AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black Pepper Tea : કાળા મરીની ચા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના અન્ય પણ ઘણા છે સ્વાસ્થ્ય લાભો

કાળા મરીની ચા શરીરના મેટાબોલિક રેટને વધારે છે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ તેના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો વિશે

Black Pepper Tea : કાળા મરીની ચા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના અન્ય પણ ઘણા છે સ્વાસ્થ્ય લાભો
health benefits of black pepper tea
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 2:26 PM
Share

કાળા મરી એ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાનું એક છે.  તે ભોજનનો સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો કરે છે. કાળા મરીનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં થાય છે. શાકભાજી, કરી અને ઉકાળો વગેરે બનાવવામાં પણ તે ઉપયોગમાં લેવાય છે. કાળા મરીમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે આપણા સ્વાસ્થ્ય(Health) માટે ખૂબ જ ફાયદાકારક છે (Benefits of Black Pepper).

તમે સ્વાસ્થ્યના ફાયદા મેળવવા માટે કાળા મરીની ચાનું પણ સેવન કરી શકો છો. તમે સરળતાથી આ ચા ઘરે બનાવી શકો છો અને તેના સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો. આવો જાણીએ કે તમે તેને કેવી રીતે ઘરે બનાવી શકો છો અને તેના શું ફાયદા છે.

કાળા મરીની ચા કેવી રીતે બનાવવી

આ ચા બનાવવા માટે, તમારે 2 કપ પાણી, 1 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી સમારેલા આદુની જરૂર પડશે. આ માટે સૌપ્રથમ એક તપેલીમાં પાણી લો અને તેને ઉકળવા દો. તપેલીમાં બધી સામગ્રી નાખો અને ધીમા તાપ પર કુક થવા દો. તેને 3 થી 5 મિનિટ સુધી ચડવા દો. સ્વાદ વધારવા માટે તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો.

કાળા મરીની ચાના સ્વાસ્થ્ય લાભો

કાળા મરી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં થર્મોજેનિક એજન્ટ હોય છે. તે મેટાબોલિક રેટને વધારવામાં મદદ કરે છે. તે પાચનશક્તિ સુધારે છે. તે ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. દરરોજ કાળા મરીની ચા પીવાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

કાળા મરીમાં પાઇપરિન હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે જાણીતું છે. કાળા મરીમાં શરીરમાં હાજર મુક્ત રેડિકલ સામે લડવાનો પણ ગુણ છે. તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.

શરદી, ઉધરસથી બચાવે છે

બદલાતી ઋતુમાં વ્યક્તિને વારંવાર શરદી, ખાંસી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરદી અને ઉધરસ જેવી મોસમી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે ગરમ મરીની ચાનું સેવન કરી શકાય છે. અસ્થમાથી પીડિત લોકો માટે પણ તે ફાયદાકારક છે.

શરીરને ડિટોક્સિફાય કરે છે

કાળા મરીની ચા શરીરમાંથી તમામ હાનિકારક ટોક્સિન્સને દૂર કરવામાં પણ મદદ કરે છે. આનાથી શરીરની કામગીરીમાં સુધારો થાય છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો-

આંખમાં જીવતી માખી પ્રવેશી તો મહિલાને સારવાર માટે આવવું પડ્યું અમેરિકાથી ભારત

આ પણ વાંચો-

જો તમે નિયમિત રૂપે પેઈનકિલર લો છો તો, જાણો પેઈનકિલરનું નુકસાન અને શરીર પર તેની આડ અસર

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">