠનના નેતાઓ માને છે કે, સરકારમાં કોઇ પણ બોર્ડ નિગમ કે આયોગમાં નિમણુકો માટે સંગઠનના આધારે થતી હોય છે. પણ ઘણી વખત સરકારમાંથી સંગઠનની વાતને ધ્યાને લેવામા આવતી નથી. જેમાં સાવલીના ધારાસભ્ય જીગર ઇનામદારની રાજ્ય યુવક બોર્ડમા નિમણુક પણ આવી જ રીતે થઇ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લોકસભા ચૂંટણી પહેલા સીએમ વિજય રુપાણીએ 9 માર્ચ 2019ના દિવસે જીગર ઇનામદારની નિમણૂક કરી હતી. સગંઠનના વિરોધના પગલે નિમણૂક રદ્દ કરી છે. જીગર ઇનામદારની નિમણૂકથી બીજેપીના સંગઠન મહામંત્રી ભિખુ દલસાણીયાએ સૌથી પહેલા વિરોધ નોધાવ્યો હતો. તે પછી યુવા મોર્ચાના પ્રદેશ પ્રમુખ ઋત્વીજ પટેલ, ગુજરાત બીજેપીના મંત્રી પ્રદીપસિંહ વાઘેલા, બરોડાના પૂર્વ મેયર ભરત ડાંગર સતત જીગર ઇનામદારની નિમણૂકને લઇને નારાજગી વ્યક્ત કરી ચુક્યા હતા.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ અંગે સ્થાનિક સંગઠને સીધી રીતે અમિત શાહનું ધ્યાન પણ દોર્યું હતું. મહત્વની વાત એ હતી કે, ભુતકાળમાં જે રીતે જીગર ઈનામદારે પક્ષ વિરુદ્ધ કામગીરી કરી હતી. તેને ધ્યાને લઇને વિરોધ કરાઇ રહ્યા હોવાનો તર્ક અપાયો છે.

[yop_poll id=”1″]

જીગર ઈનામદારનો શું હતો વિવાદ

જીગર ઈનામદાર આજે તો ભાજપમાં જોડાયેલા છે. પરંતુ જ્યારે એમ.એસ યુનિવર્સિટીના સેનેટના ઇલેક્શનમાં બીજેપીથી અલગ થઇને પોતાની સ્વતંત્ર પેનલ ઉભી રાખી હતી. તે સિવાય બીજેપીને પેનલને હરાવવા માટે કામગીરી કરી હતી. 2012મા જ્યારે બીજેપીએ તેમને ટિકિટ ન આપી તો સ્વતંત્ર અપક્ષમાં ઇલેક્શન લડીને ભાજપના જ ઉમેદવારને હરાવ્યા હતા.

જીગર ઇનામદારના સમર્થકો નારાજ

ત્યારે હવે જીગર ઇનામદારની નિમણૂક રદ થતા તેના સમર્થકો નારાજ થયા છે. તેઓ સીધી રીતે મીડીયામાં આવવા માગતા નથી પણ આની ફરિયાદ દિલ્હી સુધી કરવાનો દાવો કરી રહ્યા છે. હાલ સંગઠનના ઉચ્ચ હોદ્દેદારોને જ પૂછી રહ્યા છે કે, કોગ્રેસમાંથી આવેલા નેતાઓને કેબીનેટ પ્રધાન પદ અપાઇ રહ્યું છે. કેટલાક કોગ્રેસી નેતાઓ તો બીજેપીમાં આવ્યા બાદ જાહેરાત વગર પેટા ચૂંટણીમાં પ્રચારમાં લાગી ગયા છે. ત્યારે પક્ષને શિસ્ત નથી નડી રહ્યું? આના કારણે પક્ષમાં આતરિક ક્લેશ વધશે.

Latest News Updates

ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
ભાવનગરની સરટી હોસ્પિટલ 100 વર્ષે પણ અડીખમ, અન્ય 15 વર્ષમાં જ ખખડી ગઈ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
રાજ્યમાં આગામી 3 દિવસ કમોસમી વરસાદની આગાહી
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
વડોદરામાંથી નકલી ઓઈલ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, જુઓ વીડિયો
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
જુનાગઢમાં ભરબજારે જામ્યુ આખલા યુદ્ધ, સ્થાનિકોમાં ફફડાટ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
તમિલનાડુની જગતગુરુ સેવા સંસ્થાના 400 ભાવિકોએ સોમનાથ મંદિરની કરી સફાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
અમરેલી: વડિયામાંથી નશાયુક્ત આયુર્વેદિક સિરપની 280 બોટલ ઝડપાઈ
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશાકારક સિરપ સામે ડ્રાઈવ, વિવિધ મેડિકલમાં પોલીસના દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
નશીલા સિરપને લઇને રાજકોટ પોલીસ એકશનમાં વિવિધ સ્થળોએ પાડ્યા દરોડા
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
અમદાવાદઃ IPS આર.ટી. સુસરાની પત્નીએ કર્યો આપઘાત
g clip-path="url(#clip0_868_265)">