AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

એક વ્યક્તિ દિવસમાં કેટલી વખત શ્વાસ લે છે ? તમારા શરીરમાંથી દરરોજ કેટલો પરસેવો નીકળે છે ? જાણો

દિવસ દરમિયાન એવી ઘણી ક્રિયાઓ છે, જે આપણે સતત કરીએ છીએ, પરંતુ તેના પર વધારે ધ્યાન આપતા નથી. શું તમે જાણો છો કે 24 કલાકમાં વ્યક્તિ કેટલી વખત શ્વાસ લે છે ?

એક વ્યક્તિ દિવસમાં કેટલી વખત શ્વાસ લે છે ? તમારા શરીરમાંથી દરરોજ કેટલો પરસેવો નીકળે છે ? જાણો
વ્યક્તિ દિવસમાં કેટલી વાર શ્વાસ લે છે ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 12:28 PM
Share

માનવ શરીર રહસ્યથી ભરેલું છે. લાખો કોષો, કેટલા બધા લિટર લોહી, અનેક હાડકાં અને બીજી ઘણી વસ્તુઓ આપણા શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. એવી ઘણી ક્રિયાઓ છે, જે દિવસ દરમિયાન આપણે સતત કરીએ છીએ, પરંતુ તેના પર વધારે ધ્યાન આપતા નથી. આવી જ એક ક્રિયા શ્વાસ લેવાની છે. તેના વિના આપણે આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે 24 કલાકમાં વ્યક્તિ કેટલી વાર શ્વાસ લે છે ? આવો જાણીએ આવી કેટલીક હકીકતો.

શ્વાસ એક એવી ક્રિયા છે જે આપણે 24 કલાક કરીએ છીએ. તંદુરસ્ત વ્યક્તિ પ્રતિ મિનિટ આશરે 16 વખત શ્વાસ લે છે. તેનો અર્થ એ છે કે આપણે એક કલાકમાં લગભગ 960 વખત અને દિવસમાં 23,040 વખત શ્વાસ લઈએ છીએ. જો આ વર્ષમાં ગણવામાં આવે તો તે 8,409,600 થઈ જશે. તેનો અર્થ એ છે કે એક વર્ષમાં આપણે ઘણા શ્વાસ લેવાની કસરત કરીએ છીએ.

દરરોજ એક માણસ 2000 ગેલનથી વધુ હવા શ્વાસમાં લે છે. તમે જે શ્વાસ લો છો તે તમારા ફેફસામાં અને ત્યાંથી તમારા લોહીમાં જાય છે. તે પછી તમારા લોહીના પ્રવાહ દ્વારા તમારા શરીરના તમામ કોષો સુધી પહોંચાડવામાં આવે છે.

સામાન્ય રીતે કેટલીક શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સરેરાશ વ્યક્તિ 0.5-2 લિટર પ્રતિ કલાક પરસેવો વહાવે છે. પરંતુ કેટલાક અભ્યાસો અનુસાર, લોકોને દિવસમાં ઓછામાં ઓછા 3 લિટર જેટલો પરસેવો નિકળે છે. પરસેવો એ શરીરમાંથી બહાર આવતા પાણીના ટીપાં છે. તેમાં એમોનિયા, યુરિયા, મીઠું અને ખાંડ વગેરે હોય છે. જ્યારે પણ આપણા શરીરનું તાપમાન સામાન્ય કરતા વધારે થાય છે. શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે તે ગ્રંથીઓ સક્રિય થાય છે.

પરસેવો આપણા શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે. ઘણા સંશોધનો અનુસાર, મીઠું, ખાંડ સિવાય કોલેસ્ટ્રોલ અને આલ્કોહોલ જેવા પદાર્થો પણ માનવ પરસેવામાં જોવા મળે છે. આ સ્થિતિમાં શરીર સારી રીતે સાફ થાય છે અને તમામ અંગો વધુ સારી રીતે કામ કરે છે.

આ પણ વાંચો : કેળના ઝાડના કચરાને વેસ્ટ ન સમજો, તેમાંથી મળતા ફાઈબર દ્વારા ખેડૂતો કરી શકે છે કમાણી

આ પણ વાંચો : Good News: હવે હાંફયો કોરોના, 183 દિવસમાં જોવા મળ્યા સૌથી ઓછા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">