કેન્દ્ર સરકારે ખેડૂતોની વાતચીતના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો, 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે થશે બેઠક
નવા કૃષિ કાયદાને લઈ કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે ચાલી રહેલી લડાઈ પર 29 ડિસેમ્બરે કંઈક સાફ થઈ શકશે, કારણ કે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવ પર ચર્ચા પછી 29 ડિસેમ્બરે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે.
નવા કૃષિ કાયદાને લઈ કેન્દ્ર સરકાર અને ખેડૂતોની વચ્ચે ચાલી રહેલી લડાઈ પર 29 ડિસેમ્બરે કંઈક સાફ થઈ શકશે, કારણ કે ખેડૂતોએ સરકારના પ્રસ્તાવ પર ચર્ચા પછી 29 ડિસેમ્બરે બેઠક કરવાનો નિર્ણય કર્યો છે. તેની સાથે જ ખેડૂત નેતાઓએ મોદી સરકાર સામે 3 શરત પણ રાખી છે અને કહ્યું છે કે બેઠકમાં આ એજન્ડા પર વાત થશે.
સિંઘુ બોર્ડર પર ખેડૂત સંયૂક્ત મોર્ચાની બેઠક થઈ, કલાકો સુધી ચાલેલી આ બેઠક પછી ખેડૂતોએ સરકારની સાથે વાતચીત કરવાનો નિર્ણય કર્યો પણ સરકારની સામે બેઠકમાં ચર્ચા માટે એજન્ડા રાખ્યો. સ્વરાજ ઈન્ડિયાના સંયોજક યોગેન્દ્ર યાદવે કહ્યું કે અમે સંયૂક્ત કિસાન મોર્ચા તરફથી તમામ સંગઠનો સાથે વાતચીત કરી આ પ્રસ્તાવ મુક્યો છે કે ખેડૂતોના પ્રતિનિધિઓ અને ભારત સરકારની વચ્ચે આગામી બેઠક 29 ડિસેમ્બરે સવારે 11 વાગ્યે રાખવામાં આવે.
આજની બેઠકના 3 મુખ્ય નિર્ણય
1. સરકાર જો MSPને લઈ કાયદા બનાવવા, 3 કાયદાઓ રદ કરવા તૈયાર હોય તો ખેડૂતો સરકાર સાથે 29 ડિસેમ્બરે વાતચીત માટે તૈયાર છે.
2. 30 ડિસેમ્બરે તમામ ટ્રેક્ટર એક બોર્ડરથી બીજી બોર્ડર પર માર્ચ કરશે.
3. 1 જાન્યુઆરી સુધી સમાધાન ના થયું તો બંધનું એલાન કરશે.
આ પણ વાંચો: ઈન્સ્યોરન્સ ઓમ્બુડ્સમેન નિયમમાં થશે સુધારો, ફરિયાદો માટે નવું ઓનલાઈન પ્લેટફોર્મ બનાવવામાં આવશે