પહેલા નોરતાથી ભાજપ પ્રચારના શ્રીગણેશ કરશે, રૂપાણી અને પાટીલ વચ્ચે મળી મહત્વપૂર્ણ બેઠક
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. ત્યારે રાજયમાં બંને મુખ્ય પક્ષો જીત મેળવવા અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે મળેલી બેઠકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશનો નિર્ણય લેવાયો છે. ભાજપ આઠેય બેઠકો પર પ્રથમ નોરતાથી પ્રચાર શરૂ કરશે. આ સાથે જ પેટાચૂંટણીના પ્રચારને લઇને વિવિધ કામગીરી […]
ગુજરાતમાં વિધાનસભાની પેટાચૂંટણીના પડઘમ વાગી ચુકયા છે. ત્યારે રાજયમાં બંને મુખ્ય પક્ષો જીત મેળવવા અથાગ પ્રયાસ કરી રહ્યાં છે. ગાંધીનગરમાં કમલમ ખાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ વચ્ચે મળેલી બેઠકમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશનો નિર્ણય લેવાયો છે. ભાજપ આઠેય બેઠકો પર પ્રથમ નોરતાથી પ્રચાર શરૂ કરશે. આ સાથે જ પેટાચૂંટણીના પ્રચારને લઇને વિવિધ કામગીરી અંગે પણ બેઠકમાં ચર્ચા કરાઇ હતી. મુખ્યપ્રધાન અને પ્રદેશ પ્રમુખ પેટાચૂંટણી અન્વયે આઠેય બેઠકો પર વર્ચ્યુઅલ સભા કરશે. વધુ માહિતી મેળવવા જુઓ અમારો આ વીડિયો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો