AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કટ્ટરપંથી શીખ સંગઠન અને પાકિસ્તાનના ટ્વીટર હેન્ડલ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે: ત્રિવેન્દ્રસિંહ રાવત

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે શનિવારે કહ્યું હતું કે અમેરિકા સ્થિત 'જસ્ટિસ ફોર શીખ' અને પાકિસ્તાનમાં લગભગ 300 જેટલા ટ્વીટર હેન્ડલ્સ ખેડૂતોમાં રોષ ઉભો કરી રહ્યાં છે.

કટ્ટરપંથી શીખ સંગઠન અને પાકિસ્તાનના ટ્વીટર હેન્ડલ ખેડૂતોને ઉશ્કેરી રહ્યા છે: ત્રિવેન્દ્રસિંહ રાવત
CM Trivendra Singh Rawat (File Image)
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 06, 2021 | 7:52 PM

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે શનિવારે કહ્યું હતું કે અમેરિકા સ્થિત ‘જસ્ટિસ ફોર શીખ’ અને પાકિસ્તાનમાં લગભગ 300 જેટલા ટ્વીટર હેન્ડલ્સ ખેડૂતોમાં રોષ ઉભો કરી રહ્યાં છે. તેમણે નવા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા લોકોને પડકાર્યા. રાવતે કહ્યું કે જેઓ ખેડૂત આંદોલન પાછળ છે તે દેશને તોડવા માગે છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર તેમણે દાવો કર્યો હતો કે નવા કૃષિ કાયદાએ ખેડૂતોને તેમના ઉત્પાદનને પરંપરાગત બજારો ઉપરાંત અન્ય સ્થળે પણ તેમના પાક અને ઉત્પાદન વેચવાની સ્વતંત્રતા આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું, “મને ખાતરી છે કે નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ આંદોલન કરનારા લોકોને જો તેઓ માટે કાયદાઓ કેટલા નુકસાનકારક છે તે સાબિત કરવા પડકારવામાં આવે તો તેઓ સહન નહીં કરે.

Gut Health : આંતરડાની સમસ્યાઓમાં ત્વચા પર દેખાય છે આ લક્ષણો
Health Tips : ઉનાળામાં ફુદીના-ધાણાના પાનનું પાણી પીવાથી શું થાય છે?
પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર !
બાઈક-સ્કૂટર બંધ પડશે? તો તમે કમાશો હજારો!
અફેરને કારણે વધુ ચર્ચામાં રહેનાર અભિનેતાના પરિવાર વિશે જાણો
Jioનું સૌથી સસ્તું રિચાર્જ ! 189 રૂપિયામાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા

દિનદયાલ ઉપાધ્યાય સહકારી ખેડૂત કલ્યાણ યોજના હેઠળ ખેડૂતોને 300 કરોડ રૂપિયાની વ્યાજ મુક્ત લોન આપ્યા બાદ રાવતે કહ્યું હતું કે, “અમેરિકા સ્થિત જસ્ટિસ ફોર શીખ જેવી સંસ્થાઓ અને પાકિસ્તાન દ્વારા સંચાલિત 302 જેટલા ટ્વીટર હેન્ડલથી ખેડૂતોમાં રોષ ફેલાવવામાં આવી રહ્યો છે. વડાપ્રધાન ભારતમાં ખેડૂતોનો વિકાસ થાય તેવું ઈચ્છે છે.

ઉત્તરાખંડના ત્રણ નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ યુનિયનો દ્વારા બોલાવવામાં આવેલા ‘ચક્કા જામ’થી દૂર રહેલા સંગઠનોની પ્રશંસા કરતા રાવતે કહ્યું કે, તેઓ તેમના હિતો માટે આવા દળોથી દૂર રહ્યા તે બદલ તેમનો આભાર. રાવતે કહ્યું કે, ખેડૂતો માટે સ્વામિનાથન કમિશનની ભલામણોનો અમલ કરવાનો શ્રેય વડાપ્રધાનને આપવો જોઈએ.

આ પણ વાંચો: આવી રહી છે Internet Startups IPOની ભરમાર, દેશમાં હાલ 42 યુનિકોર્ન

g clip-path="url(#clip0_868_265)">