કમોસમી વરસાદવાળા વિસ્તારમાં કરાવાશે કૃષિ સર્વે, સર્વેમાં નુકસાન જણાશે તો ખેડૂતોને ચૂકવાશે વળતર
છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાતમાં જ્યા કમોમસી વરસાદ વરસ્યો છે ત્યા સર્વે કરાવાશે અને સર્વેમાં જે કોઈ નુકસાન થયુ હોવાનું જણાશે તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ છે. દિલ્લીમાં કૃષિબીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે વિજય રૂપાણીએ વિપક્ષ ઉપર વાકપ્રહાર કર્યા હતા. ખેડૂતોના મુદ્દે વિપક્ષ રાજકીય રોટલા શેકી […]
છેલ્લા બે દિવસ દરમિયાન ગુજરાતમાં જ્યા કમોમસી વરસાદ વરસ્યો છે ત્યા સર્વે કરાવાશે અને સર્વેમાં જે કોઈ નુકસાન થયુ હોવાનું જણાશે તે પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવશે તેમ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ છે. દિલ્લીમાં કૃષિબીલના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન અંગે વિજય રૂપાણીએ વિપક્ષ ઉપર વાકપ્રહાર કર્યા હતા. ખેડૂતોના મુદ્દે વિપક્ષ રાજકીય રોટલા શેકી રહ્યુ હોવાનું જણાવીને રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં ભારત બંધ નિષ્ફળ રહ્યુ છે. તે સાબિતી આપે છે કે ગુજરાતના ખેડૂતો આંદલનની સાથે નથી.
નળ સે જળ યોજના દ્વારા, ગુજરાતના તમામ નગર સહીત ગ્રામ્ય વિસ્તારોના લોકોને ઘરે જ પાણી આપવા માટેની યોજના 2022 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. 80 ટકા લોકોને નળ સે જળ યોજના થકી શુધ્ધ પાણી પહોચાડવામાં આવી રહ્યું હોવાનું વિજય રૂપાણીએ કહ્યુ હતું.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો