
શક્કરીયાની છાલમાં ફાઈબર, બીટા કેરોટીન, વિટામીન સી, વિટામીન ઈ, ફોલેટ, પોટેશિયમ અને આયર્ન જેવા પોષક તત્વો વધુ હોય છે. તેની છાલમાં જોવા મળતું બીટા કેરોટીન એન્ટીઓક્સીડેન્ટ છે, જે શરીરમાં વિટામિન Aમાં પરિવર્તિત થાય છે. તે આંખોની રોશની સુધારે છે અને રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે.

કોળુ જેને લોકો કંટાળાજનક શાકભાજી માને છે. તેની છાલમાં આયરન, વિટામીન એ, પોટેશિયમની વધુ માત્રા જોવા મળે છે. એટલા માટે તે સ્વાસ્થ માટે ફાયદાકારક છે. કોળુની છાલ થોડી જાડી હોય છે એટલા માટે તેને પકાવવાનો સમય વધુ લાગે છે.