AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂત આંદોલન ભારતીય અર્થતંત્રની રિકવરીને પ્રભાવિત કરી શકે છે: CIIએ ઉચ્ચાર્યો ચેતવણીનો સુર

ઈન્ડસ્ટ્રીઝ ચેમ્બરે ખેડૂતો અને સરકારને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CIIઅનુસાર, આંદોલન અર્થતંત્રની રિકવરીને પ્રભાવિત કરી શકે છે. રોડ બ્લોકને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થઈ રહ્યું છે અને ડિલિવરીનો સમય પણ વધ્યો છે. રોડ બ્લોકના કારણે ટ્રાન્સપોર્ટ 8-10 ટકા મોંઘુ થઈ ગયું છે. સમસ્યાનો નજીકના ભવિષ્યમાં હલ નીકળવો જરૂરી છે અન્યથા […]

ખેડૂત આંદોલન ભારતીય અર્થતંત્રની રિકવરીને પ્રભાવિત કરી શકે છે: CIIએ ઉચ્ચાર્યો ચેતવણીનો સુર
Ankit Modi
| Edited By: | Updated on: Dec 16, 2020 | 9:12 AM
Share

ઈન્ડસ્ટ્રીઝ ચેમ્બરે ખેડૂતો અને સરકારને આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી છે. કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી CIIઅનુસાર, આંદોલન અર્થતંત્રની રિકવરીને પ્રભાવિત કરી શકે છે. રોડ બ્લોકને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થઈ રહ્યું છે અને ડિલિવરીનો સમય પણ વધ્યો છે. રોડ બ્લોકના કારણે ટ્રાન્સપોર્ટ 8-10 ટકા મોંઘુ થઈ ગયું છે. સમસ્યાનો નજીકના ભવિષ્યમાં હલ નીકળવો જરૂરી છે અન્યથા તેની અર્થતંત્ર ઉપર માઠી અસર પડી શકે છે.

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાનમાં આ આંદોલનનો વધુ પ્રભાવ છે. ASSOCHAMનું કહેવું છે કે આ આંદોલનથી દરરોજ લગભગ 3500 કરોડનું નુકસાન થઈ રહ્યું છે. ASSOCHAM એ અપીલ કરી છે કે આના સમાધાન માટે તમામ પક્ષો મળીને કામ કરે એ સમયની માંગ છે. કૃષિ સુધારણા કાયદા વિરુદ્ધ ખેડુતોના આંદોલનનો આજે 20 મો દિવસ છે. ખેડૂત સંઘ તેની માંગણીઓથી પીછેહઠ કરવા તૈયાર નથી. ખેડૂતોના આંદોલનને કારણે શાકભાજી અને ફળોના ભાવમાં વધારો થયો છે.

pm-modi-mangalvare-kutch-ni-mulakate aavse-3-karyakarm-nu-vertual-khatmuhrat-karse

વડા પ્રધાન મોદીએ ખેડૂતોને ખાતરી આપી છે કે નવો કાયદો તેમના ફાયદામાં છે. તેમણે કહ્યું કે સરકાર ખેડૂતોની તમામ શંકાઓને દૂર કરવા માટે તૈયાર છે. સરકાર વાટાઘાટો કરવા માગે છે જેથી કોઈ સમાધાન મળી શકે. આ સાથે જ તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધ્યું હતું કે વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પણ વિરોધી પક્ષો પર ખેડૂત આંદોલન હાઇજેક કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે સરકાર કાયદામાં સુધારા પર વાત કરવા તૈયાર છે પરંતુ કાયદો રોલબેક રહેશે નહીં.સરકારે ફરી એકવાર વિશ્વાસ આપવા પ્રયત્ન કર્યો છે કે કૃષિ સુધાર એક્ટ ખેડૂતોના ફાયદામાં છે. કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે ખેડૂત આંદોલનના બહાને રાજકારણ રમાઈ રહ્યું છે તેમણે દાવો કર્યો હતો કે આ સુધારાઓથી ખેડૂતોને ફાયદો થશે.

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">