AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેમ કપાળ પર તિલક કર્યા પછી ચોખા પણ લગાવવામાં આવે છે? શું છે આ પાછળનું કારણ

તિલક કર્યા પછી ચોક્કસપણે તેના પર ચોખા લગાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તિલક ઉપર ચોખા (Rice) ચોંટાડવાનું મહત્વ શું છે?

કેમ કપાળ પર તિલક કર્યા પછી ચોખા પણ લગાવવામાં આવે છે? શું છે આ પાછળનું કારણ
ચોખાથી મળે છે પોઝિટિવ ઉર્ઝા
| Updated on: May 22, 2021 | 7:24 PM
Share

કેટલાક લોકો દરરોજ સવારે પૂજા કર્યા પછી કપાળ પર તિલક (Tilak) લગાવે છે. તો કેટલાક લોકો ખાસ પ્રસંગો પર તિલક કરતા હોય છે. તમને ખબર જ હશે કે તિલક કર્યા પછી ચોક્કસપણે તેના પર ચોખા લગાવવામાં આવે છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તિલક ઉપર ચોખા (Rice) ચોંટાડવાનું મહત્વ શું છે? તિલક પછી ચોખા શા માટે લગાવવામાં આવે છે? ધાર્મિક રિવાજ ઉપરાંત, તેની પાછળ ઘણા કારણો છે.

અલગ અલગ પ્રકારના તિલક

તમને ખબર જ હશે કંકુનું તિલક કપાળ પર સૌથી વધુ કરવામાં આવે છે. આ સિવાય ચંદન, કેસર વગેરેના તિલક પણ કરવામાં આવે છે. પૂજાના તિલકની વાત હોય, કોઈ શુભ કાર્ય માટે જતા પહેલાનું તિલક હોય, કે દિનચર્યામાં સવારે થતું તિલક હોય, આ બધામાં એક સામાન્ય બાબત છે કે તિલક કર્યા પછી તેના પર ચોખાના કેટલાક દાણા પણ લગાવવામાં આવે છે. આજે તેની પાછળની કેટલીક તર્ક જાણીએ.

પવિત્ર છે ચોખા

તિલક પછી ચોખા લગાવવા એ શ્રદ્ધાની બાબત ગણી શકાય અને આ પરંપરા ઘણા લાંબા સમયથી ચાલી આવી રહી છે. જો કે ઘણા અહેવાલોમાં જણાવ્યું છે કે તિલક સાથે ચોખા લગાવવાનું કારણ એ છે કે ચોખાને સૌથી પવિત્ર અને શુદ્ધ અનાજ (Purest Grain) માનવામાં આવે છે. તમે જોયું જ હશે કે નાના કર્મકાંડથી માંડીને મોટી ધાર્મિક વિધિઓ સુધીની દરેક બાબતમાં ચોખાનું વિશેષ મહત્વ છે. ભગવાનના ભોગમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે જોયું હશે કે દરેક ખાસ પ્રસંગે ચોખાનું પોતાનું વિશેષ મહત્વ હોય છે.

સફળતાનું પ્રતિક છે ચોખા

ચોખાને હવનમાં દેવતાઓને અર્પણ કરાતું શુદ્ધ અનાજ માનવામાં આવે છે. ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે, જેનો અર્થ છે કે તે કદી નાશ પામી શકે નહીં. ચોખાનો ઉપયોગ કોઈપણ કાર્યની સફળતા માટે થાય છે. વળી હિન્દુ ધર્મમાં ચોખાને સમૃદ્ધિનું અને સફળતાનું પણ પ્રતિક (Rice Significance) માનવામાં આવે છે.

મળે છે પોઝિટિવ ઉર્ઝા

ઘણા લોકો માને છે કે ચોખાને કપાળમાં તિલક પર લગાવવાથી સકારાત્મક ઉર્જા પણ મળે છે. આ કારણે તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલું જ નહીં માથામાં અને તેના ફરતે પણ તેને વેરવામાં આવે છે.

આ પણ વાંચો: આ જગ્યાએ મૃત્યુ બાદ સંબંધીઓ ભેગા થઈને ખાઈ જાય છે લાશ, જાણો વિચિત્ર રિવાજો

આ પણ વાંચો: Insurance: શું તમે જાણો છો? ટર્મ, લાઈફ અને હેલ્થ ઇન્શ્યોરન્સ વચ્ચે શું તફાવત હોય છે?

પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">