નીતિન પટેલ પર ભાજપ સાંસદ નારણ કાછડિયાના પ્રહાર, “ગાંધીનગર જઈએ ત્યારે સામે જોતા નથી, કામની વાત તો પછી રહી”

અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડિયા પોતાની પોસ્ટ પર વિવાદ વકર્યા બાદ પણ મકક્મ રહ્યાં, નારણ કાછડિયાએ કહ્યું કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારથી કોઈને કોઈ સિનિયર પદે રહ્યાં છે,

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 22, 2021 | 2:14 PM

ગુજરાતમાં કેબિનેટના વિસ્તરણ બાદ ભાજપના બે વરિષ્ઠ નેતાઓ વચ્ચેની ભાંજગડ સામે આવી છે. અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને નકામા કહ્યાં, નીતિન પટેલની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર જઈને નારણ કાછડિયાએ લખ્યું કે ગાંધીનગર જઈએ ત્યારે સામે જોતા પણ નથી, તો પછી કામની વાત તો ક્યાં કરવી, એક તબીબની બદલીને લઈ નીતિન પટેલ અને કાછડિયા વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે,

અમરેલીના ભાજપ સાંસદ નારણ કાછડિયા પોતાની પોસ્ટ પર વિવાદ વકર્યા બાદ પણ મકક્મ રહ્યાં, નારણ કાછડિયાએ કહ્યું કે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ ગુજરાતમાં ભાજપની સત્તા આવી ત્યારથી કોઈને કોઈ સિનિયર પદે રહ્યાં છે, મારે નીતિનભાઈના રામાયણ વાળા નિવેદન પર પૂછવું છે કે ભાજપમાં મંથરા કોણ અને વિભીષણ કોણ છે, ભાજપમાં સતત સંઘર્ષ કરી આગળ વધતા કાર્યકર્તા, હોદ્દેદારોને મહત્વ મળવું જોઈએ, ભાજપ હાઈકમાન્ડે કેબિનેટ બદલીને આવો જ નિર્ણય કર્યો છે, તેમાં અનેક સંઘર્ષ કરતા લોકોને સ્થાન મળતા સૌએ રાજી થવું જોઈએ,ઉલટાનું લાંબા સમયથી સત્તા સ્થાને રહેલા નીતિનભાઈએ તો બીજી કેડરને તૈયાર કરવા સામેથી કહેવું જોઈતું હતું,

અમરેલીના જ વરિષ્ઠ ભાજપ નેતા ડૉ. ભરત કાનાબારે કહ્યું કે નારણ કાછડિયા ત્રણ ટર્મથી સાંસદ છે, નીતિનભાઈ પણ લાંબા સમયથી પ્રધાન મંડળમાં રહ્યાં, હવે જ્યારે નીતિનભાઈ પ્રધાનમંડળમાં નથી ત્યારે આવા આક્ષેપ ન કરવા જોઈએ, ભરત કાનાબારે નીતિન પટેલ અંગે કહ્યું કે તમે તમારો મુદ્દો વ્યાજબી સમજાવી શકો તો તેમના જેવું સફળતાથી કામ ચોક્કસ કરી આપતા હતા,

Follow Us:
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
g clip-path="url(#clip0_868_265)">