5 રાજ્યોમાં ભાજપની હારનું ઠીકરું કોના માથે ફૂટશે?

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમિ ફાઈનલ ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો છે.પાંચ રાજ્યોના પરિણામો ભાજપ માટે માઠા સમાચાર લઈને આવ્યા છે. ત્યારે મોટો સવાલ એ થઈ રહ્યો છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કારમી હારનું ઠીકરું ભાજપ કોના પર ફોડશે?  વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી કે 3 નેતાઓ પર […]

5 રાજ્યોમાં ભાજપની હારનું ઠીકરું કોના માથે ફૂટશે?
Follow Us:
| Updated on: Dec 11, 2018 | 12:41 PM

લોકસભાની ચૂંટણી પહેલાની સત્તાની સેમિ ફાઈનલ ગણાતી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને જબરદસ્ત ફટકો પડ્યો છે.પાંચ રાજ્યોના પરિણામો ભાજપ માટે માઠા સમાચાર લઈને આવ્યા છે. ત્યારે મોટો સવાલ એ થઈ રહ્યો છે કે છત્તીસગઢ, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કારમી હારનું ઠીકરું ભાજપ કોના પર ફોડશે? 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડી કે 3 નેતાઓ પર હારનું ફૂટશે ઠીકરું?

રાજસ્થાનમાં તો ‘મોદી સે બૈર નહીં, વસુંધરા તેરી ખૈર નહીં’નો નારો ચરિતાર્થ થયો. તો મધ્યપ્રદેશના મામા એટલે કે શિવરાજસિંહ ચૌહાણની લહેર ન ચાલી અને છત્તીસગઢના ચાવલ બાબા એટલે રમનસિંગનો ગઢ પણ 15 વર્ષ બાદ કોંગ્રેસે સર કરી લીધો છે. પણ એ વાતમાં કોઈ બેમત નથી કે આ ત્રણેય રાજ્યોના પરિણામો ભાજપ માટે આત્મમંથન માગતા સાબિત થયા છે. પણ આખરે સવાલ એ છે કે હાર માટે જવાબદાર કોણ?

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રમનસિંહના શિરે ફૂટશે હારનું ઠીકરું?

છત્તીસગઢમાં ભાજપની હાર થતાં હારનું ઠીકરું 15 વર્ષથી મુખ્યપ્રધાન રહેલા રમનસિંહ પર ફૂટી શકે છે. નહીં તો કેન્દ્રીય નેતૃત્વ જવાબદાર ગણાશે. 

શિવરાજસિંહને ઠેરવાશે જવાબદાર?

તો બીજી બાજુ મધ્યપ્રદેશમાં પણ શિવરાજસિંહનો ગઢ કોંગ્રેસ સર કરી લીધો છે. આમ તો શિવરાજસિંહ ચૌહાણ જમીની નેતા છે એવામાં ભાજપની હાર માટે શિવરાજની જવાબદારી રહેશે. જોકે વડાપ્રધાન મોદી માટે આ ચિંતાનો વિષય બની રહેશે. 

મહારાણીને કોણ લઈ ડૂબ્યું?

રાજસ્થાનમાં વસુંધરા રાજે સિંધિયાના વિરોધમાં પહેલેથી જ લહેર હતી. પ્રદેશ ભાજપ હાઈ કમાન્ડ પર નારાજ હોવાની વાતો પણ સામે આવતી રહી છે. ટિકિટ વહેંચણીમાં વસુંધરા રાજે જ સર્વે સર્વા સાબિત થતાં હાર માટે પણ મહારાણી જ જવાબદાર ઠેરવાશે.

આ પાંચેય રાજ્યોમાં ભાજપનો વિજય થાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહે પ્રચાર-પ્રસારમાં કોઈ કચાશ નહોતી છોડી, એડી ચોટીનું જોર લગાવ્યું હતું. આમ છતાં પણ 3 રાજ્યોમાં ભાજપે કારમી હારનો સામનો કરવો પડ્યો તેનાથી મોદી અને શાહ માટે ચિંતા ઘેરી બની છે. એ વાતમાં કોઈ બેમત નથી કે લોકસભા ચૂંટણી પહેલા આ રાજ્યોમાં ભાજપની પકડ મજબૂત બનાવવાનો પડકાર ભાજપ સામે છે.

[yop_poll id=211]

Latest News Updates

નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
નવસારીની કેસર કેરીના શોખીનો માટે માઠા સમાચાર
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
તાપીના વાલોડ, વ્યારા, ડોલવણમાં વરસ્યો વરસાદ, માવઠું થતા જગતનો તાત ચિંત
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
g clip-path="url(#clip0_868_265)">