ગુજરાતમાં ફરી ચૂંટણીઓના એંધાણ, ચૂંટણીપંચ પણ એક્શનમાં

રાજયભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આ સાથે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ સતત ત્રીજીવાર ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાશે એવી અટકળો તેજ બનતાં […]

ગુજરાતમાં ફરી ચૂંટણીઓના એંધાણ, ચૂંટણીપંચ પણ એક્શનમાં
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:14 PM

રાજયભાની ચૂંટણી દરમિયાન ગુજરાતમાં 8 વિધાનસભા બેઠકો પરથી કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. જેના કારણે ગુજરાતમાં ફરી એકવાર પેટાચૂંટણી યોજાય એવી પરિસ્થિતિ સર્જાઈ છે અને આ સાથે વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણી બાદ સતત ત્રીજીવાર ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાત વિધાનસભાની 8 ખાલી પડેલી બેઠકોની ચૂંટણી આગામી બે મહિનામાં યોજાશે એવી અટકળો તેજ બનતાં રાજકીય ગરમીનો માહોલ છે.

4 Rajya Sabha seats of Gujarat to go to polls on June 19 Gujarat rajyasabha ni chutani ne lai matdan ni tarikh jaher 4 bethak mate 5 umedvaro medan ma

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણી યોજવા માટે અલગ અલગ એક્શન પ્લાન પર કામ શરૂ કરી દીધું છે. હાલમાં સપ્ટેમ્બરમાં ચૂંટણી યોજાયએ ગણતરીએ તમામ તૈયારીઓ ચાલી રહી છે. આ મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન પણ માંગવામાં આવ્યું છે, તેના કારણે ગુજરાતમાં ચૂંટણી આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. મહત્વનું છે કે ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી છે. નિયમ મુજબ આગામી ત્રણ મહિનામાં ગુજરાતમાં આ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી કરવી જરૂરી છે. કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપતાં ઓછામાં ઓછી 8 બેઠકોની તો આગામી સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજવી જ પડે તેમ છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગુજરાતનું ચૂંટણી પંચ ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે પણ અત્યારે કોરોનાના ખતરાને કારણે પ્રચાર કરવો યોગ્ય છે કે કેમ એ સવાલ છે. આ કારણે કેન્દ્રીય ચૂંટણીપંચ પાસે મામલો ગયો છે અને આખરી નિર્ણય કેન્દ્રીય ચૂંટણીપંચ જ લેશે. માર્ચ મહિનામાં કોંગ્રેસના 5 ધારાસભ્યોએ 15 અને 16 માર્ચ દરમિયાન રાજીનામાં આપ્યા હતા. આ ધારાસભ્યોમાં ગઢડાના પ્રવીણભાઈ મારું, લીમડીના સોમાભાઈ પટેલ, અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીના જે વી કાકડિયા અને ડાંગના મંગળભાઈ ગાવિતનો સમાવેશ થાય છે. ત્યારબાદ હમણાં જૂનમાં વધુ ત્રણ કોંગ્રેસી ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં. જેમાં કપરાડાના જીતુભાઈ ચૌધરી, કરજણના અક્ષય પટેલ અને મોરબીના બ્રિજેશ મેરજાનો સમાવેશ થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

તમામ બેઠકો કોંગ્રેસની માનવામાં આવે છે અને તે જ કારણે કોંગ્રેસ ફરી આ બેઠકો પર વિજય મેળવશે અને ભાજપને ઘર ભેગી કરશે એવુ સ્પષ્ટ માની રહ્યુ છે તો બીજી બાજુ ભાજપ માટે અવઢવની સ્થિતિ સર્જાઈ છે, કેમ કે ગત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષપલટુના સિમ્બોલ સાથે કોંગેસમાંથી આવેલા ભાજપના નેતા અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાને પ્રજાએ નકારી કાઢયા હતા સાથે કોંગ્રેસમાંથી ભાજપમાં આવનાર નેતાઓેને જે રીતે ટીકીટ આપવામાં આવે છે અને જીતાડવાની જવાબદારી પાયાના કાર્યકર્તાઓથી માંડીને પદાધિકારીઓને આપવામાં આવે છે. જેના કારણે પાર્ટીમાં પણ આંતરિક અસંતોષ ચરમસીમાએ છે અને એ જ કારણ છે કે હજુ સુધી કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા નથી. ત્યારે જોવાનુ એ છે કે આ 8 બેઠકો પર કોંગ્રેસની જીતનું પુનરાવર્તન થાય છે કે પરિવર્તન.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">