Bhakti : જાણો ભારતના સૌથી પ્રસિદ્ધ 10 હનુમાન મંદિરનો મહિમા

આ મંદિરો દેશના સૌથી પ્રસિદ્ધ હનુમાન સ્થાનકોમાં સ્થાન ધરાવે છે. સુતેલા હનુમાનજી હોય કે પછી બાળરૂપે દર્શન આપતાં અંજનીસુત કે પછી અયોધ્યામાં બિરાજમાન ફક્ત 6 ઈંચના પવનસુત, બજરંગબલીના આ તમામ સ્વરૂપ ભક્તોને ભયમુક્ત કરે છે.

| Edited By: | Updated on: Jul 24, 2021 | 6:34 PM
4 / 10
સંકટ મોચન હનુમાન મંદિર પવિત્ર શહેર વારાણસીમાં આવેલું છે. તે દુર્ગા મંદિર અને નવા વિશ્વનાથ મંદિર માર્ગ પર બનારસ હિન્દુ યુનિવર્સિટીની નજીક આવેલું છે. કહેવાય છે કે આ પવિત્ર શહેરમાં જે સ્થાન પર હનુમાનજીએ  ગોસ્વામી તુલસીદાસજીને દર્શન આપ્યા તે સ્થાન સંકટ મોચન તરીકે ઓળખાય છે. તુલસીદાસજીએ જે મુદ્રામાં દર્શન કર્યા હતા ત્યાં તેમણે હનુમાનજીની મૂર્તિની સ્થાપના એ જ સ્વરૂપમાં કરી હતી. સંકટમોચન એટલે બધા દુ:ખને દૂર કરે તે. આ મંદિરમાં જે કોઇપણ આવે છે, હનુમાનજી તેમની બધી મુશ્કેલીઓ દૂર કરતા હોવાની વાયકા છે.

સંકટ મોચન હનુમાન મંદિર પવિત્ર શહેર વારાણસીમાં આવેલું છે. તે દુર્ગા મંદિર અને નવા વિશ્વનાથ મંદિર માર્ગ પર બનારસ હિન્દુ યુનિવર્સિટીની નજીક આવેલું છે. કહેવાય છે કે આ પવિત્ર શહેરમાં જે સ્થાન પર હનુમાનજીએ ગોસ્વામી તુલસીદાસજીને દર્શન આપ્યા તે સ્થાન સંકટ મોચન તરીકે ઓળખાય છે. તુલસીદાસજીએ જે મુદ્રામાં દર્શન કર્યા હતા ત્યાં તેમણે હનુમાનજીની મૂર્તિની સ્થાપના એ જ સ્વરૂપમાં કરી હતી. સંકટમોચન એટલે બધા દુ:ખને દૂર કરે તે. આ મંદિરમાં જે કોઇપણ આવે છે, હનુમાનજી તેમની બધી મુશ્કેલીઓ દૂર કરતા હોવાની વાયકા છે.

5 / 10
હનુમાન ધારા મંદિર ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાથી 3 કિમી દૂર પર્વતમાળાની મધ્યમાં સ્થિત છે.લંકામાં આગ લગાવ્યા બાદ હનુમાનજીની પૂંછ પર લાગેલી આગને આ જ સ્થાન પર શાતા મળી હતી. કહેવાય છે કે એ વખતે હનુમાનજીને આગના કારણે ખુબ બળતરાં થતી હતી. તેમણે પ્રભુ શ્રીરામને તેના ઉપાય માટે વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી રામે તેમના બાણથી પવિત્ર જલધારાનું નિર્માણ કર્યું અને એટલે જ તો પર્વતમાંથી નીકળતી પવિત્ર જલધારા આજે પણ ત્યાં દ્રશ્યમાન થાય છે. આ જલધારા હનુમાનજીની પ્રતિમાની પૂંછ પર પડે છે અને અંતે નીચે રહેલાં કુંડમાં જતી રહે છે. સેંકડો ભક્તો આજે પણ અહીં દર્શનાર્થે આવે છે અને હનુમાનજી સૌને શાંતિના આશીર્વાદ આપે છે.

હનુમાન ધારા મંદિર ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લાથી 3 કિમી દૂર પર્વતમાળાની મધ્યમાં સ્થિત છે.લંકામાં આગ લગાવ્યા બાદ હનુમાનજીની પૂંછ પર લાગેલી આગને આ જ સ્થાન પર શાતા મળી હતી. કહેવાય છે કે એ વખતે હનુમાનજીને આગના કારણે ખુબ બળતરાં થતી હતી. તેમણે પ્રભુ શ્રીરામને તેના ઉપાય માટે વિનંતી કરી ત્યારે ભગવાન શ્રી રામે તેમના બાણથી પવિત્ર જલધારાનું નિર્માણ કર્યું અને એટલે જ તો પર્વતમાંથી નીકળતી પવિત્ર જલધારા આજે પણ ત્યાં દ્રશ્યમાન થાય છે. આ જલધારા હનુમાનજીની પ્રતિમાની પૂંછ પર પડે છે અને અંતે નીચે રહેલાં કુંડમાં જતી રહે છે. સેંકડો ભક્તો આજે પણ અહીં દર્શનાર્થે આવે છે અને હનુમાનજી સૌને શાંતિના આશીર્વાદ આપે છે.

6 / 10
તામિલનાડુમના તિરુવલ્લુરના કુંભકોણમ નામના સ્થળે, શ્રી પંચમમુખ અંજનેય સ્વામીજીમાં શ્રી હનુમાનજીનું એક ખૂબ જ ભવ્ય અને સુંદર મઠ આવેલો છે. હનુમાનજીનું આ એક માત્ર એવું સ્વરૂપ છે જેમાં હનુમાનજીના 5 ચહેરા છે એટલે કે પંચમુખ છે.અહીં પ્રવર્તતી લોકવાયકા મુજબ, જ્યારે અહિરાવણ અને તેના ભાઈ મહિરાવણે રામ અને રાવણના યુદ્ધ દરમિયાન શ્રી રામ અને ભાઈ લક્ષ્મણનું અપહરણ કર્યું હતું, ત્યારે હનુમાનજીએ આ સ્થાન પરથી પંચમુખ પહેરીને તેમની શોધ શરૂ કરી હતી. અને આ રૂપ ધારણ કરીને તેમણે અહિરાવણ અને મહિરાવણનો વધ કર્યો હતો. અહીં લોકો હનુમાનજીના પંચમુખ સ્વરૂપના દર્શન કરવાં દૂર દૂરથી આવે છે. કહે છે કે હનુમાનજી અહીં આવતા તમામ ભક્તોના દુ:ખ દૂર કરે છે.

તામિલનાડુમના તિરુવલ્લુરના કુંભકોણમ નામના સ્થળે, શ્રી પંચમમુખ અંજનેય સ્વામીજીમાં શ્રી હનુમાનજીનું એક ખૂબ જ ભવ્ય અને સુંદર મઠ આવેલો છે. હનુમાનજીનું આ એક માત્ર એવું સ્વરૂપ છે જેમાં હનુમાનજીના 5 ચહેરા છે એટલે કે પંચમુખ છે.અહીં પ્રવર્તતી લોકવાયકા મુજબ, જ્યારે અહિરાવણ અને તેના ભાઈ મહિરાવણે રામ અને રાવણના યુદ્ધ દરમિયાન શ્રી રામ અને ભાઈ લક્ષ્મણનું અપહરણ કર્યું હતું, ત્યારે હનુમાનજીએ આ સ્થાન પરથી પંચમુખ પહેરીને તેમની શોધ શરૂ કરી હતી. અને આ રૂપ ધારણ કરીને તેમણે અહિરાવણ અને મહિરાવણનો વધ કર્યો હતો. અહીં લોકો હનુમાનજીના પંચમુખ સ્વરૂપના દર્શન કરવાં દૂર દૂરથી આવે છે. કહે છે કે હનુમાનજી અહીં આવતા તમામ ભક્તોના દુ:ખ દૂર કરે છે.

7 / 10
આ મંદિર કર્ણાટકના બેલેરી જિલ્લાના હમ્પી ખાતે આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા યંત્રોર્ધક હનુમાનના નામથી જાણીતી છે. આ સ્થાનને પ્રાચીન કિશકિંધા શહેર પણ કહેવામાં આવે છે. વાલ્મીકીજીએ આ સ્થાનનો ઉલ્લેખ રામાયણમાં કર્યો છે. તો રામચિરતમાનસમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ જોવા મળે છે.રામનવમી પર આ મંદિરમાં ભક્તિનું ટોળુ ઉમટે છે, અલબત્ મહામારીના સમયને બાદ કરતાં, અહીં રામનવમીથી 3 દિવસ સુધી ઉત્સવની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હનુમાનજીનું આ મંદિર ખુબ જ પ્રખ્યાત છે.

આ મંદિર કર્ણાટકના બેલેરી જિલ્લાના હમ્પી ખાતે આવેલું છે. આ મંદિરમાં હનુમાનજીની પ્રતિમા યંત્રોર્ધક હનુમાનના નામથી જાણીતી છે. આ સ્થાનને પ્રાચીન કિશકિંધા શહેર પણ કહેવામાં આવે છે. વાલ્મીકીજીએ આ સ્થાનનો ઉલ્લેખ રામાયણમાં કર્યો છે. તો રામચિરતમાનસમાં પણ આ સ્થાનનો ઉલ્લેખ જોવા મળે છે.રામનવમી પર આ મંદિરમાં ભક્તિનું ટોળુ ઉમટે છે, અલબત્ મહામારીના સમયને બાદ કરતાં, અહીં રામનવમીથી 3 દિવસ સુધી ઉત્સવની ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હનુમાનજીનું આ મંદિર ખુબ જ પ્રખ્યાત છે.

8 / 10
કષ્ટભંજન હનુમાન મંદિર ગુજરાતના સારંગપુરમાં આવેલું છે. વિશાળ કિલ્લાની અંદર કષ્ટભંજન દેવની ખુબ સુંદર પ્રતિમાના દર્શન થાય છે. મંદિરના ભવ્ય મંડપની અંદર રાજાધિરાજ જેવો ઠાઠ હનુમાનજીનો છે.  મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સુવર્ણ અને ચાંદીની ગાદી પર બિરાજમાન છે. અંહી બજરંગબલીના ચરણોમાં શનિદેવના દર્શન થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે.  આ સ્થાન પર આવનારા તમામ લોકો પરના ભુત-પ્રેતનો ઓછાયો બજરંગબલી દુર કરે છે.

કષ્ટભંજન હનુમાન મંદિર ગુજરાતના સારંગપુરમાં આવેલું છે. વિશાળ કિલ્લાની અંદર કષ્ટભંજન દેવની ખુબ સુંદર પ્રતિમાના દર્શન થાય છે. મંદિરના ભવ્ય મંડપની અંદર રાજાધિરાજ જેવો ઠાઠ હનુમાનજીનો છે. મંદિરમાં હનુમાનજીની મૂર્તિ સુવર્ણ અને ચાંદીની ગાદી પર બિરાજમાન છે. અંહી બજરંગબલીના ચરણોમાં શનિદેવના દર્શન થાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગોપાળાનંદ સ્વામી દ્વારા હનુમાનજીની પ્રતિમાની સ્થાપના કરાઈ છે. આ સ્થાન પર આવનારા તમામ લોકો પરના ભુત-પ્રેતનો ઓછાયો બજરંગબલી દુર કરે છે.

9 / 10
આ મંદિર ભારતની રાજધાની દિલ્હીની મધ્યમાં કનોટ પ્લેસમાં સ્થિત છે. કહેવાય છે કે પાંડવોએ કૌરવોને હરાવ્યા બાદ આ સ્થાન પર મંદિરની સ્થાપના કરી હતી.આ મંદિરમાં હનુમાનજીની બાળપણની મૂર્તિ સ્થાપિત છે. જેમાં એક હાથમાં રમકડાં અને બીજો હાથ છાતી પર રાખવામાં આવે છે. આખા ભારતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજી બાળ સ્વરૂપમાં છે. કહે છે કે મોદક લડ્ડુ ચડાવનારા ભક્તો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. લોકકથાઓ મુજબ મોગલ બાદશાહ અકબરે પુત્ર રત્ન મેળવવા માટે અહીં વિશેષ ઉપાસના કરી હતી, જેના કારણે હનુમાનજીએ તેમને આશીર્વાદ આપ્યા અને અકબરને સલીમ જેવો પુત્ર મળ્યો. તેથી જ આજે પણ આ મંદિર ઉપર ચંદ્રનું પ્રતિક બનાવવામાં આવ્યું છે.

આ મંદિર ભારતની રાજધાની દિલ્હીની મધ્યમાં કનોટ પ્લેસમાં સ્થિત છે. કહેવાય છે કે પાંડવોએ કૌરવોને હરાવ્યા બાદ આ સ્થાન પર મંદિરની સ્થાપના કરી હતી.આ મંદિરમાં હનુમાનજીની બાળપણની મૂર્તિ સ્થાપિત છે. જેમાં એક હાથમાં રમકડાં અને બીજો હાથ છાતી પર રાખવામાં આવે છે. આખા ભારતનું આ એકમાત્ર મંદિર છે જ્યાં હનુમાનજી બાળ સ્વરૂપમાં છે. કહે છે કે મોદક લડ્ડુ ચડાવનારા ભક્તો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. લોકકથાઓ મુજબ મોગલ બાદશાહ અકબરે પુત્ર રત્ન મેળવવા માટે અહીં વિશેષ ઉપાસના કરી હતી, જેના કારણે હનુમાનજીએ તેમને આશીર્વાદ આપ્યા અને અકબરને સલીમ જેવો પુત્ર મળ્યો. તેથી જ આજે પણ આ મંદિર ઉપર ચંદ્રનું પ્રતિક બનાવવામાં આવ્યું છે.

10 / 10
આ મંદિર બિલાસપુરથી 25 કિમીના અંતરે રતનપુરમાં સ્થિત છે. તે મહામાયા શહેર તરીકે પણ ઓળખાય છે .તેને ભારતનું સૌથી વિશિષ્ટ મંદિર માનવામાં આવે છે કારણ કે તે હનુમાનજીનું એકમાત્ર મંદિર છે જેમાં હનુમાનજીએ સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું છે.

આ મંદિર બિલાસપુરથી 25 કિમીના અંતરે રતનપુરમાં સ્થિત છે. તે મહામાયા શહેર તરીકે પણ ઓળખાય છે .તેને ભારતનું સૌથી વિશિષ્ટ મંદિર માનવામાં આવે છે કારણ કે તે હનુમાનજીનું એકમાત્ર મંદિર છે જેમાં હનુમાનજીએ સ્ત્રી સ્વરૂપ ધારણ કર્યું છે.