વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપ તૈયાર, રાજસ્થાન ભાજપના એક પણ ધારાસભ્ય ગુજરાત નથી આવ્યાનું રટણ રટતા ચંદ્રકાત પાટીલ
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી ગમે ત્યારે આવે, ભાજપ પેટાચૂંટણી લડવા હંમેશા તૈયાર હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે જણાવ્યું. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી હાલ ના યોજવા કોગ્રેસે એઈસીસીને પત્ર લખી જણાવ્યુ હોવાનુ ચંદ્રકાત પાટીલે જણાવ્યું. જો કે બે દિવસ પૂર્વે રાજસ્થાનથી હવાઈમાર્ગે પોરબંદર, સોમનાથ અને સાસણ આવેલા રાજસ્થાન ભાજપના કોઈ જ ધારાસભ્યો ગુજરાતમાં આવ્યા […]
ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી ગમે ત્યારે આવે, ભાજપ પેટાચૂંટણી લડવા હંમેશા તૈયાર હોવાનું ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે જણાવ્યું. વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી હાલ ના યોજવા કોગ્રેસે એઈસીસીને પત્ર લખી જણાવ્યુ હોવાનુ ચંદ્રકાત પાટીલે જણાવ્યું. જો કે બે દિવસ પૂર્વે રાજસ્થાનથી હવાઈમાર્ગે પોરબંદર, સોમનાથ અને સાસણ આવેલા રાજસ્થાન ભાજપના કોઈ જ ધારાસભ્યો ગુજરાતમાં આવ્યા ના હોવાનું જણાવ્યુ. અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, બે દિવસ પૂર્વે રાજસ્થાન ભાજપના ધારાસભ્યો પોરબંદર એરપોર્ટ ઉપર ઉતર્યા ત્યારે બાબુ બોખિરીયાએ આવકાર્યા હતા. પોરબંદરમાં આવનારા ભાજપના ધારાસભ્યોએ મીડિયાને એવુ કહ્યુ હતુ કે રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત જૂના અને ખોટા કેસની કાર્યવાહીના નામે ભાજપના ધારાસભ્યોને ડરાવી રહ્યાં છે તેથી અમે પોરબંદરમાં આવ્યા છીએ. આ બધુ સ્પષ્ટ હોવા છતા ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાત પાટીલે આજે મીડિયાને કહ્યુ કે રાજસ્થાન ભાજપના એક પણ ધારાસભ્ય ગુજરાતમાં આવ્યા નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો