Insurance: શું તમે જાણો છો? ટર્મ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત હોય છે?

તમે અલગ અલગ પ્રકારના ઘણા વીમા સાંભળ્યા હશે અને કયો વીમો લેવો અને કયો ના લેવો તેને લઈને મૂંઝવણ પણ થઇ હશે. ચાલો તમને જણાવીએ વીમા વિશે.

Insurance: શું તમે જાણો છો? ટર્મ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ વચ્ચે શું તફાવત હોય છે?
File Image
Follow Us:
| Updated on: May 22, 2021 | 5:38 PM

અત્યારના સમયે વીમાને એટલે ઢાલ માનવામાં આવે છે. હેલ્થ, સેવિંગ અને વારસામાં પરિવારને કંઈ તકલીફ ના પડે તે અર્થે લોકો વીમો લેતા હોય છે. વીમા એજન્ટ અને વીમા કંપનીની જાહેરાતોમાં તમે ઘણી વાર અમુક શાબ્દો સાંભળ્યા હશે. ટર્મ, લાઈફ અને હેલ્થ ઈન્સ્યોરન્સ આ શાબ્દો તમે ઘણીવાર સાંભળ્યા હશે. પરંતુ તમને આ ત્રણ વચ્ચે ફરક ના ખબર હોય તો આજે તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ. એમ તો આ ત્રણેય વીમા ફાયદાકારક છે પરંતુ જરૂરીયાત મુજબ લઇ શાકય.

ભવિષ્યમાં કોઈ પણ અનિચ્છનીય ઘટનામાં વીમા દ્વારા ખુબ મદદ થાય છે. જીવન વીમો અને આરોગ્ય વીમો આ માટે લેવામાં આવે છે. જ્યારે આ વીમા પાકે છે ત્યારે સારું વળતર પણ મળે છે. આ સિવાય ટેક્સ બેનિફિટ પણ મળે છે.

જીવન વીમો (Life Insurance)

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

જીવન વીમો એ જીવંત વ્યક્તિના વીમાનો સંદર્ભ છે. આ હેઠળ લોકો જીવનનો વીમો લે છે. જો કોઈ વ્યક્તિએ જીવન વીમો લઇ રાખેલો છે, અને તે વ્યક્તિનું આકસ્મિક મોત થાય છે, તો તે જ સ્થિતિમાં મૃત વ્યક્તિના વારસદારને વળતર મળે છે. બીજી બાજુ જો જીવન વીમો પરિપક્વ થાય છે અને વીમો લીધેલ વ્યક્તિ હયાત છે, તો આ સ્થિતિમાં પરિપક્વતાનું સારું એવું વળતરમળે છે.

આરોગ્ય વીમો (Health Insurance)

જ્યારે કોઈ રોગની સારવાર માટે આર્થિક સંકટ પેદા થાય છે ત્યારે આરોગ્ય વીમો કામ લાગે છે. હાલમાં કોઈ પણ રોગની સારવાર ખૂબ ખર્ચાળ સાબિત થાય છે. આવી સ્થિતિમાં આરોગ્ય વીમો સારવાર માટે થતા ખર્ચ ચૂકવવા માટે ખૂબ ઉપયોગી છે. જો કોઈ વ્યક્તિ બીમાર પડે છે અને આરોગ્ય વીમો લે છે, તો પછી વીમા કંપની તેની સારવારનો ખર્ચ ઉઠાવશે. જો કે કોઈપણ રોગ પર ખર્ચની મર્યાદા આરોગ્ય વીમા પોલીસી પર આધારિત હોય છે.

ટર્મ વીમો (Term Insurance)

ટર્મ વીમાની પોલિસી જીવન વીમાથી થોડી અલગ છે. જો ટર્મ વીમો લીધેલ વ્યક્તિનું વીમાની મુદત દરમિયાન અવસાન થાય છે, તો તેનો લાભ આપવામાં આવે છે. જો કે જીવન વીમાના વ્યક્તિના મૃત્યુ પછી તેને મૃત્યુ અને પરિપક્વતા બંનેના લાભ મળે છે. તે જ સમયે ટર્મ વીમા હેઠળ મૃત્યુ લાભની રકમ જીવન વીમામાં ઉપલબ્ધ પરિપક્વતા લાભ કરતાં વધુ હોય છે.

આ ઉપરાંત જીવન વીમાની જેમ ટર્મ વીમામાં પાકતું વળતર મળતું નથી. જો મુદત દરમિયાન વીમાવાળી વ્યક્તિનું મૃત્યુ થાય છે, તો આવી સ્થિતિમાં તેના પરિવારને લાભ મળે છે. બીજી બાજુ જો કોઈ વ્યક્તિ ઓછું પ્રીમિયમ ચૂકવવા માંગે છે અને તે ફક્ત મૃત્યુ પછી પરિવારની ચિંતા ધરાવે છે તો તેના માટે ટર્મ વીમો ફાયદાકારક છે. જો કોઈ વ્યક્તિ મૃત્યુ પછી પરિવાર તેમજ જીવન દરમિયાન રોકાણ કરવાનું લક્ષ્ય રાખે છે, તો તે જીવન વીમાની પસંદગી કરી શકે છે. આ સાથે જીવન વીમા પોલીસી કરતાં ટર્મ વીમા પોલિસી પૂરી કરવી સરળ છે.

આ પણ વાંચો: Shreya Ghoshal: સિંગર શ્રેયા ઘોષાલના ઘરે કિલકારી ગુંજી ઉઠી, શ્રેયાએ આપ્યો પુત્રને જન્મ

આ પણ વાંચો: IMA એ બાબા રામદેવ સામે કાર્યવાહીની કરવાની કરી માંગ, એલોપથી પરના આ નિવેદનથી વિવાદ

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">