
સન 1870માં ચુનાર વાડાથી જુના બજાર સુધી જવા માટે ભરૂચ નગરપાલિકાએ રસ્તો બનાવ્યો. જે દેસાઈ જુના ઘર સુધી આવ્યો હવે આ રસ્તો લાલ બજાર લઈ જવું હોય તો દેસાઈની હવેલીનો કેટલો હિસ્સો નગરપાલિકાએ લેવો પડે તે સમયે હવેલીની દેખરેખ રાખત ચુનીલાલ દેસાઈ તેમણે એક પણ પૈસો લીધા વગરએ જગ્યા મ્યુનિસિપાલટીને આપી દીધી.

હવે વાત આવે છે આ પથ્થરની, રસ્તો બનાવવા હવેલીની ખાનગી જગ્યા તો નગરપાલિકાને આપી દીધી. પણ ત્યાંથી વાહન વ્યવહાર પસાર થતા અને લોકોની અવરજવર શરૂ થતા દેસાઈ જોઈને લાગ્યું કે હવેલીના ખુણા ના ભાગને નુકસાન થઈ શકે છે. તેનાથી બચવા માટે એક મોટો પથ્થર ત્યાં ઊભો કરવામાં આવ્યો પણ ભરૂચ નગરપાલિકાને આ પથ્થર રસ્તામાં નડતરરૂપ લાગતાં દેસાઈ જીની હવેલીના રહેવાસીઓને આ પથ્થર હટાવવા એક નોટિસ આપી અને હવેલીના રહેવાસીઓએ પથ્થર હટાવાની ના પાડી દીધી.

વાત અહીં ન અટકતા પથ્થર હટાવવા મુદ્દે કોર્ટ કેસ ચાલ્યો જે શરૂઆતમાં ભરૂચ શહેરમાં ચલાવવામાં આવ્યો. જે દેસાઈની હવેલીના રહેવાસીઓ હારી ગયા ત્યારબાદ હાર ન માનતા કોર્ટ કેસ બ્રિટિશ પ્રિવી કાઉન્સિલ સુધી લઈ ગયા અને ત્યાં ઈસવીસન 1875 શરૂ થઈ થી 1895 માં પૂરો થયો એટલે 20 વર્ષ જેટલો લાંબો સમય કેસ ચાલ્યા બાદ આખરે દેસાઈની હવેલીના રહેવાસીઓની જીત થઈ અને બ્રિટિશ કાઉન્સિલ પોતાના એક નાગરિકને તેનો અધિકાર આપ્યો ક્યા પથ્થર છે ત્યાં જ રહેશે તેઓ હુકમ કર્યો.

આ પથ્થર એક સાદો પથ્થર જ છે પણ તે સોનાનો એટલે થઈ ગયો કેઆ પથ્થરને ત્યાંના હટાવા પાછળ દેસાઈની હવેલી અને નગરપાલિકાના અધિકારીઓ તરફથી તે સમયે એટલો ખર્ચ કરવામાં આવ્યો હતો કે તે ખર્ચની રકમ માં સોનાનો પથ્થર બની જાય ત્યારથી આ પથ્થરને સોનાનો પથ્થર તરીકે ઓળખવામાં આવે છે જે આજે પણ હયાત છે. ( Photos By- Divyang bhavsar, Edited By- Omprakash Sharma)