
રહમત અલીએ અંગ્રેજો અને ભારતીય નેતાઓ વચ્ચેની ત્રીજી ગોળમેજી પરિષદમાં આ વિચાર રજૂ કર્યો. તેણે ‘Now Or Never’ નામની પુસ્તિકા તૈયાર કરી હતી, જેમાં પાકિસ્તાનનું નામ હતું. જેમાં ભારતના લગભગ ત્રણ કરોડ મુસ્લિમો માટે અલગ દેશ પાકિસ્તાન બનાવવાની માંગ કરવામાં આવી હતી. તો આ રીતે 28 જાન્યુઆરી 1933ના રોજ આ શબ્દ, પાકસ્તાન (PAKSTAN) દુનિયાની સામે આવ્યો હતો. જેમાં, તેઓએ પંજાબમાંથી P, અફઘાનિસ્તાન A, કાશ્મીરમાંથી K , સિંધ,માંથી S અને તાન એટલે કે બલૂચિસ્તાન વગેરે રાજ્યોને જોડીને Tan લઈને એક નવા દેશની રચનાની માંગ કરી.

પછી અહીંથી મુસ્લિમ લીગના નેતાઓ મોહમ્મદ અલી ઝીણા અને અલ્લામા ઈકબાલે નવા મુસ્લિમ રાષ્ટ્રનું નામ નક્કી કર્યું. લાહોર સત્રમાં તેમણે બે રાષ્ટ્ર સિદ્ધાંત અને અલગ મુસ્લિમ બંધારણની માંગણી કરી હતી. ત્યારે તેનું નામ ન હોવાથી તેણે રહેમતની પુસ્તિકામાંથી પાકિસ્તાન નામ લીધું અને તેમાં ફેરફાર કરીને પાકિસ્તાન કરી દીધું. આમાં પાક એટલે શુદ્ધ અને સ્ટેન એટલે જમીન. તો આ રીતે પાકિસ્તાનનું નામ અસ્તિત્વમાં આવ્યું હતું.