PM મોદીની નવી સરકારમાં ગૃહપ્રધાન બનેલા અમિત શાહ હવે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાયપેયીના ઘરમાં સ્થાન મેળવશે. ગૃહપ્રધાન અમિત શાહને દિલ્હી ખાતે 6એ કૃષ્ણ મેનન માર્ગ પર બંગલાની વહેચણી કરાઈ છે. આ બંગલામાં અટલ બિહારી વાજપેયીને આપવામાં આવ્યો હતો. જે બાદ હવે અમિત શાહ રહેશે. અટલ બિહારી વાજપેયી પહેલા આ બંગલો DMKના સાંસદ મુરાસલીની પાસે હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ નાણા પ્રધાન નિર્મલા સિતારમણે સોશિયલ મીડિયાના માધ્યમથી બજેટ માટે લોકો પાસે કરી આ અપીલ
તો અમિત શાહ અગાઉ અકબર રોડ પરના બંગલા નંબર 11માં વસવાટ કરતા હતા. જે તેમને પાર્ટીના અધ્યક્ષના રૂપમાં આપવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીના પદથી પોતાના અંતિમ શ્વાસ સુધી અટલજીએ આ ઘરમાં જ વસવાટ કર્યો હતો.
સરકારમાં ગૃહ પ્રધાન તરીકે શાહનો આ છઠ્ઠો દિવસ છે. બુધવારે ઈદની રજા હોવા છતાં તેઓ પોતાના વિભાગમાં પહોંચ્યા હતા. અને ખાસ મુદ્દાઓ પર અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. અત્યાર સુધી કાશ્મીરના મુદ્દે અમિત શાહે 3 વખત બેઠક કરી ચૂક્યા છે. તો પહેલા દિવસે જ 22 વિભાગની તેમણે પ્રેજેન્ટેશન લીધું હતું.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:01 pm, Thu, 6 June 19