Good News: હવે હાંફયો કોરોના, 183 દિવસમાં જોવા મળ્યા સૌથી ઓછા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા

Corona India Update: દેશભરમાંથી નોંધાયેલા કુલ કેસોમાંથી 60 ટકા કેરળથી આવી રહ્યા છે. કેરળ પછી મહારાષ્ટ્ર સૌથી વધુ ચેપના મામલામાં બીજા ક્રમે છે.

Good News: હવે હાંફયો કોરોના, 183 દિવસમાં જોવા મળ્યા સૌથી ઓછા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા
Corona India Update:
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 10:37 AM

Corona India Update: ભારતમાં કોરોના સંક્રમણના 30,256 નવા કેસ નોંધાયા છે, ત્યારબાદ દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા હવે વધીને 3,34,78,419 થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 295 દર્દીઓના મૃત્યુ બાદ, કોરોનાથી મૃત્યુઆંક 4,45,133 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ હવે ઘટીને 3.18 લાખ પર આવી ગયા છે.

આરોગ્ય મંત્રાલયે માહિતી આપી કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 43,938 લોકો કોરોનાથી સાજા થયા છે, ત્યારબાદ કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,27,15,105 થઈ ગઈ છે. તે જ સમયે, એક્ટિવ કેસોની સંખ્યા હાલમાં 3,18,181 છે, જે કુલ કેસોનો 1 ટકા છે અને આ આંકડો 183 દિવસમાં સૌથી ઓછો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.57 ટકા છે, જે છેલ્લા 21 દિવસથી 3 ટકાથી ઓછો છે. જ્યારે વિકલી પોઝિટિવિત રેટ 2.07 ટકા છે, જે 87 દિવસ માટે 3 ટકાથી નીચે રહ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

કેરળમાંથી 19,653 નવા કેસ નોંધાયા છે આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં રિકવરી રેટ હવે વધીને 97.72 ટકા થયો છે. તે જ સમયે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે રવિવારે ભારતમાં કોરોના વાયરસ માટે 11,77,607 નમૂના પરીક્ષણો કરાયા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો વધીને 55,36,21,766 થયો છે. તે જ સમયે, આપને જણાવી દઈએ કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 30,256 નવા કેસ અને 295 મૃત્યુમાં 19,653 નવા કેસ છે અને કેરળમાંથી 152 મૃત્યુનો સમાવેશ થાય છે.

કેરળ અને મહારાષ્ટ્રમાં કોવિડના સૌથી વધુ કેસ કેરળમાં કોરોના સંક્રમણના કુલ કેસો વધીને 45,08,493 થઈ ગયા છે. મૃત્યુઆંક 23,591 પર પહોંચી ગયો છે. હાલ રાજ્યમાં કોવિડ -19 ના 1,73,631 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોવિડ સંક્રમણની દ્રષ્ટિએ કેરળ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં છે.

દેશભરમાંથી નોંધાયેલા કુલ કેસોમાંથી 60 ટકા કેરળથી આવી રહ્યા છે. કેરળ પછી મહારાષ્ટ્ર સૌથી વધુ ચેપના મામલામાં બીજા ક્રમે છે. આ બે રાજ્યો ટોચ પર છે, જ્યાંથી મહત્તમ કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે અન્ય ટોચના રાજ્યોમાં તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Manika Batra અને ફેડરેશન વચ્ચેના વિવાદ વચ્ચે, સ્ટાર ખેલાડી TTFI વિરુદ્ધ હાઈકોર્ટ પહોંચી

આ પણ વાંચો: 76th UNGA: આજથી ન્યૂયોર્કમાં ભેગા થશે 10 દેશનાં નેતા, જાણો શું છે કારણ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">