ગુજરાત સરકાર દ્વારા કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન અપાશે : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ

રાજ્યમાં કોરોના રસી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે અઠવાડિયામાં કોરોના વેક્સિન આવી જશે. ત્યારે રાજ્યમાં ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની માહિતી આપી હતી. જેમાં તેમણે રાજ્યમાં તબક્કાવાર વેક્સિન આપવાનું જણાવ્યું હતું. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ, બીજા તબક્કામાં […]

ગુજરાત સરકાર દ્વારા કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન અપાશે : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ
Follow Us:
| Updated on: Dec 05, 2020 | 7:37 PM

રાજ્યમાં કોરોના રસી માટે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે અઠવાડિયામાં કોરોના વેક્સિન આવી જશે. ત્યારે રાજ્યમાં ગુજરાત સરકાર કોરોના વોરિયર્સને પ્રથમ વેક્સિન આપશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વેક્સિનેશનની માહિતી આપી હતી. જેમાં તેમણે રાજ્યમાં તબક્કાવાર વેક્સિન આપવાનું જણાવ્યું હતું. પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મીઓ, બીજા તબક્કામાં પોલીસ અને હોમ ગાર્ડ્સ તથા ત્યારબાદના તબક્કામાં 50 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટિઝનને વેક્સિન આપશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં રસી કેવી રીતે આપવામાં આવશે તે અંગે નીતિન પટેલે માહિતી આપી હતી કે, રાજ્યમાં મતદાન મથકની જેમ રસીકરણ કેન્દ્રો ઉભા કરાશે. રાજ્યમાં 47 હજાર 796 રસી કેન્દ્રો ઉભા કરાશે. જેને રસી આપવાની છે તેને રાજ્ય સરકાર SMS મોકલશે. રાજ્ય સરકાર લાભાર્થીને રસી કેન્દ્ર અંગે સામેથી માહિતી આપશે.

નીતિન પટેલે જણાવ્યું હતું કે, વિશ્વમાં અલગ અલગ કંપનીઓ દ્વારા કોરોના માટે રસીઓ તૈયાર કરાઇ રહી છે. અને આ રસીઓની સાચવણી માટેના માપદંડ અલગ અલગ છે. નાયબ મુખ્યપ્રધાને માહિતી આપી હતી કે ભારત વિશ્વમાંથી એવી રસી જ ખરીદશે જે આપણા હવામાન અને આપણી ક્ષમતાને અનુરૂપ હોય. અંતમાં નાયબ મુખ્યપ્રધાને રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે રાજ્યના દરેક નાગરિકને કોરોનાની રસી આપવામાં આવશે. પ્રારંભિક તબક્કાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી લોકોને રસી આપવામાં આવશે અને ત્યાર બાદ સામાન્ય નાગરિકોને રસી આપવામાં આવશે. આ રસીનો ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવશે. જોકે, નાયબ મુખ્યપ્રધાને ખાતરી આપી હતી કે રાજ્યના તમામ નાગરિકોને રસી આપવા માટે રાજ્ય સરકાર જરૂર પડ્યે પોતાના ખર્ચે પણ રસીઓ ખરીદશે.

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">